ગુજરાત
આરોગ્ય વિભાગની કોલેરા સામે મહાઝુંબેશ: બોરમાંથી પાણીના સેમ્પલ લેવાયા
પાણીપુરીની 33 લારીઓ શેરડી રસ ડીપો-13 , છૂટક બરફના એકમો-10, ગોલાની 9 દુકાનો બંધ કરાવવામા આવી
જામનગર મા આજે તા.31/7/2024 નાં રોજ કોલેરાના કોઈ પોઝીટીવ કેસ આવેલ નથી. આજ દીવસ સુધી કોલેરા નાં કુલ 27 પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમાંથી પુરુષ-12 અને સ્ત્રી-15, હાલ જી.જી હોસ્પીટલ સારવાર હેઠળ-3 દાખલ છે અને હોસ્પીટલ માંથી કુલ દર્દી-23 દર્દીઓ ને રજા આપવા માં આવી છે.અને 1 દર્દી ને ઓ.પી.ડી. સારવાર આપવામાં આવી હતી.
આરોગ્ય કેન્દ્ર મેડીકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે તેમાં મેડીકલ ટીમ 20, ઘરની સંખ્યા-1231,વસ્તી-5194, ઓ.આર.એસ. પેકેટનું વિતરણ-108, ક્લોરીન ટેબલેટ વિતરણ-8210, ઝાડાનાં કેસ-3, રેસીડયુઅલ કલોરીન ટેસ્ટ કર્યાની સંખ્યા-36, તેમાંથી ટેસ્ટ પોઝીટીવ- 36, ટેસ્ટ નેગેટીવ-0 કરવામાં આવેલ છે. વોટરવર્કસ વિભાગ દ્વારા બેકટેરીયોલોજીકલ પરીક્ષણ-37 સેમ્પલ લેવામાં આવેલ છે, તેમાંથી પીવાલાયક-26, બીન પીવાલાયક-5 (બોર) છે .અને 5 સેમ્પલ ની ન તપાસણી કરવા ની બાકી છે. તા.30/7/2024 નાં રોજ વિસ્તારમાં કુલ લાઈન લીકેજ-15, રીપેર લીકેજ-14, બાકી લીકેજ-1 છે.
ભૂગર્ભ ગટર શાખા દ્વારા 21 ગટર લાઈનની સફાઈ કરવામાં આવેલ છે.ફૂડ શાખા દ્વારા લુઝ ડ્રીન્કીંગ વોટર ટેસ્ટ સેમ્પલ 80 તેમાં થી 54 રીપોર્ટ ફીટ આવેલ છે.અને 26 પેન્ડીંગ છે. શહેર મા પાણીપુરીની 33 લારીઓ શેરડી રસ ડીપો-13 , છૂટક બરફ ના એકમો-10 , ગોલા ની 9 દુકાનો બંધ કરાવવામાં આવ્યા છે. અખાદ્ય ખોરાક 636 કિલો. નો નાશ કરવામાં આવ્યો છે.સોલીડ વેસ્ટ શાખા દ્વારા 4225 કિલો જંતુનાશક દવાનાં પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો છે.
જામનગર શહેર માં ચાંદીપુરા વાયરસ નો 1 શંકાસ્પદ કેઈસ નોંધાયેલ હતો. શહેરમાં ચાંદીપુરા વાયરસ નાં કેઈસ ન નોંધાય તે માટે આગમચેતી નાં પગલાં લેવામાં આવ્યા છે. જેમા શહેરમાં આવેલા 3679 જેટલા કાચાપાકા ઘરોમાં મેલોથીયોન (5 ટકા ) દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. 44 જેટલા કાચાપાકા ઘરોની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. 313 જેટલી આંગણવાડી તથા 274 શાળાઓ ની આસપાસ જંતુનાશક દવાનો છાંટકાવ કરવામાં આવ્યો છે. તેમજ 5 આંગણવાડી તથા 4 સ્કુલ ની અંદર જંતુનાશક દવા નો છાંટકાવ કરવામાં આવેલ હતો.
શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાનાં કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિની નિયંત્રિત કરી શકાય. તે માટે જરૂૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તા.31/7/2024 નાં રોજ આરોગ્ય કેન્દ્રની સુપરવાયઝર-44, સર્વેલન્સ ટીમ-188 દ્વારા વસ્તી-53364, ઘર-11903 તથા 67189 પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવી છે. ઉપરોક્ત ઘરોમાંથી સામન્ય તાવ-87 કેસ જોવા મળેલ જેમની સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત ઘરોમાંથી 260 ઘરોમાં 297 પાણીનાં પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળ્યા હતા . પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે 12852 પાત્રોમાં એબેટ નામની દવા નાખવા માં આવી હતી. તથા 374 પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયુ હતું. શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ 24 જેટલા સ્થળોમાં જંતુનાશકદવાનો છંટકાવ, કરવામાં આવ્યો છે.
ફૂડ શાખાના ચેકિંગમાં 44 પાણીપૂરી વાળા અને પાંચ બરફના એકમો બંધ કરાવાયા
જામનગરમાં કોલેરા ના રોગચાળાને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા અન્ય શાખાઓના સહયોગથી ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પાણીપુરીના ગોલા વેચતા એક ધંધાર્થી અને બરફનું વેચાણ કરતા પાંચ ધંધાર્થીનાં એકમ બંધ કરાવ્યા હતા. અને આખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમા નોંધાયેલ કોલેરા પોઝીટીવ કેસ અન્વયે ફૂડ, શોપ, એસ્ટેટ વિભાગ ની સયુંકત ટીમ દ્વારા ગોકુલનગર , એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીતસાગર રોડ, તળાવની પાળનો ઢાળીયો, રણજીતનગર, હરિયા કોલેજ પાસે , યુવા પાર્ક , આવાસ રોડ, ગુલાબનગર, શ્રીજીહોલ, ન્યુસ્કુલ, રણજીતનગર, મેહુલનગર, એરફોર્સ ગેઈટ, પાણખાણ, હર્ષદમીલની ચાલી, પવનચક્કી, મયુરગ્રીન વગેરે વિસ્તાર મા ખાણીપીણી જેવી કે પાણીપુરી, ગોલા, શેરડીનો રસ, બરફ, ફાસ્ટફૂડ, બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટર ને ત્યાં રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન કરાવી સતત કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા ,સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,તથા ચેકિંગ દરમિયાન 550 ક્લોરીન ની ગોળીનું વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અને 1 ગોલા, 44 પાણીપુરીવાળા, 5 બરફનું વેચાણ બીજો આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરાવવામાં આવ્યું છે. તથા 582 લીટર પાણીપુરી નું પાણી અને 38 કિલો પાણીપુરી નો માવો તેમજ 10 કિલો બરફ કિલો એક કિલો ચટણી ,2000 નંગ પાણીપુરી ની પૂરી નાશ કરવામાં આવ્યો હતો. જો આ પૈકી કોઈ વેચાણ બંધ કરાવેલ જો ફરી ચાલુ થશે તો દુકાનો સિલ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે પ્યોર એક્વા લુઝ ડ્રીન્કીંગ વોટર (અંબાજી નો ચોક ) જી.જી હોસ્પિટલ ના રેસી. ડોક્ટર ને કોલેરા આવતા સદર પાણી નો ઉપયોગ કરતાં હોય બોર તેમજ આર ઓ પાણી ના નમુના લઇ ડીસ્ટ્રીક્ટ લેબ મા મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો