જામનગર જિલ્લા ના જોડિયા પંથકમાં એક હોટલ માં જમવા ગયેલા ગ્રાહક ઉપર હોટલ સંચાલક દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોડિયા તાલુકાના ખીરી ગામ નજીક આવેલ શિવ લહેરી હોટલમાં ગઈકાલે સવારે જાંબુડા ગામ ના રાજભા બાબુભાઈ ગઢવી ના ટ્રાન્સપોર્ટ માં ડ્રાઇવિંગ કામ કરતા નિલેશભાઈ ભીમાભાઇ વિરમગામ પોતાના મિત્ર ઈકબાલભાઈ ને લઈ ને જમવા ગયા હતા. ત્યાં કોઈ બાબતે બોલાચાલી થતા હોટલ ના કાઉન્ટરમાં બેસેલા નરેન્દ્રસિંહ સરવૈયા એ છરી વડે નિલેશભાઈ ઉપર હુમલો કર્યો હતો અને છાતીમાં તથા પડખા માં છરીના બે ઘા ઝીંકી દીધા હતા. આથી નિલેશભાઈ ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા હતા.
આ બનાવ અંગે રાજભા ગઢવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરેન્દ્રસિંહ સરવૈયા સામે ગુનો નોંધયો છે. આ બનાવા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત વધુ તપાસ ચલાવી રહ્યા છે.
