ભાજપના સહ પ્રવકતા જયેશ વ્યાસનું હાર્ટએટેકથી અવસાન

ભાજપ પરિવારમાં શોકની લાગણી ગુજરાત ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસનું દુ:ખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અત્યારે ભાજપના સહપ્રવક્તા જ્યેશ વ્યાસના અણધાર્યા નિધનથી ભાજપમાં ઘેરો…

ભાજપ પરિવારમાં શોકની લાગણી

ગુજરાત ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસનું દુ:ખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અત્યારે ભાજપના સહપ્રવક્તા જ્યેશ વ્યાસના અણધાર્યા નિધનથી ભાજપમાં ઘેરો શોક જોવા મળ્યો છે. ગાંધીનગરના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઈ જવાયા પણ રસ્તામાં જ અવસાન થયું હોવાનું સામે આવ્યું. નોંધનીય છે કે, અનેક ટીવી ડિબેટ માં પક્ષ તરફથી ધારદાર રજૂઆત કરનાર મૂળ રાજકોટના જયેશ વ્યાસ ના 50 વર્ષ ની વયે જ અવસાનથી અનેક લોકોને આંચકો લાગ્યો છે.


મળતી વિગતો પ્રમાણે તેમના નિવાસ સ્થાને તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતાં પરંતુ રસ્તામાં જ તેમનું નિધન થઈ ગયું હતું. નોંધનીય છે કે, જયેશ વ્યાસ એ ગુજરાત પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા હતા. અને મૂળ રાજકોટના નિવાસી છે. ટીવીમાં અનેક વખતે ડીબેટમાં તેઓ જોવા મળતા હોય છે. પરંતુ અત્યારે તેમની અણધારી વિદાયના કારણે પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *