આપઘાતની શંકા: યુવાન માનસિક બીમાર હતો: પરિવારમાં શોક
રાજકોટના કુવાડવા ગામે રહેતા સુરેશ વેલજીભાઇ અદગામા (ઉ.વ.35) નામનો યુવાન બે દિવસ પહેલા ઘરેથી લાપતા થયો હતો. તેની ગઇકાલે સાંજે ગામના તળાવમાંથી લાશ મળી આવતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસમાંથી જાણવા મળ્યુ હતુ કે, સુરેશના છુટાછેડા થઇ ગયા હતા અને તેમના બંન્ને સંતાન પત્ની સાથે રહેતા હતા. તેમજ પોતે માનસિક બિમાર હોય અને ઘરેથી નીકળી ગયો હતો. યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
