ગુજરાત
જળસંચય માટે બિલ્ડરો વધુમાં વધુ ચેકડેમ બનાવે : સી.આર. પાટીલ
ગામડાંઓને દત્તક લઈ વિકાસ માટે ધ્યાન આપવા પણ કેન્દ્રીયમંત્રીની અપીલ
ક્રેડાઈ રાજકોટની વાર્ષિક સાધારણ સભા યોજાઈ, 40 શહેરોના બિલ્ડર્સ એસો.ના પ્રતિનિધિઓ રહ્યા હાજર
શહેરની રિજન્સી લગુન રિસોર્ટ ખાતે ગઈકાલે સાંજે ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ રાજકોટની એન્યુઅલ જનરલ મીટીંગ યોજાઈ હતી જેમાં એ જી એમ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ સહિત રાજ્યના 40 શહેરોના બિલ્ડર્સ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 40 શહેરોના 12 હજારથી વધુ મેમ્બર્સ ધરાવતા દેશના સૌથી મોટા ચેપ્ટરના હોસ્ટ બનવાનું સૌભાગ્ય રાજકોટ ચેપ્ટરને મળ્યું હતું.
જેમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમ રૂૂપાલા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો ભરત બોઘરા જિલ્લા કલેકટર પ્રભવ જોશી ધારાસભ્ય રમેશ ટીલાળા ડો દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સ્ટે ચેરમેન જયમીન ઉપાધ્યાય ટી પી ઓ સંત પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મિટિંગની શરૂૂઆતમાં રાજકોટ ટી આર પી ગેમ ઝોનમાં અવસાન પામેલા દિવાંગતોને શ્રધાંજલિ આપવા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું ક્રેડાઈ ગુજરાતની મીટીગમાં ગાંધીનગર સેલવાસ જલગાંવ બનાસકાંઠા ભાવનગર, સાબરકાંઠા સહિતના 40થી વધુ શહેરોના બિલ્ડર્સ હાજર રહ્યા હતા સાંજે 5:30થી રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની એજીએમનો પ્રારંભ થયો હતો આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટના વિકાસને વેગ આપવાની નેમ સાથે આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમ્યાન કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી આર પાટીલનો સન્માન સમારોહ યોજાયો હતો.
રાજકોટ બિલ્ડર્સ એશોસીએશનની એ જી એમ સાંજે કલાકથી શરૂૂ થઈ હતી 5:30 જે સાંજે 7 કલાક સુધી ચાલી હતી રાજકોટના વિકાસને વેગ આપવાની નેમ સાથે આ બોર્ડ મીટીંગમાં જરૂૂરી ચર્ચા વિચારણા થઈ હતી આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈને કઈ કઈ રજૂઆતો કરવાની છે તે અંગ પરામર્શ કરવામાં આવ્યો હતો રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનની એજીએમ પૂર્ણ થયે કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી આર પાટીલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સી આર પાટીલે ગુજરાતભરમાંથી ઉપસ્થિત ક્રેડાઈના હોદ્દેદારો સભ્યોને સંબોધતા કહ્યું હતું કે લોકોનું ઘર વસાવવાનું કામ આ એસોસિયેશન કરી રહ્યું છે સાથોસાથ દરેક બિલ્ડર કમ સે કમ 500 થી વધુ પરિવારોને રોજીરોટી કમાવવાનું માધ્યમ બની રહ્યું છે ક્ધટ્રકશન વ્યવસાયમાં અનેક પ્રકારના જોખમો સામે ઝઝુમીને પણ વિવિધ પ્રકારના કારીગરો કડિયા શ્રમિકો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વિવિધ પ્રકારની સાધન સામગ્રી ઉદ્યોગને સીધી કે આડકતરી રોજગારી પૂરી પાડતા આ ક્ષેત્રના ઉદ્યમીઓ શહેર પ્રદેશ રાજ્ય અને દેશને આગળ લઈ જવામાં જે રીતે ભૂમિકા ભજવી રહ્યા છે એ માટે આપ સહુ અભિનંદનને પાત્ર છો તેમ પાટીલે પોતાના વ્યકિતમાં જણાવીને ઉમેર્યું હતું કે આ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો શ્રમિકો માટે રાજ્ય સરકારે માત્ર 5 રૂૂપિયામાં ટિફિન વ્યવસ્થા કરી છે વધુમાં પાટીલે જળ સંચય યોજના વિશે ઉલ્લેખ કરીને વર્તમાન જળ સમસ્યા ની વિશેષ છણાવટ કરી હતી.
સુરતમાં રેઇન હારવેસ્ટિંગ પ્રોજેક્ટ નો ઉલ્લેખ કરી બોર રિચાર્જ ની જરૂૂરિયાત પર તેઓએ ભાર મૂક્યો હતો અને હાલ માં રાજકોટ બિલ્ડર એસોસિએશન ગીરગંગા ટ્રસ્ટ સાથે મળી તળાવો અને ચેકડેમો બનાવી ખૂબ સારું કામ કરી રહ્યાની વાત ભી કરી હતી રાજકોટના બિલ્ડરોને અપીલ કરી હતી કે તેઓ વધુ માં વધુ ગામડાઓ દરેક લઈ તેનો સંપૂર્ણ વિકાસ કરે તેમજ વધુ ને વધુ તળાવો અને ચેક ડેમો બનાવી અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેઓ આ દિશામાં પરિણામલક્ષી પ્રયત્ન કરે તો રાજકોટની પીવાના પાણીની સમસ્યાનું સમાધાન તો થશે જ સાથોસાથ વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનું પણ નિરાકરણ આવશે અને ભવિષ્યમાં બાંધકામ ક્ષેત્રે પણ પાણીની સમસ્યા નહિ સર્જાય પાટીલ ની આ પહેલને આવકારતા આર બી એ ના પ્રમુખ પરેશ ભાઈ ગજેરા એ પૂરી ટીમ વતી જણાવ્યું હતું કે રાજકોટ, ગુજરાત ક્રેડાઈ આ અંગે યોગ્ય કરવાની ખાતરી આપીએ છીએ અને રાજકોટ બિલ્ડર એસોસિયેશનએ વાતને સંપૂર્ણ રીતે વધાવી લીધી હતી.
રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનમાં હાલ ટ્રેઝરર તરીકે પ્રસંશનીય કામગીરી કરી રહેલા યુવા બિલ્ડર અમિત ત્રાંબડીયાની રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી જ્યારે જોઇન્ટ સેક્રેટરી પદે સંદીપભાઈ સાવલિયા અને ટ્રેઝરર તરીકે રાજદિપસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી હતી રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનમાં હાલ સુધી યુથ ક્ધવીનર તરીકે કાર્યરત રણધીરસિંહ જાડેજા (અલય ગ્રુપ,નો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આરબીએના બોર્ડમાં ચેરમેનથી લઈ યુથ ક્ધવીનરના વિવિધ પદો પર નિયુક્તિ આર બી એ ના ઇન્વાઇટી બોર્ડ મેમ્બરઋષીત ગોવાણી આદિત્ય લાખાણી, ગોપી પટેલ પૃથ્વીરાજસિંહ રાણા રાજેન્દ્ર સોનવાણી પાર્થ તલાવિયા, દિવ્ય પટેલ ચિરાગ લાખાણી કિશન કોટેચાની નિમણુક કરવામાં આવી હતી જ્યારે યુથ ક્ધવીનર પદે નીરજ ભિમજિયાણી પ્રિતેશ ીપળીયા સમીર હાસાલિયા ભરત સોનવાણી દીશીત પોબરું, ધવલ હુંબલની નિમણુક કરવામાં આવી હતી તદઉપરાંત રણધીરસિંહ જાડેજા ચેતન રોકડ અને હાર્દિક શેઠની બોર્ડ મેમ્બર પદે નિયુક્તિ કરવામાં આવી હતી.
બિલ્ડરોને રાજ્ય સરકારની તમામ મદદની ખાતરી: રાઘવજીભાઈ પટેલ
રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના તમામ નાગરિકોને રહેવા માટે સારું અને સસ્તું ઘરનુ ઘર પૂરું પડવાની વિવિધ યોજનાઓ ચલાવી રહી છે જેમાં બિલ્ડરો વિવિધ રીતે ખૂબ સહકાર આપી રહ્યા છે અને એ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકર કરવા પ્રયાસરત છે ત્યારે રાજ્ય સરકાર વતી બિલ્ડરોને કોઈપણ મદદ કરવાની ખાતરી આપું છુ.
બાંધકામ વ્યવસાય અન્ય અનેક વ્યવસાયને પૂરક છે: પરષોત્તમ રૂપાલા
પરસોત્તમ રૂૂપાલાએ કહ્યું હતું કે, બાંધકામ વ્યવસાયને નવો આયામ મળ્યો એ સાથે જ આ વ્યવસાયમાં અનેક પડકારો પણ છે એ પડકારોને પહોંચી વળવા પરેશભાઈએ મને રજૂઆત કરી હતી જેનું મેં સંજ્ઞાન લીધું છે અને રાજ્ય સરકાર સાથે મળીને એ પડકારોને ઉકેલવાની ખાતરી આપી છે. આ વ્યવસાય માત્ર બિલ્ડરોનું જ માત્ર પાલન પોષણ નથી કરતો પર ક્ધટ્રકસન વ્યવસાય સાથે સંકળાયેલા લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે નિયમિત પૂરી પાડે છે એ રીતે જોઈએ તો ક્ધટ્રકશન વ્યવસાય ખૂબ મોટો રોજગારલક્ષી આયામ પૂર્ણ કરે છે આ એક એવો વ્યવસાય છે કે જેમના મોટાભાગના ગ્રાહકો એટલે કે ફ્લેટ ડુપ્લેક્ષ ખરીદનારા જીવનમાં એકાદ વાર જ ઘરનું ઘર ખરીદી શકે છે. એમને જીવનભરનો ભરોસો આપવાનું કામ આ વ્યવસાયમાં નિષ્ઠાપૂર્વક આ વ્યવસાય નિભાવે છે એ પણ ખૂબ મોટી ઉપલબ્ધિ છે.
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
ગુજરાત2 days ago
મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?
-
ગુજરાત2 days ago
મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું