નીરવ મોદીને ભારત લાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ, સીબીઆઈ ટીમ લંડન પહોંચી

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી, ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ટૂંક સમયમાં ભારત પરત લાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના પ્રત્યાર્પણ…

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી, ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ટૂંક સમયમાં ભારત પરત લાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના પ્રત્યાર્પણ માટેના કાનૂની અવરોધો લગભગ દૂર થઈ ગયા છે. તેણે બ્રિટનમાં લગભગ તમામ મુખ્ય કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરી લીધો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની એક ખાસ ટીમ લંડન પહોંચી ગઈ હોવાના અહેવાલ છે, જેનાથી ચિંતા વ્યક્ત થઈ રહી છે કે નીરવ મોદીને ગમે ત્યારે ભારત લાવવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની ટીમ, જે હાલમાં લંડનમાં છે, તેણે યુકેના અધિકારીઓ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (ઈઙજ) સાથે મુલાકાત કરી છે. આ બેઠકનો મુખ્ય હેતુ નીરવ મોદીના પ્રત્યાર્પણ સંબંધિત અંતિમ કાગળકામ અને સુરક્ષા વ્યવસ્થાને અંતિમ સ્વરૂૂપ આપવાનો છે. અધિકારીઓ પ્રત્યાર્પણ પ્રક્રિયાને અંતિમ સ્વરૂૂપ આપી રહ્યા છે.(CBI) ટીમ કાલે, ગુરુવાર (16 એપ્રિલ) ભારત પરત ફરશે. આ ટીમના રિપોર્ટના આધારે, પ્રત્યાર્પણનો અંતિમ ઓપરેશનલ તબક્કો હાથ ધરવામાં આવશે. લંડનથી પરત ફર્યા બાદ, CBI ટીમ લગભગ બે અઠવાડિયામાં ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ (ECHR) માં પણ જશે અને નીરવ મોદી કેસમાં પોતાની દલીલો રજૂ કરશે.

નીરવ મોદીએ પોતાનો બચાવ કરવા માટે ECHRનો સંપર્ક કર્યો છે. જોકે, ભારતીય તપાસ એજન્સીઓને વિશ્વાસ છે કે તેમની અરજી ત્યાં પણ ટકી રહેશે નહીં. CBI ત્યાં મજબૂત દલીલ કરશે કે નીરવ મોદીને ભારત મોકલવામાં કોઈ માનવાધિકાર ઉલ્લંઘન થઈ રહ્યું નથી.યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ (ECHR) એ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી ગુપ્ત રાખવાની મંજૂરી આપી છે. ECHRએ સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં સુનાવણી ગુપ્ત રહેશે અને સમગ્ર કાર્યવાહી ખાનગી રીતે હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *