Sports
‘હું હારી ગઈ…’, ચેમ્પિયન વિનેશ ફોગાટે કુશ્તીને કહ્યું અલવિદા, નિવૃત્તિનું કર્યું એલાન
પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલો બોક્સિગંમાં ફાઇનલ સુધી પહોંચેલી અને 100 ગ્રામ વધુ વજનના કારણે ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગયેલી કુસ્તીબાજ વિનેશ ફોગાટે અંતે નિવૃતિ જાહેર કરી દીધી છે.
વિનેશ ફોગાટે તેના સોશિયલ મીડીયા એકાઉન્ટ ઉપર ભાવુક પોસ્ટ લખી હતી અને જણાવ્યું હતું કે ‘માં કુસ્તી મારાથી જીતી ગઇ, હું હારી ગઇ, માફ કરજો’, તારૂ સપનુ, મારી હિંમત, બધુ તુટી ગયું. હવે મારી પાસે આનાથી વધુ તાકાત નથી રહી. અલવીદા કુસ્તી 2021-2024. ફોગટો માફી માંગતા કહ્યું, હું તમારા બધાની ઋણી રહીશ.
તેણીએ તેમના સમર્થન માટે દરેકનો આભાર માન્યો અને કહ્યું કે તે દરેકની ઋણી રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેની માતાને યાદ કરીને તેણે લખ્યું કે તેની હિંમત તૂટી ગઈ છે. આ પહેલા કુસ્તીબાજ વિનેશે સ્પોર્ટ્સ આર્બિટ્રેશનને સંયુક્ત રીતે ઓલિમ્પિક સિલ્વર મેડલ આપવાની અપીલ કરી હતી. તેમની અપીલ પર આજે નિર્ણય આવી શકે છે. જોકે, આ નિર્ણય પહેલા જ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત દેશની રમત અને રાજકીય જગતની અનેક હસ્તીઓએ વિનેશને ચેમ્પિયન કહીને પ્રોત્સાહિત કર્યા હતા.
બુધવારે મોડી રાત્રે આવેલા સમાચાર અનુસાર, પેરિસમાં સ્થાનિક સમયાનુસાર લગભગ 5.51 વાગ્યે, તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સને પોતાને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી છે. હકીકતમાં, તેણે મંગળવારે સતત ત્રણ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકે બુધવારે જ્યારે તેનું વજન માપવામાં આવ્યું ત્યારે તે 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. સ્પોર્ટ્સ આર્બિટ્રેશનને રમતગમત માટે લવાદની અદાલત પણ કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનેશે હવે આ જગ્યા પર અપીલ કરી છે અને પોતાને ઓછામાં ઓછું સિલ્વર આપવાનું કહ્યું છે.
ભારતના શ્રેષ્ઠ કુસ્તીબાજોમાંના એક ગણાતા વિનેશ ફોગાટનો જન્મ 1994માં થયો હતો. વિનેશના કાકા મહાવી સિંહ ફોગાટ અને તેની બહેન બબીતા ફોગાટને ખૂબ જ ઓછા સમયમાં કુસ્તીનો પરિચય કરાવ્યો. વિનેશ તેની પિતરાઈ બહેનો ગીતા અને બબીતાના પગલે ચાલી હતી. માત્ર 9 વર્ષની ઉંમર હતી તે સમયે પિતાની છત્ર છાયા ગુમાવી હતી. વિનેશના કાકાએ બંને બહેનોને કુસ્તી શીખવવાનું શરૂૂ કર્યું અને બંનેએ આ રમત શીખવા માટે તમામ પ્રયત્નો કર્યા.
વિનેશ ફોગાટે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં તેનું પ્રથમ મોટું આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યું હતું. તેણે ગોલ્ડ મેડલ જીતીને પોતાની કારકિર્દીની શાનદાર શરૂૂઆત કરી હતી. તે પછી તેણે 2016 રિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી, પરંતુ તે દરમિયાન તે મેડલ મેળવવામાં નિષ્ફળ રહી. 2018માં તેણે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. 2021 એશિયન ચેમ્પિયનશીપમાં તેણીનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યા પછી તે ટોક્યો ઓલિમ્પિકનો ભાગ રહી. ત્યારબાદ તેણે કોમનવેલ્થ ગેમ્સ 2022માં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં અણધાર્યા વિકાસ બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઓલિમ્પિક ફાઈનલના થોડાક કલાકો પહેલા જ તેને ફાઇનલ મેચમાંથી વધુ વજનના કારણે તેને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. આ આઘાત સહન કરવામાં અસમર્થ વિનેશે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખીને કુસ્તીને અલવિદા કહી દીધું.
આ રમતનો એક ભાગ છે : ફોગાટ
ઓલિમ્પિક વિવાદમાં રેસલર વિનેશ ફોગાટે અંતે મૌન તોડયું હતું. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા અને ડો. દિનશા પારડીવાલા બાદ તેના કોચ વિનેશની હોસ્પિટલે પહોંચ્યા હતો. મહિલા રાષ્ટ્રીય કોચ વીરેન્દ્ર દહિયા અને મનજીત રાનીએ વિનેશ સાથે થયેલી વાતચીતનો ખુલાસો કર્યો છે. વીરેન્દ્ર દહિયાએ કહ્યું- વિનેશને અયોગ્ય જાહેર કર્યા બાદ વિવાદ થયો હતો. જેના કારણે છોકરીએ દુ:ખી થઈ ગઈ હતી. અમે વિનેશને મળ્યા હતા. અમે તેને સાંત્વના આપવાનો પણ પ્રયાસ કર્યો. તે એક બહાદુર છોકરી છે. વિનેશે અમને કહ્યું- “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે મેડલ જીતવાનું ચૂકી ગયા, પરંતુ તે રમતનો એક ભાગ છે.”
વિનેશનું મેડલ વિજેતાની જેમ સન્માન કરવાની હરિયાણાની જાહેરાત
હરિયાણાની કુસ્તીબાજ વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ કુશ્તીને અલવિદા કહી દીધું છે. તેમના નિર્ણયથી સમગ્ર રાજ્યના રમતપ્રેમીઓમાં નિરાશા જોવા મળી રહી છે. હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કહ્યું છે કે વિનેશ અમારા માટે ચેમ્પિયન છે. આથી હરિયાણા પરત ફરતાં તેનું સિલ્વર મેડલ વિજેતાની જેમ સ્વાગત કરવામાં આવશે. સીએમએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું- હરિયાણાની અમારી બહાદુર દીકરી વિનેશ ફોગટે જબરદસ્ત પ્રદર્શન કરીને ઓલિમ્પિકમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કેટલાક કારણોસર તે ભલે ઓલિમ્પિકની ફાઈનલ રમી શકી ન હોય પરંતુ તે આપણા બધા માટે ચેમ્પિયન છે. અમારી સરકારે નક્કી કર્યું છે કે વિનેશ ફોગાટનું મેડલ વિજેતાની જેમ સ્વાગત અને સન્માન કરવામાં આવશે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતાને હરિયાણા સરકાર જે તમામ સન્માનો, પુરસ્કારો અને સુવિધાઓ આપે છે તે પણ વિનેશ ફોગાટને કૃતજ્ઞતા સાથે આપવામાં આવશે. અમને તમારા પર ગર્વ છે વિનેશ
Sports
હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીનનો મુકાબલો
સેમિફાઇનલમાં કોરિયાને હરાવી સતત છઠ્ઠી જીત મેળવી
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 માં, ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 16 સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ ચીનના હુલુનબુર ખાતે રમાયેલી બીજી સેમિફાઇનલમાં ભારતે કોરિયાને 4-1થી હરાવ્યું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે સૌથી વધુ બે ગોલ (19મી અને 45મી મિનિટ) કર્યા હતા. જ્યારે ઉત્તમ સિંહ (13મી મિનિટ) અને જર્મનપ્રીત સિંહ (32મી મિનિટ)એ એક-એક ગોલ કર્યો હતો. આ બંને ગોલ હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર કર્યા હતા જ્યારે ઉત્તમ અને જરમનપ્રીતે ફિલ્ડ ગોલ કર્યા હતા.
બીજી તરફ કોરિયા માટે એકમાત્ર ગોલ યાંગ જિહુને (33મી મિનિટ) પેનલ્ટી કોર્નર પરથી કર્યો હતો. ફાઇનલમાં ભારતનો મુકાબલો યજમાન ચીન સામે થશે. ચીને પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનને શૂટઆઉટમાં 2-0થી હરાવ્યું હતું. ચીનની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ રમાશે.
વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમની આ સતત છઠ્ઠી જીત હતી. ભારતીય ટીમે પૂલ સ્ટેજમાં તેની તમામ પાંચ મેચ જીતી હતી અને ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં અજેય રહેનારી એકમાત્ર ટીમ છે. ભારતીય ટીમે તેની છેલ્લી પૂલ મેચમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. આ પહેલા તેણે કોરિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે ભારતીય ટીમે મલેશિયાને 8-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા ભારતીય ટીમે ચીનને 3-0 અને જાપાનને 5-0થી હરાવ્યું હતું.
Sports
હાથમાં ઇજાના કારણે ડાયમંડ લીગમાં હાર થઇ: નીરજ ચોપડા
પ્રથમ પુરસ્કાર મેળવવામાં માત્ર એક સેન્ટીમીટરથી ચૂકી ગયા
Diamond leaguage 2024 માં પ્રથમ પુરસ્કાર મેળવવામાં માત્ર એક સેન્ટીમીટરથી ચૂક ગયા હતાં. ગયયફિષ ઈવજ્ઞાફિ એ ઉશફળજ્ઞક્ષમ કયફલીય 2024 ની ફાઈનલમાં 87.89 મીટરનો જેવલીન થ્રો કર્યો હતો.
ત્યારે તેઓ Diamond leaguage2024 માં બીજા સ્થાને આવ્યા હતાં. તો ઉશફળજ્ઞક્ષમ કયફલીય 2024 માં પ્રથમ સ્થાન પર ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે બેસ્ટ થ્રો 87.87 મીટરનો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારે ગયયફિષ ઈવજ્ઞાફિ નજીવા અંતરથી ચૂકી ગયા છે. ત્યારે ગયયફિષ ઈવજ્ઞાફિ એ તેની પાછળનું કારણ જણાવ્યું છે.
ગયયફિષ ઈવજ્ઞાફિ એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તેમાં ગયયફિષ ઈવજ્ઞાફિ એ લખ્યું છે કે, 2024 ના ખેલ સમાપ્ત થયા છે. હું તે દરેક વસ્તુઓ પર ધ્યાન આપીશ, જે મેં વર્ષ દરમિયાન નોંધ કરી છે. તો તેમાં પણ ખાસ કરીને ખેલક્ષેત્રે સુધારો, અસફળતાઓ, માનસિકતા અને વિવિધ શારીરિક બાબતનો સમાવેશ છે.
સોમવારના રોજ પ્રશિક્ષણ દરમિયાન હું ઘાયલ થયો હતો. તેના કારણે જમણા હાથમં નાનો ફ્રેક્ચર આવ્યો હતો. મારા માટે આ એક પડકારદાયક છે. તેમ છતાં હું મારી ટીમના માર્ગદર્શન અને સારવાર હેઠળ બ્રુસેલ્સમાં પ્રદર્શન માટે તૈયાર હતો.
ગયયફિષ ઈવજ્ઞાફિ એ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2024 ની આ અંતિમ મેચ હતી. જોકે હું નક્કી કરેલા લક્ષ્યાંક પર સ્પર્ધા દરમિયાન પહોંચી શક્યો નહીં. પરંતુ મને લાગે છે કે, આ એક એવી સ્પર્ધા હતી, જેના માધ્યમથી મને ઘણું વધુ શીખવા મળ્યું છે. હવે, હું સંપૂર્ણ રીતે તંદુક્સત છું. હું તમારા બધાના સમર્થનનો આભાર વ્યક્ત કરું છું. વર્ષ 2024 એ મને એક ઉત્તમ રમતવીર અને માણસ બનાવ્યો છે. હવે, વર્ષ 2025 ના રણમેદાનમાં મુલાકાત થશે.
Sports
કેટલાક ખેલાડીઓ ક્રિકેટના નિયમોથી પર છે? ડેરિલ હાર્પરનો ધોની પર આરોપ
ચૈન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની મેચના સંદર્ભમાં ટિપ્પણી
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટની દુનિયાના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક છે. માહી તેના શાંત સ્વભાવ અને ઉત્તમ વ્યૂહરચના માટે જાણીતી છે. પરંતુ શું તમે જાણો છો કે માહીનું નામ પણ ઘણી વખત વિવાદોમાં સપડાયું છે. વાસ્તવમાં, આ આઇપીએલ 2023ની વાત છે.
આઇપીએલ 2023 દરમિયાન અમ્પાયર ડેરિલ હાર્પરે કેપ્ટન કૂલ પર જાણી જોઈને સમય બગાડવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે માહી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન હતો. ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને હતી. આ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની અને અમ્પાયર ડેરિલ હાર્પર દલીલ કરતા જોવા મળ્યા હતા.
ખરેખર, ગુજરાત ટાઇટન્સ ટીમ રનનો પીછો કરી રહી હતી. મથિશા પથિરાના ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઈનિંગની 16મી ઓવર નાખવા આવ્યો હતો, પરંતુ તેણે આમ કરતા પહેલા ઘણો સમય લીધો હતો. જે બાદ અમ્પાયર ડેરીલ હાર્પરે નારાજગી વ્યક્ત કરી હતી. ડેરેલ હાર્પરનું માનવું છે કે આ રમતની ભાવના વિરુદ્ધ છે. તે સમયે માહી પાસે બીજા ઘણા વિકલ્પો હતા, પરંતુ તેણે તેમને અવગણ્યા હતા. તો શું કેટલાક લોકો નિયમોથી ઉપર છે, આવું ન થવું જોઈએ, તે રમતની ભાવનાની વિરુદ્ધ છે.
-
રાષ્ટ્રીય24 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય1 day ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત20 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ગુજરાત19 hours ago
રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા