કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને માર પડ્યો

10 શખ્સો સામે હુમલાની નોંધાઈ ફરિયાદ જામનગર તાલુકાના મોડપર ગામમાં રહેતા માલધારી પરિવારના પાંચ સભ્યો સગપણ કરવા માટે કાલાવડ ટાઉન માં ગયા હતા, જ્યાં 10…

10 શખ્સો સામે હુમલાની નોંધાઈ ફરિયાદ

જામનગર તાલુકાના મોડપર ગામમાં રહેતા માલધારી પરિવારના પાંચ સભ્યો સગપણ કરવા માટે કાલાવડ ટાઉન માં ગયા હતા, જ્યાં 10 જેટલા શખ્સોએ ઉશ્કેરાઈ જઈ પાંચેય વ્યક્તિ પર હુમલો કરી દીધા ની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે, જે મામલે કાલાવડ ટાઉન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર તાલુકાના મોડપર ગામમાં રહેતા અને માલધારી તરીકે નો વ્યવસાય કરતા લાલસુરભાઈ ઉર્ફ લાલાભાઇ હીરાભાઈ ઘોડા નામના 46 વર્ષના ગઢવી ચારણ યુવાન કે જેઓ ગઈકાલે પોતાના પરિવારના અન્ય સભ્યો મેરાભાઈ, હાજાભાઇ, અમરાભાઇ વગેરેને સાથે રાખીને કાલાવડ ટાઉનમાં રહેતા હેમશીભાઈ પોલાભાઈ ના ઘેર તેમની બહેન રામીબેનના સગપણ ની વાત કરવા માટે ગયા હતા.

જે દરમિયાન કાનાભાઈ દેપાળભાઈ માલાણી સહિત 10 જેટલા સભ્યોએ આવીને હંગામો કર્યો હતો, અને તમામને ધોકા લાકડી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવ્યા હતા, જેથી આ મામલો કાલાવડ પોલીસમાં લઈ જવાયો હતો.

જ્યાં પોલીસે લાલસુર ભાઈ ની ફરિયાદના આધારે કાનાભાઈ માલાણી, ગોગન દેપાળભાઈ માલાણી, રણછોડ દેવપાલભાઈ માલાણી, દાનાભાઈ ગોગનભાઈ માલાણી, પીઠાભાઈ સોમનાથભાઈ માલાણી હેલારભાઈ ખીમકરણ માલાણી, રાજલ નાથાભાઈ માલાણી માણસી પાતાભાઈ માલાણી,43 હરજુગ પાતાભાઈ માલાણી, અને જખરા પોલાભાઈ માલાણી સામે ગુ નોંધ્યો છે અને તમામ આરોપીઓને પોલીસ શોધી રહી છે.
ફરિયાદી અને તેના પરિવારના સભ્યો રામિબેનના સગપણ ની વાત કરવા માટે ગયા હતા, ત્યાં આરોપીઓને આ સંબંધ પસંદ ન હોવાથી હુમલો કરી દીધા પોલીસમાં જાહેર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *