અજિંક્ય રહાણેનું કહેવું છે કે અફઘાનિસ્તાન વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝમાં ભારતને વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ 11માંથી બહાર રાખવો જોઈએ. રહાણેએ સંજૂ સેમસનનું સમર્થન કર્યું છે. તેનું કહેવું છે કે સંજૂ સેમસનને અભિષેક શર્મા સાથે ઇનિંગની શરૂૂઆત કરવાનો મોકો મળવો જોઈએ, જેથી તે ટોપ ઓર્ડરમાં પોતાની જગ્યા મજબૂત કરી શકે.
2026 ટી20 વિશ્વ કપમાં ભારતીય ટીમની શાનદાર જીત બાદ ટીમ મેનેજમેન્ટ ટોચના ત્રણ બેટ્સમેનોના ક્રમ સાથે સતત પ્રયોગ કરી રહ્યા છે. વિશ્વ કપ દરમિયાન સંજૂ સેમસન, અભિષેક શર્મા અને નંબર ત્રણ પર ઈશાન કિશનની ત્રિપુટીએ ભારતની ખિતાબી સફળતામાં સતત મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. જો કે આ શાનદાર લય છતાં સંજૂ સેમસનને ઇંગ્લેન્ડ પ્રવાસ પર સતત ત્રણ ખરાબ ઇનિંગ બાદ ટીમમાંથી બહાર કરી દીધો.
બીજી તરફ, ખાલી 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ઇંગ્લેન્ડમાં પોતાના ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો.
જો કે સૂર્યવંશી પણ પોતાની શરૂૂઆતની ત્રણ મેચમાં કંઈ ખાસ છાપ છોડી શક્યો નહીં. પરિણામે ઇંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં સંજૂ સેમસનને ફરી એક વાર મોકો આપવો પડ્યો. ત્યાર બાદ ઝિમ્બાબ્વેના ટી20 પ્રવાસ માટે જ્યારે ભારતીય ટીમનું સિલેક્શન થયું તો સેમસનને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો. જો કે બીસીસીઆઈએ એ સ્પષ્ટ કર્યું કે, તેને ખાલી આરામ આપવામાં આવ્યો હતો. ભારતે આ સિરીઝ માટે એશિયન ગેમ્સવાળી ટીમને યથાવત રાખી, જેમાં સેમસન અને સૂર્યવંશી બંને હશે.
ટીમ સંયોજનને લઈ ચાલી રહેલા આ માથાકૂટની વચ્ચે અજિંક્ય રહાણેએ પોતાના સત્તાવાર યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કરતા પોતાનો મત રજૂ કર્યો છે. રહાણેએ કહ્યું કે, જે ખેલાડીએ વિશ્વકપ જીતાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, તેના પર જ સૌથી પહેલા વિશ્વાસ મુકવો જોઈએ. રહાણેનું કહેવું છે કે, સંજૂ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાલી બે અથવા ત્રણ ખરાબ ઇનિંગ્સના આધાર પર તેને બહાર કરી દેવો યોગ્ય નિર્ણય નથી. તે ઇચ્છે છે કે, સંજૂને પોતાની પ્રતિભા સાબિત કરવાનો એક મજબૂત મોકો મળવો જોઈએ.
