Connect with us

કચ્છ

16 વર્ષે બાવો બોલ્યો, ભુજના નિવૃત્ત ના.કલેકટરની ધરપકડ

Published

on

જમીનના ત્રણ કેસમાં સરકારને રૂા.79.68 લાખનું નુકસાન પહોંચાડ્યું


આજથી 16 વર્ષ પહેલા ભુજના નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા જે.ડી.જોશીએ પોતાની સત્તાની ફરજોથી ઉપરવટ જઈને જમીનોના હુકમ કરી સરકારને 79.68 લાખનું નુકસાન પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મહેસૂલ વિભાગની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ગઇકાલે બહુચરાજીથી ધરપકડ કરવામાં આવી છે અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


ભુજ ગ્રામ્યના મામલતદાર ભરતભાઈ શાહે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, મહેસુલ તપાસણી કમિશનરના હુકમથી ભુજ પ્રાંત અધિકારીની કચેરીમાં ગત તારીખ 31/05 થી 03/06 દરમિયાન આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તત્કાલિન પ્રાંત અધિકારી જે.ડી.જોશીએ પોતે રાજ્ય સેવક હોવા છતાં સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી ફરિયાદ નોંધાવાઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.


ભુજ તાલુકાના માધાપર ગામના અરજદાર રામજી શામજી પીંડોરીયાની માધાપરના જુના સર્વે નંબર 1044 અને નવા સર્વે નંબર 365/1 એકર 7.30 ગુંઠા જમીન જે સરકાર હતી જે જમીન અંગે દબાણો નિયમબદ્ધ કરી આપવા બાબતે લેન્ડ રેવન્યુ કોડની કલમ 135 (એમ) હેઠળ ગેરકાયદે કેસ ચલાવી સરકાર થયેલી જમીન અરજદારને વિનામૂલ્યે આપી સરકારને ₹3,54,400 નું આર્થિક નુકશાન પહોંચાડ્યું હતું. અન્ય અરજદાર એશિયા મોટર વર્કસ લિમિટેડ બિનખેડૂત હોવા છતાં તારીખ 31/01/2006 ના કરવામાં આવેલી અરજીના આધારે અરજદારની ખેતીની જમીન એકર 2.01 ગુંઠા વધારા બાબતે પોતાની પાસે અધિકાર ન હોવા છતાં જમીનનું દબાણ નિયમબદ્ધ કરવાની સ્થાયી સૂચના મુજબ અઢી ગણું પ્રીમિયમ લેવાને બદલે માત્ર 81,950 નજીવી રકમ લઈ અરજદારને આર્થિક ફાયદો પહોંચાડવા સારું સરકારને 39,26,600 નું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ત્રીજા અરજદાર દિલીપકુમાર શ્યામદાસ કબીરપંથીએ ગત તારીખ 20/02/2007ના કરેલી અરજીમાં ભુજ સર્વે નંબર નવા 839/1 એકર 8.23 ગુંઠા અને 832/2 માં 2.23 ગુંઠા મળી કુલ 11.06 ગુંઠામાં માપણી વધારો અને 3 એકર ગુઠા જમીન નિયમિત કરી આપવાની માગણી વધારો સામે જોગવાઈ ન હોવા છતાં ગેરકાયદે હુકમ કરીને સરકારને દબાણ નિયમિત કરવાના અઢી ગણાં દંડની રકમ રૂૂપિયા 15,78,225 ના વસુલી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. તેવી જ રીતે સૃજન ટ્રસ્ટ વતી મેનેજિંગ ટ્રસ્ટી ચંદાબેન શ્રોફે ગત તારીખ 22/01/2008 ના રોજ અરજી કરી હતી. જેમાં પધ્ધરના જુના સર્વે નંબર 47 પૈકી એકર 4.06 ગુઠા તથા જુના સર્વે નંબર 47 પૈકી 4.05 ગુઠા કુલ જમીન એકર 8.11 ગુંઠા અને નવા સર્વે નંબર 705 પૈકી એકર 4.07 ગુંઠા તથા 705 પૈકી બે 4.08 ગુઠા કુલ ક્ષેત્રફળ એકર 8.15માં માપણી વધારો એકર 0.04 ગુઠા નિયમિત કરવા માંગણી મુક્તી અરજી કરવામાં આવી હતી.


આ અરજી કામે દબાણ નિયમબદ્ધ કરવાની માંગણી અંગે જરૂૂરી કાર્યવાહી ન કરી જમીનનું દબાણ નિયમિત કરી 1.08 લાખ પ્રીમિયમ લેવાના બદલે માત્ર 10 રૂૂપિયા જેવી નજીવી રકમ વસૂલી સરકારને 1.08 લાખનું આર્થિક નુકસાન કર્યું હતું. આરોપીએ ઉપરોક્ત 4 અરજદારોની અરજી સંદર્ભે સરકારી ધારા ધોરણો અને નીતિ નિયમ મુજબ કરવાની થતી કાર્યવાહી ન કરી! રાજ્ય સેવકની ફરજ ન નિભાવી, કાયદાના આદેશની અવજ્ઞા કરી સરકારને કુલ રૂૂપિયા 79,67,555 નું આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ભુજ ગ્રામ્ય મામલતદાર દ્વારા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસ શરૂૂ કરવામાં આવી છે.
ગુજરાત સરકારના મહેસુલ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ફરિયાદ દાખલ કરવા સૂચના અપાતા કચ્છ કલેકટર દ્વારા ભુજ ગ્રામ્ય મામલતદારને પોલીસમાં ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી. જે બાદ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. નોંધનીય છે કે, આરોપી પ્રાંત અધિકારી હાલમાં નિવૃત્ત છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 28 માર્ચ 2007 થી 30 એપ્રિલ 2008 દરમિયાન તત્કાલીન પ્રાંત અધિકારીએ આ જમીન કૌભાંડ આચર્યું હતું. હાલમાં તેઓ નિવૃત્ત હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છ

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

Published

on

By

દેણાના કારણે પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી

આંબિવલીમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જ ડિસ્ક જોકી (ઉઉં) તરીકે પણ કામ કરતા 48 વર્ષના નરેન્દ્ર વિકમાણીએ દેવું થઈ જવાથી હતાશ થઈને ગળાફાંસો ખાઈને રવિવારે જીવન ટૂંકાવી દીધું હતું. તેમણે મરતાં પહેલાં સુસાઇડ-નોટ લખી હતી અને એમાં લેણદારોને ઉદ્દેશીને લખ્યું હતું કે કરજ મેં લીધું હતું પણ હું એ ચૂકવી શક્યો નથી, પણ તમે મારી પત્ની કે મારા દીકરાને એ માટે હેરાનન કરતા.


મૂળ કચ્છના કોટડા (રોહા)ના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના નરેન્દ્ર વિકમાણી આંબિવલીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારની કરિયાણાની દુકાન છે. તેમના એક સંબંધીએ કહ્યું હતું કે કરજ કંઈ બહુ વધારે નહોતું, પણ તેણે ઘરમાં કોઈને કહ્યું જ નહીં અને એકલો-એકલો મૂંઝાતો રહ્યો. તેના પરિવારમાં પત્ની અને 20 વર્ષના દીકરાનો સમાવેશ છે. દીકરો જોબ કરે છે. તેણે સુસાઇડ-નોટમાં લેણદોરોને કહ્યું છે કે મારી પત્ની અને દીકરાને હેરાન ન કરતા.


અન્ય એક સંબંધીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈના પિતા વલ્લભભાઈએ વર્ષો પહેલાં કરિયાણાની દુકાન ચાલુ કરી હતી. તેમને નરેન્દ્ર, જયેશ, ભાવેશ અને મનોજ એમ ચાર દીકરા હતા. જેમ-જેમ દીકરા મોટા થતા ગયા એમ પોતપોતાનો અલગ-અલગ વ્યવસાય કરતા ગયા. નરેન્દ્રભાઈ પિતાની દુકાન પણ ચલાવવાની સાથે ડિસ્ક જોકી પણ હતા. તેમણે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું અને પછી એ ચલાવવા ટેમ્પો પણ લીધો હતો. થોડા જ વખતમાં તેઓ નરુ કા ઉઉં તરીકે ફેમસ થઈ ગયા હતા.

જોકે આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું જતું હતું, પણ સામે પેમેન્ટ મોડું આવતું હોવાથી દેવું થતું જતું હતું. તેમણે જો કોઈને કહ્યું હોત તો રસ્તો નીકળી શક્યો હોત, પણ એવું થાય એ પહેલાં જ અંતિમ પગલું લઈ લીધું. રવિવારે સાંજે નીકળેલી તેમની અંતિમયાત્રામાં 50 કરતાં વધુ યુવાનો જોડાયા હતા.

Continue Reading

કચ્છ

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

Published

on

By

રાપર તાલુકાના ગાગોદર ગામે પાણીના ખાડામાં કપડા ધોતી વખતે અને ન્હાતી વખતે સાત બાળકો પાણીમાં ડુબવા લાગ્યા હતો. જે પૈકી સલેમાન ધોનાની દિકરી તથા ઉમરદિન ધોનાના પત્ની એવા સેનાજબેન (ઉ.વ. 24) તથા તેમના કુટુંબિ ભાઈ ફારૂૂક હબીબ ધોના (ઉ.વ. 16)નું મોત થયું હતું. જ્યારે અન્યોને બચાવી લેવાયા હતા.
કાનમેર ગામમાં રહી મજુરી કામ કરનાર પરિવારની મહિલાઓ સાથે આજે બપોરે બાળકો પણ કપડાં ધોવા, ન્હાવા ગયા હતા. ગામમાં પશ્ચિમ બાજુએ આવેલા પાણીના ખાડા પાસે આ પરિવારજનો બપોરે પહોંચ્યા હતા જેમાં બે મહિલાઓ કપડાં ધોઈ રહ્યાં હતા.


જ્યારે બાળકો થોડા આગળના ભાગે ન્હાઈ રહ્યાં હતા. ખાડામાં ન્હાતી વખતે ફારૂૂક આગળ નિકળી જતાં તે ડૂબવા લાગ્યો હતો. તેણે રાડા રાડ કરતાં તેના કુટુંબિ બહેન શેનાજ તેને બચાવવા ગયા હતા અને બંને પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગ્યા હતા. આ જોઈને પરિવારના અન્ય કિશોર, કિશોરીઓ તેમને બચાવવા જતાં સાત બાળકો ડૂબી રહ્યાં હતાં. રાડારાડના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ સાત બાળકો પૈકી અમુકને તરતા આવડતા તે નિકળી ગયા હતા અને અન્યોને લોકોએ રસ્સી વડે બહાર ખેંચી લીધા હતા. જ્યારે મહિલા અને તેના કુટુંબિ ભાઈ ફારૂૂક પાણીમાં ગરક થયા હતા. બાદમાં આ બંનેને બહાર કાઢીને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબિબો બંનેને મૃત જાહેર કરાયા હોવાનું ગાગોદરના પી.આઈ. બી. એ. સેંગલએ જણાવ્યું હતું. હર્ષોલ્લાસના ઈદ પર્વના બીજા દિવસે એકીસાથે ભાઈ-બહેનના મોતને પગલે સમગ્ર પંથકમાં ભારે માતમ છવાયો હતો.

Continue Reading

કચ્છ

કચ્છમાં ઇદના દિવસે બોલેરોના ચાલકે આઠ વર્ષના બાળકને કચડી નાખતાં મોત

Published

on

By

આજે સવારે ખાવડાની કોટડા ચેકપોસ્ટ પાસે ધ્રોબાણાના ધુબારાવાંઢનું આઠ વર્ષીય બાળક રિઝવાન રાજપાર સમા માર્ગ પર પગે જઇ રહ્યું હતું, ત્યારે બોલેરોએ તેને કચડી નાખતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. ઇદના દિવસે જ પરિવાર પર આભ તૂટી પડયું હતું, જ્યારે અંજારમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ખાવડા પાસેની કોટડા ચેકપોસ્ટ નજીક થયેલા કરુણ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં ધ્રોબાણા ધુબારાવાંઢ (ખાવડા)નો આઠ વર્ષીય માસૂમ રિઝવાન રસ્તો પાર કરી રહ્યો હતો ત્યારે બાલેરો નં. જી.જે. 12 સી.ટી. 5654એ તેને કચડી નાખતાં માથા તથા પગમાં ગંભીર ઇજાનાં પગલે ઘાયલ થયો હતો. પ્રથમ ખાવડા બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો.

આ અકસ્માત અંગે રિઝવાનના કાકા રસીદ જાકબ સમાએ વિગતો જાહેર કરી ખાવડા પોલીસ મથકે બોલેરોચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ઇદના દિવસે જ આ ગોઝારી ઘટનાથી પરિવાર અને સંબંધીઓ પર આભ તૂટી પડયું હતું. બીજી તરફ અંજારમાં જેસલ તોરલ નજીક આવકાર ગેસ્ટહાઉસ, તુલસી સોડા શોપની બાજુમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ભિક્ષુક જેવો લાગતો આ યુવાન ગઇકાલે સવારે બેભાન મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનના પગમાં પાટો બાંધેલો છે. તેના સંબંધીઓએ અંજાર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Continue Reading
રાષ્ટ્રીય13 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય13 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત13 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત13 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત13 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય13 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય13 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય13 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય13 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય13 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

રાષ્ટ્રીય15 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

જૂનાગઢની સગીરા સાથે ગેંગરેપ પ્રકરણમાં રાજકોટની હોટલના મેનેજર સહિત 4 ઝડપાયા

Trending