સલાયા નગરપાલિકામાં ભાજપનું ખાતું પણ ન ખુલ્યું, કોંગ્રેસ-‘આપ’નો દબદબો

‘આપ’ના ઇસુદાન ગઢવીના મતવિસ્તારમાં મંત્રી મુળુભાઇ બેરાની પાર્ટીના સુપડા સાફ દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાની બેઠકમાં 13 બેઠક પર આપ અને 15 બેઠક પર…

‘આપ’ના ઇસુદાન ગઢવીના મતવિસ્તારમાં મંત્રી મુળુભાઇ બેરાની પાર્ટીના સુપડા સાફ

દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાની બેઠકમાં 13 બેઠક પર આપ અને 15 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે. આ સિવાય ભાજપ ખાતું પણ ખોલી નથી શક્યું. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપ સૂપડા સાફ થઈ ગયા છે. અહીં ભાજપે 12 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ નહીં ખૂલે.

આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીનો મતવિસ્તાર ગણાતા સલાયામાં ભાજપ ખાતું ખોલાવવામાં અસમર્થ રહ્યો છે. સલાયા નગરપાલિકામાં ભાજપનું ખાતું ખુલ્યું નથી. આ વિસ્તારમાંથી રાજ્ય સરકારના મંત્રી મૂળુભાઈ બેરાનો મત વિસ્તાર પણ ગણાય છે. ભાજપના મંત્રી જ પોતાના મત વિસ્તારમાં આવતી સલાયા નગરપાલિકામાં ખાતુ ખોલાવવામાં પણ સમર્થ થયા નથી. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *