Connect with us

ગુજરાત

રાજકીય પક્ષોને દાનમાં કાળા-ધોળાના ખેલમાં CID ભાઠે ભરાયું

Published

on

ઈન્કમટેકસ કાયદાનો ભંગ થયાની ફરિયાદ નોંધી અને ઈન્કમટેક્સ વિભાગે ખુદે કાર્યવાહી કરી નથી !

હાઈકોર્ટમાં એડી.ડી.જી.પી.અને પી.આઈ.ને તેડું, આરોપીઓ સામે હાલ કાર્યવાહી ન કરવા રાહત

રાજકીય પક્ષોને મળતું દાન ઈન્કમટેક્ષ ફી હોય છે પણ આ દાનમાં મોટા પાયે કાળા-ધોળા કરવાનો ખેલ ઉજાગર કરવામાં હવે અમદાવાદ ક્રાઈમનું સીઆઈ સેલ ભાઠે ભરાવું છે. બે દિવસ અગાઉ બુધવારે થયેલ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એડી.ડી.જી.પી.સીઆઈ ક્રાઈમ, ફરિયાદ દાખલ કરનાર પી.આઈ અને સરકારનો જવાબ માંગ્યો છે.


સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનારી આ ઘટનાની ફરિયાદ અમદાવાદ ઝોન સીઆઈડી ક્રાઈમ પોલીસમાં 25 મેના રોજ દાખલ થઈ હતી. આ એફઆઈઆર મુજબ, રાજકીય પક્ષો તેમજ ટ્રસ્ટના બેંક એકાઉન્ટનો દુરઉપયોગ કરી કરોડો રૂૂપિયાની બેનંબરી હેરાફેરી કરતા શખ્સની બાતમી CI Cell ઈન્ચાર્જ પીઆઈ એ. સી. ઈસરાની (A C Israni PSI) ને મળી હતી. અમદાવાદમાં નવરંગ સ્કુલ પાસે આવેલા નિરવ કોમ્પલેક્ષમાં ગત 25 મેના રોજ CID Crimeની ટીમે દરોડો પાડી ઉમંગ વિનોદભાઇ દરજીની ઑફિસમાંથી 80 હજારની રોકડ સહિત મોટી માત્રામાં દસ્તાવેજો કબજે કર્યા હતા. જેમાં ગુજરાત નવ નિર્માણ સેના, ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી, રાષ્ટ્રીય જનતારાજ પાર્ટી, કેટલાંક ચેરીટેબલ ટ્રસ્ટના દસ્તાવેજો, રાજકીય પક્ષો, ખાનગી પેઢીઓ તેમજ અન્ય શખ્સોની જુદીજુદી બેંકોની પાસબુકો, સહી કરેલી ચેકબુકો, અલગ અલગ શખ્સોના આધારકાર્ડ, પાનકાર્ડની નકલો, ઈન્કમટેક્સ રિર્ટન, જુદીજુદી કંપનીઓના મોબાઈલ સીમ કાર્ડ, સંખ્યાબંધ બનાવટી રબર સ્ટેમ્પ તેમજ દસ્તાવેજો હતા. આ મામલે ગુજરાત નવનિર્માણ સેના (Gujarat Navnirman Sena) સહિત 8 રાજકીય પક્ષના અધ્યક્ષ, ઉમંગ દરજી સહિત 22ને નામ જોગ આરોપી દર્શાવાયા હતા.

FIR માં દર્શાવેલા આરોપીઓ રાજકીય પક્ષોને દાન આપવાથી ઈન્કમટેક્સમાં મળતી રાહતનો દુરઉપયોગ (Tax Evasion) કરી 4 વર્ષમાં 1 હજાર કરોડ રૂૂપિયાની બોગસ/ભાડાના ખાતાઓ થકી હેરાફેરી કરી સરકારને ચૂનો લગાવતા હતા. આ મામલે પીએસઆઈ એ. સી. ઈસરાનીએ સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલે કરોડોના કાળા-ધોળા કરવાના (Money Laundering) કેસમાં રાજકીય પાર્ટીના અધ્યક્ષોને નામ જોગ આરોપી દર્શાવી દીધા. રાજકીય પક્ષોએ કરોડો રૂૂપિયાના દાનની રકમમાં કરેલી ગરબડનો મામલો ઈન્કમટેક્સ વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આવકવેરા વિભાગની કોઈપણ મંજૂરી સીઆઈડી ક્રાઈમના અધિકારીએ મેળવી ન હતી.


ફરિયાદમાં દર્શાવાયેલી રાજકીય પાર્ટીના અધ્યક્ષના સેશન્સ કોર્ટ તેમજ હાઇકોર્ટમાં આગોતરા જામીન ના મંજૂર થયા હતા. બીજી તરફ આ કેસમાં સીઆઈડી ક્રાઈમ બે આરોપીની ધરપકડ કરી ચૂકી હતી. આગોતરા જામીન ના મંજૂર થયા બાદ રાજકીય પક્ષના અધ્યક્ષે ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પિટીશન દાખલ કરી હતી. સીઆઈડી ક્રાઈમે ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવેલા રાજકીય પાર્ટીના અધ્યક્ષને એકપણ વખત કારણદર્શક નોટિસ આપી ન હતી. આ ઉપરાંત ઈન્કમટેક્સ વિભાગના દાયરામાં આવતી કામગીરી પોલીસ બારોબાર કરવા જઈ રહી હતી. તમામ બાબતો હાઇકોર્ટ સમક્ષ થયેલી દલીલોમાં ઉજાગર થતા તપાસની પોલ ખુલી ગઈ હતી.


સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલે આટલો મોટો ગોટાળો કેમ કર્યો અને કોના કહેવાથી આવી ચર્ચાઓ ગાંધીનગર પોલીસ ભવન (ઙજ્ઞહશભય ઇવફદફક્ષ ૠફક્ષમવશક્ષફલફિ) માં જોર પકડ્યું છે. હાઇકોર્ટમાં કરાયેલી પિટીશનમાં ગુજરાત સરકાર, સીઆઈડી ક્રાઈમના વડા અને સરકાર તરફે ફરિયાદ નોંધનાર પોલીસ અધિકારીને પક્ષકાર બનાવાયા છે. આ કેસ વધુ સુનાવણી 27 નવેમ્બરે હાથ ધરાશે.

ઈન્કમટેકસ વિભાગની કાર્યવાહી પોલીસ દ્વારા કઈ રીતે કરાઈ ? : હાઈકોર્ટ

આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે ભારતમાં ઈન્કમટેકસ, જીએસટી કે એકસાઈઝ ગમે તે કાયદા હોય તેમાં કાર્યવાહી કઈ રીતે કરવી તે ખૂબ જ સ્પષ્ટ છે. ઈન્કમટેકસમાં પણ સામાન્ય રીતે આર્થિક ગોટાળાની શંકા હોય તો શો-કોઝ નોટિસ આપવામાં આવે છે. નોટિસ બાદ અધિકારીને જવાબથી સંતોષના થાય તો કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ કેસમાં ઈન્કમટેકસ દ્વારા કોઈ નોટિસ જ ન મળી હોવાનું અરજદાર અતુલ દવે એ હાઈકોર્ટને જણાવ્યું હતું. હાઈકોર્ટ હાજર ઈન્વેસ્ટીંગ ઓફિસરને પણ પુછયું કે ઈન્કમટેકસ દ્વારા કોઈ કાર્યવાહીની તમને જાણ છે ? ત્યારે તેમણે જાહેર હતું કે ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ કાર્યવાહી કરવાનું તેમના ધ્યાને નથી. તેમણે ફકત ઈન્કમટેકસ રીપોર્ટના આધારે ફરિયાદ દાખલ કરી હતી. હાઈકોર્ટ આશ્ર્ચર્ય વ્યકત કર્યુ હતું કે પોલીસે આઈટીના 80 જીજીબી અને 80 જીજીસી કાયદાનો ગેરલાભ લેવાની ફરિયાદ કઈ રીતે નોંધી છે.

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

Published

on

By

શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો

રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય4 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય4 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય4 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય5 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય5 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય5 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત5 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય5 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ5 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય5 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય1 day ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

રાષ્ટ્રીય1 day ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ1 day ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

ગુજરાત1 day ago

પરાપીપળિયામાં બે એકર સરકારી જમીન ઉપરથી દબાણો હટાવતું તંત્ર

Trending