Connect with us

ગુજરાત

ચાંદીપુરા દર્દીથી દર્દીમાં ફેલાતો રોગ નથી, ડરો નહીં: ડો.મોનાલી માંકડિયા

Published

on

સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા રોગ સામે લડવા તમામ સુવિધા ઉપલબ્ધ: ડો.પંકજ બૂચ

હાલમાં 8 દર્દીઓ સારવારમાં, ત્રણ પોેઝિટિવ, પાંચ શંકાસ્પદ: ડો.હેતલ કયાડા

અત્યાર સુધીમાં 8 દર્દીનો ભોગ લીધો: દર્દી કે વાલીઓની બેદરકારી ગંભીર પરિણામ નોતરી શકે: તબીબો


રાજયભરમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસ (રોગે) રાજકોટમાં પણ પ્રવેશ કરી લેતા સ્થાનિક સિવિલ હોસ્પીટલનું આરોગ્યતંત્ર સતર્ક બની ગયું છે. આ રોગના દર્દીઓની સારવાર માટે ખાસ વોર્ડ ઉભો કરાયો છે.
જેમાં તમામ પુરતી સુવિધાઓ અને તબીબી સ્ટાફ મૌજુદ હોવાનું સિવિલ હોસ્પીટલના તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડીયા દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાયું હતું.

સિવિલના તબીબી અધ્યક્ષ ડો.મોનાલી માંકડીયા, ડો.પંકજ બુચ, ડો.હેતલ કયાડા, ડો.પલક હાપાણી, ડો.આરતી મકવાણા, ડો.શુરભી નગવાડીયા, ડો.સરિતા શર્મા તેમજ ડો.એમ.સી. ચાવડા વિ. તબીબી અધિકારીઓની હાજરી વચ્ચે આજે ચાંદીપુરા વાયરસની જાણકારી માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી.


આ તકે ચાંદીપુરા વાયરસનો હાઉ દુર કરતા તમામ તબીબોએ જણાવ્યું હતું કે, માણસથી માણસમાં થતો આ રોગ નથી. એટલે પ્રત્યેક વ્યકિતએ આ રોગથી ડરવાની જરૂર નથી. પણ આ વાત સામે બેદરકારીથી પણ દુર રહેવા તબીબોએ સલાહ આપી હતી. લોહીમાં સુગરનું પ્રમાણ ઓછું થઇ જવું,


ધબકારા ઘટી જવા, તાવ આવવો, લીવર-મગજમાં સોજો આવી જવો આવા લક્ષણો દેખાય, અનુભવાય તો બેદરકારી દાખવ્યા વગર તબીબી સલાહ, સારવાર લેવી હિતાવહ છે.


જો માથું મારી મુકાય તો ગંભીર પરિણામો ભોગવવાની નોબત સહવી પડી શકે તેવી ચિંતા તબીબોએ વ્યકત કરી હતી.


તબીબોએ એવું પણ જણાવ્યું હતું કે શહેરની સિવિલમાં માત્ર શહેરનાં જ નહીં પણ અહીં સૌરાષ્ટ્રભરમાંથી રોજબરોજ દર્દીઓ સારવાર માટે આવે છે અને અહીં પુરતી તબીબી સુવિધાઓ હોવાથી સારવાર કે તબીબી સ્ટાફ પરત્વે દર્દીઓની કોઇ ફરીયાદો નથી.

પડધરી પંથકની બાળકીને સ્વસ્થ કરીને અપાઇ રજા
આજે પ્રેસ કોન્ફરન્સમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ અને એકદમ સ્વસ્થ કરીને સાજી કરાયેલી બાળકી અને તેણીના વાલીઓને હાજર રખાયા હતા. આ તકે પડધરી પંથકના ગ્રામ્ય વિસ્તારની 7 વર્ષની બાળકીના િ5તા વિક્રમભાઇએ જણાવ્યું હતું કે, દીકરી બચી ન શકે તેવી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી. ચાંદીપુરા વાયરસે દીકરીને ઘેરી લીધી હતી પણ અહીંના તબીબી ટીમની સધન સારવારથી મારી દીકરીને નવજીવન મળ્યું છે.

હજુ 3 દર્દીઓ પોઝિટિવ સાથે 8 દર્દીઓ સારવારમાં
તબીબી અધિક્ષક સહીતની તબીબી ટીમની હાજરીમાં ડો.હેતલ કયાડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પીટલમાં ચાંદીપુરા રોગની સારવાર માટે 20 દર્દીઓ દાખલ થયા હતા. જેમાં પાંચ દર્દીઓમાં ચાંદીપુરાના લક્ષણો દેખાતા સઘન સારવાર અપાઇ રહી છે. 8 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. 5 દર્દીઓના રીપોર્ટ હજુ બાકી છે. હાલમાં દાખલ 8 દર્દીઓમાંથી ત્રણ પોઝીટીવ અને પાંચ દર્દીઓને શંકાસ્પદ સ્થિતિમાં સારવાર અપાઇ રહી છે.

પહેલાં પુના, હવે ગાંધીનગર મોકલાય છે સેમ્પલ: 7 દી’માં રિપોર્ટ આવે
પત્રકાર પરિષદમાં પત્રકારોનાં સવાલનો જવાબ આપતા ડો.મોનાલી માંકડીયા, ડો.પંકજ બુચ તેમજ ડો.હેતલ કયાડાએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા રોગ, વાયરસનાં પ્રારંભમાં સંબંધીત દર્દીના સેમ્પલ પૂને મોકલાતા પણ હવે જીબીઆરસી-ગાંધીનગર ખાતે મોકલીને ચકાસણી પૃથ્થકરણ કરાય છે. પ્રત્યેક લોહી સેમ્પલના રીપોર્ટ આવતા ઓછમાં ઓછા સાત દિવસ લાગે છે. આટલો સમય દરમિયાન દર્દીઓને જરૂરી તમામ સારવાર સઘન રીતે અપાય છે.

સૌથી વધુ શનિવારે 4045 દર્દીઓની ઘઙઉ
સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા અને સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા બાબતે ડો.હેતલ કપાડાએ જણાવ્યું હતું કે, છેલ્લા પખવાડીયા દરમિયાન લીવરના 10 કેસ, મગજના 4, ટાઇફોઇડના 5, ઝાડા-ઉલ્ટીના 77, સામાન્ય બિમારીનાં 41, મેલેરીયા-2 અને ડેંગ્યુના 6 મળી 161 દર્દીઓની સમયોયિત સારવાર અપાઇ છે. હોસ્પિટલમાં જૂદા-જૂદા 19 વિભાગોમાં તા.21ના રોજ 2846, 22ના રોજ 416, 23ના રોજ 4206, તા.24ના રોજ 3594, 25ના રોજ 3536, તા.26ના રોજ 3595 અને 27ને શનિવારે 4045 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા હતા.

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

Published

on

By

શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો

રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય11 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય11 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય11 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય12 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય12 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય12 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત12 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય12 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ12 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય12 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય11 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત2 days ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત2 days ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

રાષ્ટ્રીય2 days ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

Trending