દ્વારકાના જગતમદિરમાં 11 હજાર દિવડા પ્રગટાવી ઉજવાશે દેવદિવાળી

કારતક મહિનામાં દીવડાની પુજા તથા દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે દ્વારકાધીશના જગતમંદિરમાં આવેલા રાણીવાસમાં કારતક સુદ પુર્ણિમા એટલે કે દેવદિવાળીના પાવન અવસરે સાંજના સમયે લક્ષ્મીજીના…

કારતક મહિનામાં દીવડાની પુજા તથા દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે દ્વારકાધીશના જગતમંદિરમાં આવેલા રાણીવાસમાં કારતક સુદ પુર્ણિમા એટલે કે દેવદિવાળીના પાવન અવસરે સાંજના સમયે લક્ષ્મીજીના મંદિર સન્મુખ અલગ-અલગ પ્રકારની રંગોળીઓ બનાવીને તેમાં અગીયાર હજાર દીવડાઓને પ્રગટાવી પરિસરનું સુશોભન સાથે કરી રંગોળી કરીને દેવદિવાળીનો ઉત્સવ મનાવવામાં આવશે. તેમ શારદાપીઠ જગત મંદિરમાં સંચાલિત વિવિધ મંદિરોની સેવા-પૂજાનો ક્રમ સંભાળતા વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

કાર્તિક પૂર્ણિમાના દીપ પ્રજવલિત કરી તેના દર્શનથી સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દેવદિવાળીના દિવસે જે કોઈ વ્યકિત પરમાત્માનું સ્મરણ કરી, દીવા કરે તેઓ સર્વ પાપોમાંથી મુકત થાય છે. આ દીપ પ્રાગટય અને તેના દર્શન થકી તેને સુખ-શાંતિ, સમૃધ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે.

દેવદિવાળીની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણવિરામ પામે છે અને તે સાથે જ શરૂૂ થાય છે શુભ લગ્નોની સિઝન એટલે કે લગ્નોત્સવ. લગ્નોત્સુક યુવક-યુવતીઓના પરિવારોમાં શુભ મુહુર્ત દિને તોરણો બંધાય છે મંગળગીતો ગવાય છે અને ઢોલ ઢબુકે છે. અને વરક્ધયા પ્રભુતામાં પદાર્પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *