ખંડણીના ગુનામાં કિર્તી પટેલની જામીન અરજી ફગાવી દેતી કોર્ટ

સુરતમાં નોંધાયેલા ખંડણી કેસમાં કીર્તિ પટેલને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. સુરત કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટ સમક્ષ રજૂ થયેલી માહિતી મુજબ…

સુરતમાં નોંધાયેલા ખંડણી કેસમાં કીર્તિ પટેલને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. સુરત કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટ સમક્ષ રજૂ થયેલી માહિતી મુજબ કીર્તિ પટેલ સામે અગાઉથી 15 જેટલા કેસ નોંધાયેલા છે. આ ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં લેતાં કોર્ટે જામીન મંજૂર કરવાનો ઇનકાર કર્યો છે. ખંડણી કેસમાં જામીન અંગેની સુનાવણી દરમિયાન આરોપીના અગાઉના ગુનાહિત રેકોર્ડનો મુદ્દો મહત્વપૂર્ણ બન્યો હતો. કોર્ટે નોંધ્યું કે આરોપીને તેમના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના જામીન પર મુક્ત કરવામાં આવે તો સમાજમાં વિપરીત સંદેશ જઈ શકે છે. પરિણામે કોર્ટે જામીન અરજી નામંજૂર કરવાનો નિર્ણય લીધો છે. આમ, હાલના ખંડણી કેસમાં કીર્તિ પટેલને કોર્ટમાંથી રાહત મળી નથી.

જામીન અરજી ફગાવવાનો અર્થ એ નથી કે કોર્ટ દ્વારા હાલના ખંડણી કેસમાં આરોપ સાબિત થઈ ગયો છે. જામીન અંગેનો નિર્ણય અને ટ્રાયલમાં આરોપની અંતિમ સાબિતી બે અલગ કાનૂની તબક્કા છે. કેસની આગળની કાર્યવાહી દરમિયાન પુરાવા અને બંને પક્ષોની દલીલોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *