આંતરરાષ્ટ્રીય
ઇઝરાયલના હવાઇ હુમલામાં હિઝબુલ્લાહનો મિસાઇલ કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસી ઠાર
માઉન્ટ ડોવ ઓપરેશનનો હતો માસ્ટર માઇન્ડ, લેબનોનમાં મૃત્યુઆંક 564 થયો
સતત પાંચમા દિવસે ઈઝરાયેલનો લેબનોન પર હવાઈ હુમલો યથાવત છે. મંગળવારે ઈઝરાયેલે હિઝબુલ્લાહનો ટોચનો ગણાતો સિનિયર કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસીને ઠાર કર્યો હતો. અત્યાર સુધી 564 લોકોના મોત થયા છે.
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે હિઝબુલ્લાહના સિનિયર કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસીને ઠાર કર્યો હતો. ઇબ્રાહિમ કુબૈસી માત્ર હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરોમાંનો એક ન હતો પરંતુ તે આ સંગઠનનો મિસાઈલ મેન પણ હતો. ઈઝરાયેલ પર તમામ હવાઈ હુમલાઓ તેણે જ કર્યા હતા. ઈઝરાયેલ ટાઈમ્સ અનુસાર દક્ષિણી ઉપનગરમાં એક ઈઝરાયેલી હવાઈ હુમલામાં કુવૈસી સહિત 6 લોકોના મોત થયા હતા. હિઝબુલ્લાહે હુમલાના થોડા કલાકો બાદ ઇબ્રાહિમ કુબૈસીના મોતની પુષ્ટિ કરી હતી.
મિસાઇલ કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસી દાયકાઓ સુધી હિઝબુલ્લાહની મિસાઇલ ક્ષમતાઓમાં કેન્દ્રીય વ્યક્તિ હતા. કુબૈસી 1980ના દાયકામાં હિઝબુલ્લાહના સાથે જોડાયો હતો. તેમણે ઘણા મિસાઈલ યુનિટને કમાન્ડ કર્યા, ખાસ કરીને ચોક્સાઈ-ગાઈડેડ મિસાઈલ પ્રોગ્રામ. ઇઝરાયેલ સામે હિઝબુલ્લાહની લશ્કરી વ્યૂહરચનામાં સામેલ હતો અને વરિષ્ઠ સૈન્ય નેતાઓ સાથે ગાઢ સંબંધો હતા.
કુબૈસીએ 2000માં હિઝબુલ્લાહના માઉન્ટ ડોવ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઓપરેશનમાં ત્રણ ઈઝરાયેલ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં આ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. 2004 માં કેદીઓની અદલાબદલીમાં તેમના મૃતદેહ પરત કરવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં તેની મહત્વપૂર્ણ કામગીએ હિઝબુલ્લાહમાં ઇબ્રાહિમ કુબૈસીને વધુ મજબૂત બનાવ્યો.
આંતરરાષ્ટ્રીય
પૂર્વ PM શેખ હસીના પર લટકી ધરપકડની તલવાર!! બાંગ્લાદેશની કોર્ટે 18 નવેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ
બાંગ્લાદેશની અદાલતે આજે (17 ઓક્ટોબર) નિર્વાસિત પૂર્વ નેતા શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો છે. ઓગસ્ટમાં સત્તા પરથી હટાવ્યા બાદ શેખ હસીના ભારત ભાગી ગયા હતા. બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલના મુખ્ય વકીલ મોહમ્મદ તાજુલ ઇસ્લામે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, “કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની ધરપકડ અને 18 નવેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.”
ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મજુમદારે સવારે 11.30 વાગ્યા પછી ટ્રિબ્યુનલની કાર્યવાહી શરૂ કરી હતી. પહેલા દિવસે ફરિયાદી ટીમે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય 50 લોકો સામે ધરપકડ વોરંટની માંગણી કરી હતી. અવામી લીગ પાર્ટીના નેતા શેખ હસીના, 14-પક્ષ ગઠબંધનના અન્ય નેતાઓ, દેશના પૂર્વ કાયદા અમલીકરણ અધિકારીઓ અને પત્રકારો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક ટ્રિબ્યુનલમાં બળજબરીથી ગુમ થવા અને હત્યા સંબંધિત 60 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.
13 ઓક્ટોબરે મુખ્ય ફરિયાદી એડવોકેટ તાજુલ ઇસ્લામે કહ્યું હતું કે આ અઠવાડિયાની અંદર, જુલાઈમાં દેશમાં રમખાણો અને અશાંતિમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ અને મુસાફરી પ્રતિબંધ જારી કરવામાં આવશે. આ માટે દેશ છોડીને ભાગી ગયેલા તમામ લોકો સામે ઈન્ટરપોલની મદદ લેવામાં આવશે.
મોહમ્મદ તાજુલ ઈસ્લામે મીડિયાને જણાવ્યું કે હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. તેમણે રાજકીય વિરોધીઓને જેલમાં મોકલી દીધા. જુલાઈથી ઓગસ્ટ દરમિયાન દેશમાં થયેલા નરસંહાર અને હત્યા જેવા અપરાધો પાછળ શેખ હસીનાનો હાથ હતો. 77 વર્ષીય હસીના બાંગ્લાદેશ ભાગી ગયા બાદથી જાહેરમાં જોવા મળી નથી. બાંગ્લાદેશ ભારતમાં તેમની હાજરીથી નારાજ છે. આ કારણોસર તેઓએ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દીધો છે.
આંતરરાષ્ટ્રીય
ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટને મળી બોમ્બની ધમકી, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
છેલ્લા 4 દિવસથી ભારતીય વિમાનોને બોમ્બની ધમકીઓ મળી રહી છે. આજે વિસ્તારા અને ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. ધમકી મળ્યા બાદ વિસ્તારાની ફ્રેન્કફર્ટ-મુંબઈ ફ્લાઈટ UK 028નું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી.લેન્ડિંગ પછી તરત જ ફ્લાઈટને અલગ-અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું.
અધિકારીઓએ ક્રૂને બોમ્બની ધમકી વિશે જાણ કરી ત્યારે વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઉડી રહ્યું હતું. ફ્લાઈટમાં 147 મુસાફરો સવાર હતા. લેન્ડિંગ પછી, એરક્રાફ્ટને આઇસોલેશનમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી તુર્કીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ પર ધમકી આપવામાં આવી હતી. આ ધમકી સોશિયલ મીડિયા પર પણ આપવામાં આવી હતી.
આ અંગે વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું કે ફ્રેન્કફર્ટથી મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઈટ UK 028ને સોશિયલ મીડિયા પર ધમકી મળી હતી. પ્રોટોકોલ મુજબ, તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જે બાદ પ્લેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું અને તેને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું. જ્યાં તમામ ગ્રાહકોને ઉતારી દેવામાં આવ્યા હતા.
વિસ્તારાએ કહ્યું કે અમે ફરજિયાત સુરક્ષા તપાસ પૂર્ણ કરવા માટે સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. વિસ્તારામાં, અમારા ગ્રાહકો, ક્રૂ અને એરક્રાફ્ટની સલામતી અમારા માટે અત્યંત મહત્વની છે.બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા અટકી રહી નથી. ગુરુવારે જર્મનીના ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ (બોઈંગ 787 એરક્રાફ્ટ)ને બોમ્બની ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ ફ્લાઈટનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ પછી તરત જ ફ્લાઈટને અલગ-અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું.
આંતરરાષ્ટ્રીય
ફૂટબોલ ચાહકોના દિલ તૂટશે, મેસીએ આપ્યો નિવૃત્તિનો સંકેત
ફૂટબોલની રમત પર છેલ્લા બે દાયકાથી રાજ કરી રહેલા આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો જાદુ હજુ પણ બરકરાર છે. તેની હેટ્રિકના આધારે આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચમાં બોલિવિયાને 6-0થી હરાવ્યું હતું. બોલિવિયા સામેની મેચ દરમિયાન સાથી ખેલાડીઓ લૌટારો માર્ટિનેઝ અને જુલિયન આલ્વારેઝને ગોલ કરવામાં મદદ કરવામાં પણ મેસ્સીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 37 વર્ષીય મેસીએ મેચની 19મી, 84મી અને 86મી મિનિટમાં ગોલ કર્યા હતા.
આ સમયગાળા દરમિયાન, તેણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હેટ્રિક લેવાના મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રેકોર્ડની પણ બરાબરી કરી. બંને ખેલાડીઓના નામે હવે 10 હેટ્રિક છે. મેચ બાદ તેણે નિવૃત્તિને લઈને મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે તે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. જો કે, તેણે એમ પણ કહ્યું છે કે તેણે આ અંગે કોઈ સમય મર્યાદા નક્કી કરી નથી.
તેણે કહ્યું, મેં મારા ભવિષ્યને લઈને કોઈ તારીખ કે સમય મર્યાદા નક્કી કરી નથી. હું ફક્ત તેનો આનંદ માણી રહ્યો છું. હું પહેલા કરતાં વધુ લાગણીશીલ છું અને મને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે, કારણ કે હું જાણું છું કે આ વર્ષની શરૂૂઆતમાં કોપા અમેરિકાની ફાઈનલ દરમિયાન થયેલી ઈજામાંથી સાજો થયા બાદ મેસ્સી આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચ હોઈ શકે છે બીજી મેચ. મેસ્સીએ કબૂલ્યું કે આખી મેચ દરમિયાન ઘરઆંગણાના દર્શકોને તેના નામનો જયઘોષ કરતા જોવો તે તેના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય22 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત