રાજ્યભરમાં લોકો ગાત્રો ધ્રૂજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, એક સપ્તાહ કરતાં વધુ સમયથી રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં 4-5 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, તાપમાનની તીવ્રતા નજીકના ભવિષ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે અને શહેરવાસીઓને ઠંડી સાથે સંઘર્ષ કરવો પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ જો તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન 7.5 ડિગ્રી અને રાજકોટ મહાનગરોમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે, રાજકોટમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી 13 ડિગ્રી નોંધાયું હતું. , વડોદરા 14 ડિગ્રી, સુરત 15.4 ડિગ્રી, કેશોદ 10.1 ડિગ્રી, અમરેલી 11.8 ડિગ્રી, સુરેન્દ્રનગર 12.2 ડિગ્રી, ભાવનગર 13.5 ડિગ્રી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. તે આગામી બે દિવસમાં વધુ સ્પષ્ટ થશે. આ પછી, તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તમિલનાડુ કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. તમિલનાડુના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટાભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન વધુ નોંધાય તેવી શક્યતા છે. ઠંડીના મોજાના દિવસો ઓછા રહેશે: ઉત્તર પશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં ઓછા શીત લહેરના દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. ઉત્તરથી દક્ષિણ તરફ તીવ્ર ઠંડીનું મોજું ફૂંકાઈ રહ્યું છે. હિમાચલમાં હિમવર્ષાના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાનો રંગ બતાવવાનું શરૂૂ કરી દીધું છે. પરંતુ આગામી ડિસેમ્બરના દિવસો વધુ ડરામણા હશે તેવો અંદાજ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.
બે દિવસ માવઠાની આગાહી
કાતીલ ઠંડીના દોર વચ્ચે હવામાન વિભાગે આગામી તા 27-28 ના ગુજરાતના કેટલાક વિસ્તારમા વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોને પાકનાં રક્ષણ માટે કેટલાક તકેદારીનાં પગલાં લેવાનું પણ કહેવાયું છે. વિભાગે સલાહ આપતા જણાવ્યું કે, ખુલ્લા અનાજને પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાંની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાંની નીચે જતું અટકાવવું જોઈએ. ઉપરાંત, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવોની પણ અપીલ કરાઈ છે. ખાતર અને બિયારણનાં વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા સહિતની તકેદારીઓની ડિઝાસ્ટર મામલતદાર દ્વારા પણ અપીલ કરાઈ છે.
