ભીષણ યુધ્ધના ભણકારાથી ઇરાનમાં ફફડાટ: પ્રજાના ફોનમાં ભેદી સંદેશાઓ

ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો 2026ના પ્રારંભથી જ વણસેલા હતા, પરંતુ ગઈકાલની ઘટનાએ તણાવને તેની ચરમસીમાએ પહોંચાડી દીધો છે. 23 ફેબ્રુઆરીની રાત્રે ઈરાનમાં લાખો લોકોના…

ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો 2026ના પ્રારંભથી જ વણસેલા હતા, પરંતુ ગઈકાલની ઘટનાએ તણાવને તેની ચરમસીમાએ પહોંચાડી દીધો છે. 23 ફેબ્રુઆરીની રાત્રે ઈરાનમાં લાખો લોકોના ફોન પર ફારસી ભાષામાં એક એસએમએસ આવ્યો, જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટૂંક સમયમાં લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી હતી. આ મેસેજ કોણે મોકલ્યો તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ તેહરાનના બજારોમાં અને સોશિયલ મીડિયા પર અત્યારે માત્ર યુદ્ધની જ ચર્ચાઓ થઈ રહી છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ઈરાન પ્રત્યે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકાએ ભૂમધ્ય સમુદ્ર અને પર્સિયન ગલ્ફમાં મોટા પાયે સૈન્ય જમાવટ શરૂૂ કરી દીધી છે. લેબનોન સ્થિત અમેરિકી દૂતાવાસમાંથી ડઝનેક કર્મચારીઓને રાતોરાત એરલિફ્ટ કરવામાં આવ્યા છે, જે સૂચવે છે કે અમેરિકા કોઈ મોટા ઓપરેશનની તૈયારીમાં છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે 26 ફેબ્રુઆરીના રોજ જીનીવામાં બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે મહત્વની બેઠક યોજાવાની છે.ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને ચેતવણી આપી છે કે ઈરાન પર લશ્કરી દબાણ કામ નહીં કરે. અરાઘચીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમે અમારા પરમાણુ અધિકારો પર કોઈ સમજૂતી નહીં કરીએ. જો અમેરિકા હુમલો કરશે, તો તેહરાન તેનો જડબાતોડ જવાબ આપશે. ઈરાનનો દાવો છે કે તેનો કાર્યક્રમ માત્ર ઉર્જા માટે છે, જ્યારે અમેરિકા માને છે કે ઈરાન ગુપ્ત રીતે પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે.

યુદ્ધની વધતી સંભાવનાને જોતા ભારત, સ્વીડન, પોલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ તેમના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની અથવા સતર્ક રહેવાની સલાહ આપી છે. યુરોપિયન યુનિયને વિદેશ નીતિના વડા કાજા કલ્લાસ મારફતે અપીલ કરી છે કે વિશ્વ વધુ એક યુદ્ધ સહન કરી શકે તેમ નથી અને રાજદ્વારી માર્ગે જ ઉકેલ લાવવો જોઈએ.

26 ફેબ્રુઆરીની જીનીવા બેઠક હવે નિર્ણાયક બની રહેશે. જો વાટાઘાટો નિષ્ફળ જશે, તો મધ્ય પૂર્વમાં એવો ભડકો થઈ શકે છે જેની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને શાંતિ પર પડશે. મોબાઈલ પર આવેલા એક મેસેજે જે ગભરાટ ફેલાવ્યો છે, તે સાચો સાબિત થશે કે તે માત્ર એક માનસિક યુદ્ધ (ઙતુભવજ્ઞહજ્ઞલશભફહ ઠફરિફયિ) છે, તે તો આવનારો સમય જ કહેશે.

ઈરાનમાં આંતરિક સંઘર્ષ એક તરફ સરહદ પર યુદ્ધનો ખતરો છે, બીજી તરફ ઈરાન પોતે આંતરિક બળવા સામે ઝઝૂમી રહ્યું છે. તેહરાન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને ઇસ્લામિક શાસન સામે મોરચો માંડ્યો છે. 1979ની ક્રાંતિના પ્રતીકોને સળગાવવામાં આવી રહ્યા છે. હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (ઇંછઅગઅ) મુજબ, જાન્યુઆરીથી અત્યાર સુધીના વિરોધ પ્રદર્શનોમાં લગભગ 7,000 લોકોએ જીવ ગુમાવ્યા છે, જોકે ઈરાન સરકાર આ આંકડાને નકારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *