ગુજરાત
રાજ્યમાં અકસ્માત રોકવા સાયબર ક્રાઇમ અને ડ્રગ્સના મુદ્દાઓ પડકારરૂપ: ડીજીપી વિકાસ સહાય
રાજકોટ,અમદાવાદ,વડોદરા અને સુરતના પોલીસ કમિશનર અને 9 રેંજ આઈજીની ઉપસ્થિતિમાં રાજ્યના પોલીસવડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની હાજરીમાં યોજાયેલ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલિક અને વડોદરાના પોલીસ કમિશ્નર નરસીમ્હા કોમાર સાથે ગુજરાતની અલગ અલગ રેંજના 9 આઈજીની ઉપસ્થિતિમાં ક્રાઈમ અને પોલીસને લગતી વિવિધ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. હવેથી દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાશે તેમ ડીજીપીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમા વિગતે ચર્ચા કરવાની સાથે જરૂૂરી પડકારોને પહોંચી વળવા માટે જરૂૂરી નિર્ણયો અંગે ડીજીપી વિકાસ સહાયે રાજ્યના 4 પોલીસ કમિશ્નર અને નવ જેટલી રેંજના અધિકારીઓ સાથે અમદાવાદમાં નવ નિર્મિત પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ ફોન્ફરન્સ યોજી હતી. જેમાં આગામી સમયમાં ડ્રગ્સ અને સાયબરને લગતા ગુનાઓ પર કાબુ મેળવવા અને નેટવર્કને ખતમ કરવા માટે જરૂૂરી પગલા ભરવા માટે વિસ્તૃતમાં ચર્ચા થઇ હતી.
આ ઉપરાંત, અકસ્માતની ઘટનાઓને કાબુમાં લેવા માટે પોલીસ સ્ટેશન દીઠ બ્લેક સ્પોટ નક્કી કરીને ત્યાં પોલીસની સાથે રોડ એન્જીનીયરીંગ સાથે સંકળાયેલા વિભાગના અધિકારીને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે.
અમદાવાદ શાહીબાગ સ્થિત નવ નિર્મિત પોલીસ કમિશનર કચેરી ખાતે ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્યના ચાર શહેરના પોલીસ કમિશનર અને રાજ્યની નવ રેંજના આઇજીપી સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ચોરી, લૂંટ, હત્યાના ગુનાઓ ઉપરાંત, સાયબર ક્રાઇમ તેમજ ડ્રગ્સના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.જ્યારે ટ્રાફિકના મામલે દરેક પોલીસ સ્ટેશનની હદમાં સૌથી વધારે અકસ્માત થતા હોય તે બ્લેન્ક સ્પોટને ઓળખીને ત્યાં અકસ્માત ઘટાડવા માટે સ્થાનિક પોલીસ સાથે આરટીઓ, માર્ગ અને મકાન વિભાગની સાથે મળીને ડ્રાઇવીંગ પેટર્ન, રોડ એન્જીનીયરીંગ સાથે મળીને કામગીરી કરવામાં આવશે. આમ, એક સાથ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં નિયમિત રીતે એક પછી એક બ્લેન્ક સ્પોટને પર કામ કરાશે.
ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે ચોરી, લૂંટ અને હત્યા જેવા શરીર સંબધી ગુનાઓ ઘણાઅંશે કાબુમાં આવ્યા છે. પરંતુ, પોલીસ માટે સાયબર ક્રાઇમ અને એમડી ડ્રગ્સના મુદ્દાઓ પડકારરૂૂપ છે. સાયબર ક્રાઇમને કાબુમાં લેવા માટે લોકોમાં જાગૃતતા કેળવવાથી માંડીને તમામ શહેરોમાં સાયબર એક્સપર્ટની મદદ લેવા સહિતના મુદ્દાઓ ધ્યાનમાં લેવાયા છે. જે અનુસંધાનમાં રાજ્યના તમામ પોલીસ મથકોમાં સાયબર એક્સપર્ટની નિમણૂંક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ભોગ બનનાર લોકોને ઝડપી મદદ મળી શકશે. જો કે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને છેતરપિંડીના નાણાં પરત કરવાની કામગીરી સાથે હજારો ફ્રીઝ એકાઉન્ટને અનફ્રીઝ કરીને માત્ર છેતરપિંડીની રકમને લીયન કરવામાં આવી છે.
દરેક એસ.પી.એ પોલીસ સ્ટેશનમાં ત્રણથી ચાર દિવસ રોકાવું પડશે
ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે પોલીસના હાથે ઝડપાયેલા ડ્રગ્સ પેડલર્સ પર નજર રાખવા માટેની ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં નાર્કોટિક્સ પણ મોટું ચેલેન્જ છે અને તેને લઈને પણ વિસ્તૃત ચર્ચા આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. રાજ્યનાં વિવિધ પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બને તેના માટે પણ જિલ્લાનાં પોલીસવડા વાર્ષિક તપાસ માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જશે અને ત્યાં ત્રણથી ચાર દિવસ સુધી રોકાશે. સ્થાનિક પોલીસ તથા લોકો સાથે પોલીસ વડા ચર્ચા કરશે, જેથી પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બનશે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ