Connect with us

રાષ્ટ્રીય

સાવધાન, બાળકોમાં વધી રહ્યા છે મોટાપાના કેસ જાણો તેના કારણો અને ઉપાય

Published

on

વધતી જતી સ્થૂળતા વયસ્કોથી લઈને બાળકો માટે સમસ્યા બની રહી છે. સ્થૂળતા એક એવી સમસ્યા છે, જે ન માત્ર અનેક રોગોને આમંત્રણ આપે છે, પરંતુ બાળકોના મનોવિજ્ઞાન પર પણ તેની ખરાબ અસર પડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો બાળકોના સ્વાસ્થ્ય કે મેદસ્વિતાનું સમયસર ધ્યાન રાખવામાં ના આવે તો તેની અસર તેમના મનોવિજ્ઞાન પર પણ પડે છે. છેલ્લાં 1 વર્ષમાં બાળકોમાં મેદસ્વિતાના કેસ ઘણા વધ્યા છે. મેદસ્વિતાના બે કારણ છે ફેમેલી હિસ્ટ્રી અને બીજી ખાણીપીણી. પ્રથમ આનુવંશિક એટલે ફેમિલી હિસ્ટ્રીથી મળતી મેદસ્વિતા અને બીજુ બહારના કારણોથી વધતી મેદસ્વિતા. બાળકોની ફિઝીકલ એકટીવીટી ઓછી થઈ જવાથી અને આખો દીવસ ટીવી અને મોબાઈલ સામે રહેવાથી તેઓ મેદસ્વી બની રહ્યા છે. વધારે પડતો સ્ક્રીન ટાઈમ, સ્લીપ પેટર્નમાં ફેરફાર અને હાઈ કોલેસ્ટેરોલવાળા જંકફૂડ આ સમસ્યાનું કારણ છે.

મોટાઓ સાથે નાના ભૂલકાંઓ પણ હવે મેદસ્વી બની રહ્યા છે. પહેલાં આ સમસ્યા અમેરિકા જેવા હાઈ ઈન્કમ દેશોમાં હતી હવે તે મિડલ અને લો ઈન્ક્મ ધરાવતા દેશોમાં પહોંચી ગઈ છે. પીડિયાટ્રિક ઓબેસિટી જર્નલમાં બાળકોની મેદસ્વિતા પર એક રિસર્ચ થયું છે. રિસર્ચમાં સામેલ બાળકોમાં ફેટની માત્રા વધારે જોવા મળી. સાથે જ હૃદયની નસો પણ સંકોચાયેલી હતી. તેને કારણે આ બાળકોમાં લોહીનું પરિભ્રમણ અનિયમત હતું.બાળકોમાં વધુ વજન ની સમસ્યા ખુબજ સામાન્ય બનતી જાય છે. નાની ઉંમર માં વધુ પડતું વજન વિવિધ અસાધ્ય રોગો ને નોતરે છે. બાળકો માં ઉમેરાતી ખોટી કેલરી અને નિયમિત કસરત નો અભાવ આ મેદસ્વિતા માટે જવાબદાર છે.


રિસર્ચના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતાનું સૌથી મોટું કારણ ખાણીપીણી છે. ઘરના ખોરાક સિવાય માર્કેટના ફૂડમાંથી મળતી કેલરીને બાળકો બર્ન નથી કરી શકતા. પરિણામે, બાળકનું વજન વધે છે. દેશના બાળકોમાં મેદસ્વિતાના કેસ વધી રહ્યા છે. ભારતમાં લગભગ 1.4 કરોડ બાળકો મેદસ્વિતા પીડિત છે.આજ કાલ ના બાળકો માં નિયમિત કસરત નો અભાવ જોવા મળે છે. બાળકો મોટે ભાગે ઘર માં જ ટીવી, લેપટોપ, મોબાઈલ પર રમતો રમવામાં વ્યસ્ત રહે છે. અને બહાર રમવાનું પણ ટાળે છે.ઘર માં બનતી વાનગીઓ માં પણ વધુ પડતું ચીઝ, બટર, તેલ , મેદો તથા સફેદ ખાંડ નું પ્રમાણ પણ મેદસ્વિતા વધારે છે. ચોકલેટ, આઈસ્ક્રીમ, બહાર ની મિઠાઈ ઓ, પેકેટ ફૂડ, પ્રોસેસ ફૂડ, બહાર મળતા ઠંડા પીણા, વગેરે નું નિયમિત સેવન કરવાથી શરીર માં મેદ જમા થાય છે.બાળકો નું વધારે પડતા બહાર મળતા ખોરાક નું સેવન .બાળકો વિવિધ ફમદયિશિંતય થી આકર્ષાઈ બહાર નો ખોરાક લેવા માટે પ્રેરાય છે. અને આ ખોરાક શરીર માં ખોટી કેલરી અને મેદ નું પ્રમાણ વધારે છે. ઘણી વખત માતા પિતા પણ પોતાના કામો માં સતત વ્યસ્ત હોવાથી , યિફમુ જ્ઞિં યફિં ફૂડ બાળકો ને આપે છે. જે ખોટી કેલરી શરીર માં ઉમેરે છે.માતા પિતા કે કુટુંબ ની અન્ય વ્યક્તિ માં જો મેદસ્વિતા હોય તો બાળક માં પણ જાડાપણુ થવાની શક્યતાઓ વધી જાય છે. ઘણી વખત બાળકો માં જોવા મળતી માનસિક તાણ, પણ ભૂખ કરતા વધુ ખોરાક લેવા માટે જવાબદાર હોય છે.


બાળકો માં જોવા મળતી મેદસ્વિતા ના માઠા પરિણામો:
નાનપણ માં જ જોવા મળતી મેદસ્વિતા શરીર માં સમય જતા ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, અસ્થમા, શ્વાસોશ્વાસ માં તકલીફ, ઊંઘ માં અનિયમિતતા, યકૃત પર સોજો, પાચનતંત્ર ની તકલીફો , હાઈ કોલેસ્ટેરોલ તથા સાંધા માં દુખાવો વગેરે જેવી બીમારી ઓ ને નોતરે છે. ઘણી વખત બાળકો ને આ જાડાપણું તેમના માનસિક સ્તર ઉપર પણ અસર કરતું હોય છે. આવા બાળકો લઘુતાગ્રંથિથી પણ પીડાતા હોય છે. તેમના સ્વભાવ તથા યાદશક્તિ ઉપર પણ માઠી અસરો જોવા મેદસ્વિતા એટલે શરીરનું વજન જરૂૂરિયાત કરતા વધારે હોવું. શરીરની રચના જોઈને તેની તપાસ કરવામાં નથી આવતી. મેદસ્વિતા કેટલી છે તે ત્રણ પ્રકારે તપાસવામાં આવે છે. પ્રથમ, શરીરનું ફેટ, મસલ્સ, હાડકાં, અને બોડીમાં રહેલા પાણીનું વજન તપાસવામાં આવે છે. બીજું છે બોડી માસ ઈન્ડેક્સ. ત્રીજી તપાસમાં હિપ અને કમરની સાઈઝ જોવામાં આવે છે. આ તપાસ દર્શાવે છે કે ખરેખર તમે મેદસ્વી છો કે નહીં.


મેદસ્વીતાને કંટ્રોલ કરવાના ઉપાયો
બાળકોને નાસ્તામાં ફણગાવેલા કઠોળ, એટલે કે મગ, ચણા અથવા ફળ આપી શકો છો. આવું કરવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોની માત્રા વધી જાય છે. મોસમી લીલા શાકભાજીને તેમની ડાયટમાં સામેલ કરો. વધારે ફેટવાળું દૂધ, બટર તથા પનીરથી દૂર રાખો. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, કચોરી, સમોસા, પિત્ઝા, અને બર્ગરથી બને એટલું તેમને દૂર રાખવા.


બાળકો ની મનપસંદ એવી બહાર મળતી વાનગીઓ ઓ નું ઘરે જ હેલ્ધી વાનગીઓ માં રૂૂપાંતર કરવું જેમ કે મેદા ની જગ્યા એ ઘઉં માંથી વાનગીઓ બનાવવી. સફેદ ખાંડ ના સ્થાને મધ નો ઉપયોગ, ચીઝ ની જગ્યા એ પનીર નો ઉપયોગ વગેરે .નિયમિત કસરત નું મહત્વ સમજાવી તે માટે તેમને પ્રેરિત કરવા.


ભોજન ની વચ્ચે ના સમય માં ઘરે બનાવેલો અને હેલ્ધી નાસ્તો આપવો. ઋતુ અનુસાર ના ફળો, શાકભાજી, દહી, ડ્રાય ફ્રૂટ, સુપ, જ્યુસ વગેરે નો બાળકો ના દૈનિક આહાર માં સમાવેશ કરવો.


બાળક નો સ્ક્રીન ટાઈમ ઘટાડવો.
બાળકો માં જોવા મળતી આ મેદસ્વિતા ની સમસ્યા ને આપણે સૌ એ સાથે મળી ને દૂર કરવાની રહેશે. બાળક કેવો ખોરાક લે છે, કેટલો ખોરાક લે છે, કેટલો સમય કસરત કરે છે, વધુ કેલરી કે જરૂૂર કરતા ઓછી કેલરી વાળો ખોરાક તેના માટે કેટલો નુકશાન કારક છે આ બધા જ માટે માતા પિતા એ જાગૃત રહેવું અત્યંત આવશ્યક છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાષ્ટ્રીય

રેલવેમાં વેઈટિંગની સમસ્યાનો અંત આવશે, હવે રિઝર્વેશન ટિકિટ 60 દિવસ પહેલા જ બુક થશે.

Published

on

By

દિવાળીથી છઠ સુધી સામાન્ય લોકોને વારંવાર રેલવેમાં લાંબી રાહ જોવી પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે વર્તમાન સિસ્ટમ હેઠળ લોકો 120 દિવસ પહેલા રેલવે રિઝર્વેશન ટિકિટ બુક કરાવે છે. હવે રેલવે બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી લાંબા સમય સુધી રાહ જોવાની સમસ્યા દૂર થઈ શકે છે. નવી સિસ્ટમ આવતા મહિનાથી અમલમાં આવશે.

રેલ્વે બોર્ડે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે 1 નવેમ્બર, 2024થી આરક્ષણ ટિકિટનું એડવાન્સ બુકિંગ ફક્ત 60 દિવસ પહેલા જ કરવામાં આવશે. જ્યારે 120 દિવસ અગાઉ એડવાન્સ ટિકિટ બુક કરવાની સેવા 31 ઓક્ટોબર 2024 સુધી ચાલુ રહેશે.

તાજ અને ગોમતી એક્સપ્રેસમાં જૂની સિસ્ટમ લાગુ રહેશે
રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કેટલીક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોમાં રિઝર્વેશનની જૂની સિસ્ટમ જે એક જ દિવસમાં મુસાફરી પૂરી કરે છે, એટલે કે એડવાન્સ ટિકિટ બુક કરવા માટે નક્કી કરવામાં આવેલી નીચી મર્યાદા, પહેલાની જેમ જ લાગુ રહેશે. આ પ્રકારની ટ્રેનમાં તાજ એક્સપ્રેસ અને ગોમતી એક્સપ્રેસ સહિત ઘણી ટ્રેનોનો સમાવેશ થાય છે.

વિદેશી નાગરિકો માટે 365 દિવસની મર્યાદા
રેલવે બોર્ડે એમ પણ કહ્યું છે કે વિદેશી નાગરિકો અથવા પ્રવાસીઓ માટે 365 દિવસ અગાઉ રેલવે રિઝર્વેશન ટિકિટ બુક કરવાની સુવિધા પહેલાની જેમ જ યથાવત રહેશે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટને મળી બોમ્બની ધમકી, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Published

on

By

છેલ્લા 4 દિવસથી ભારતીય વિમાનોને બોમ્બની ધમકીઓ મળી રહી છે. આજે વિસ્તારા અને ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. ધમકી મળ્યા બાદ વિસ્તારાની ફ્રેન્કફર્ટ-મુંબઈ ફ્લાઈટ UK 028નું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી.લેન્ડિંગ પછી તરત જ ફ્લાઈટને અલગ-અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું.

અધિકારીઓએ ક્રૂને બોમ્બની ધમકી વિશે જાણ કરી ત્યારે વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઉડી રહ્યું હતું. ફ્લાઈટમાં 147 મુસાફરો સવાર હતા. લેન્ડિંગ પછી, એરક્રાફ્ટને આઇસોલેશનમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી તુર્કીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ પર ધમકી આપવામાં આવી હતી. આ ધમકી સોશિયલ મીડિયા પર પણ આપવામાં આવી હતી.

આ અંગે વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું કે ફ્રેન્કફર્ટથી મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઈટ UK 028ને સોશિયલ મીડિયા પર ધમકી મળી હતી. પ્રોટોકોલ મુજબ, તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જે બાદ પ્લેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું અને તેને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું. જ્યાં તમામ ગ્રાહકોને ઉતારી દેવામાં આવ્યા હતા.

વિસ્તારાએ કહ્યું કે અમે ફરજિયાત સુરક્ષા તપાસ પૂર્ણ કરવા માટે સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. વિસ્તારામાં, અમારા ગ્રાહકો, ક્રૂ અને એરક્રાફ્ટની સલામતી અમારા માટે અત્યંત મહત્વની છે.બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા અટકી રહી નથી. ગુરુવારે જર્મનીના ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ (બોઈંગ 787 એરક્રાફ્ટ)ને બોમ્બની ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ ફ્લાઈટનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ પછી તરત જ ફ્લાઈટને અલગ-અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું.

Continue Reading

રાષ્ટ્રીય

સલમાનખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ બિશ્નોઈ ગેંગના શૂટરની ધરપકડ

Published

on

By

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની સોપારી લેનારની ધરપકડ કરવામાં આવી હતી. હરિયાણા અને મુંબઈ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં તે પકડાયો હતો. પોલીસે તેની હરિયાણાના પાણીપતથી ધરપકડ કરી હતી. આરોપ છે કે તેણે સલમાનના ઘરની રેકી કરાવી હતી. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ તેને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવા માંગે છે. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે પોલીસ બાબા સિદ્દીકીની હત્યાના સંબંધમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સૂત્રોની તપાસમાં વ્યસ્ત છે.

આ વર્ષે એપ્રિલમાં સલમાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કેટલાક આરોપીઓ પણ ઝડપાયા હતા. ત્યાર બાદ જૂનમાં પોલીસે વધુ એક કેસ નોંધ્યો હતો. જેમાં પોલીસે દાવો કર્યો હતો કે સલમાન જ્યારે પનવેલ પાસે તેના ફાર્મ હાઉસ જઈ રહ્યો હતો ત્યારે તેને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, નબી મુંબઈ પોલીસે અભિનેતા સલમાનની હત્યાના કાવતરાના કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના મોટા શૂટરની ધરપકડ કરી છે. તેનું નામ શૂટર સુખા કલુયા છે. સલમાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ કેટલાક આરોપીઓ ઝડપાઈ જતાં તે ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધી રહી હતી. દરમિયાન બાતમી મળતાં પોલીસે હરિયાણાના પાણીપતમાં દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. કહેવાય છે કે તે એક હોટલમાં છુપાયો હતો.

આરોપી સુખાને મુંબઈ લાવવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.પોલીસ તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવા માંગે છે જેથી હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થઈ શકે.

પોલીસના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2024માં બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી આવાસની બહાર ફાયરિંગની ઘટના બાદ આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને બ્લેકમેલ કરવાની ધમકી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવારની પાર્ટી NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે.

Continue Reading
ગુજરાત3 mins ago

ટ્રાફિક માટે સમસ્યારૂપ બનેલા સર્કલો તોડવાનું શરૂ

આંતરરાષ્ટ્રીય26 mins ago

પૂર્વ PM શેખ હસીના પર લટકી ધરપકડની તલવાર!! બાંગ્લાદેશની કોર્ટે 18 નવેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ

રાષ્ટ્રીય45 mins ago

રેલવેમાં વેઈટિંગની સમસ્યાનો અંત આવશે, હવે રિઝર્વેશન ટિકિટ 60 દિવસ પહેલા જ બુક થશે.

આંતરરાષ્ટ્રીય49 mins ago

ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટને મળી બોમ્બની ધમકી, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ક્રાઇમ1 hour ago

રાજ્યભરમાં EDના દરોડા, એકસાથે 23 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડા રૂપિયાની ટેક્સ ચોરીના પાડયા દરોડા

રાષ્ટ્રીય1 hour ago

સલમાનખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ બિશ્નોઈ ગેંગના શૂટરની ધરપકડ

રાષ્ટ્રીય2 hours ago

બાંગ્લાદેશમાંથી ભારત આવેલા શરણાર્થીઓને મળશે નાગરિકતા, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

ક્રાઇમ2 hours ago

કોચે 13 વર્ષની ખો-ખો ખેલાડી પર દુષ્કર્મ , ટ્રેન મોડી પડવાના બહાને હોટલમાં લઈ ગયો

Sports2 hours ago

IND VS NZ: માત્ર 46 રનમાં જ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ

રાષ્ટ્રીય2 hours ago

હરિયાણામાં ત્રીજી વખત ભાજપ સરકાર, નાયબ સૈનીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી, શાહ- નડ્ડા રહ્યા હાજર

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય22 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય22 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત23 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending