અમરેલી
બગસરા એસ.ટી. ડેપોના ડ્રાઈવરે બદલી થતાં ઝેરી દવા ગટગટાવી
બગસરા એસટી ડેપોમાં ઘણા સમયથી ફરજ બજાવતા વિવેકભાઈ જાંબુકિયા ની બગસરા ડેપો મેનેજર ગઢવી મેડમ એ ગેર વર્તન કરવા બદલ બદલી કરવા માં આવી હતી જ્યારે ડ્રાઇવર વિવેકભાઈ જાંબુકિયા ને પૂછતા તેમને જણાવ્યું હતું કે મેં કોઈ ગેરવર્તન કર્યું નથી અને હું માત્ર મારી નોકરી બાબતમાં પૂછવા ગયો હતો અને મારી ઉપર ખાર રાખી અને મારી બદલી હિંમતનગર કરવામાં આવી છે આવું ત્રીજી વાર બન્યું છે પહેલીવાર મારી રાજુલા બદલી કરવામાં આવી હતી ત્યારબાદ માંડવી અને હાલ હિંમતનગર કરવામાં આવી છે મને ખોટી રીતે હેરાનગતિ અને ત્રાસ આપે છે મારા ઘરના સભ્યો પણ બધા દુ:ખી છે અને ડેપો મેનેજર અવર નવર મને હેરાન ગતિ કરે છે વિવેકભાઈ જાંબુકિયા ના ધર્મ પત્નીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મારા પતિને અવારનવાર હેરાન ગતિ છે અને અમો ને આ મેડમ ખાર રાખી અને ખોટી રીતે હેરાન કરે છે આ બગસરા એસટી ડેપોમાં અગાઉ પણ એક ડ્રાઈવરે આ જ રીતે હેરાનગતિ હોવાથી દવા ગટગટાવી હતી બગસરા એસટી ડેપોમાં ડ્રાઇવર કંડક્ટરોની ત્રાસ હોવાનો ખુલાસો કર્મચારીઓ તો કરે જ છે પરંતુ આવું જ રહ્યું તો સતત નોકરી ઉપર રાત દિવસ ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવરો તથા કંડક્ટરો અપડાઉન કરતા હોય જો આવી મુસીબત્તી રહી તો તેમને નોકરી કરવી બહુ મુસીબત થઈ જશે અને તે ઘરવાળી છોકરાને મૂકીને ક્યાં ને ક્યાંથી નોકરી કરવા આવતા હોય અને આ ડેપો મેનેજર આવો ત્રાસ આપે તો કર્મચારીઓ ત્રાહિમામ પોકારી જાય છે આ બાબતે જો તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે તો કર્મચારીઓ ને કઈ રીતે નોકરી કરવી હાલ વિવેકભાઈ જાંબુકિયા ને બગસરા સિવિલમાં ફીનાઇલ દવા પીધેલ હોય જેથી ત્યાં ડોક્ટરે અમરેલી રીફર કરતા હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરેલ છે. આ બાબતે ઉચ્ચ અધિકારી ડીસી સાહેબ નિર્ણય લઇ યોગ્ય કરે તેવી કર્મચારીઓની માંગણી ઉઠી છે બગસરા માં આ મોટો બનાવ બન્યો છતાં બગસરા પોલીસ માંથી કોઈ ફરક્યું ન હતું.
અમરેલી
જાફરાબાદના સનખડા ગામે નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
દસેક મિત્રો સાથે માલણ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયો હતો
મૂળ અમરેલી જિલ્લા નાં જાફરાબાદ તાલુકાના જયદિપ વાધેલા નામનો 20 વર્ષિય યુવક પોતાના સનખડા ગામે થી અભ્યાસ કરવા આવતા યુવાનો સાથે મિત્રતા કેળવી હોય અને ઉના નાં સનખડા ગામે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે તે માણવા મિત્રો ની સાથે સનખડા ગામે આવેલ હતો બપોરના સમયે દશ બાર મિત્રો માલણ નદી માં નાહવા ગયેલ આ દરમિયાન જયદિપ વાધેલા શ્મશાન નજીક આવેલા ઊંડા ભુવા નાં પાણીમાં તણાવવા લાગતાં ડૂબવા લાગ્યો હતો અને બુમાબુમ પાડતાં તેનાં મિત્રો દ્વારા બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ રાવલ નદીમાં પાણી નાં પ્રહાર ભારે વહેતાં હોવાનાં કારણે બચાવવો મુશ્કેલ બનતાં તાત્કાલિક ગામલોકો ને જાણ થતાં મોટીસંખ્યામાં લોકો નદી કાંઠે ઉમટી પડી પહેલાં તરવૈયા યુવાનો એ શોધખોળ કરતાં નિષ્ફળ રહ્યા હતા.
ત્યાર બાદ ત્યાં બંદોબસ્ત માં રહેલ પોલીસ એ નદી નાં કાંઠે ભેગા થયેલાં લોકો ને દુર કરી મામલતદાર અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા એન.ડી.આર.એફ ટીમ ને સ્થળે બોલાવી શ્મશાન નજીક તપાસ શરૂૂ કરતાં બે કલાક ની ભારે જહેમત બાદ આશાસ્પદ યુવાન જયદિપ વાધેલા ઉવ20 નાં મૃતદેહ ને પાણી માંથી બહાર કાઢીને સનખડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો મૃતક જયદીપ વાધેલા નાં પરીવાર ને જાણ કરાતાં તે પણ જાફરાબાદ થી સનખડા દોડી આવ્યા હતા અને પોતાનાં લાડકવાયા જવાન જોધ દિકરા નાં મૃતદેહ ને જોતાં ભાગી પડ્યા હતાં અને શોકમય વાતાવરણ ફેલાયું હતું.
અમરેલી
જાફરાબાદના ટીંબી ગામે રૂા. 1.30 લાખનો શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે પકડાયા
જાફરાબાદ તાલુકાના ટીંબીમાથી પોલીસે વાહનમાથી ઘઉંની 40 બોરીનો શંકાસ્પદ જથ્થો કબજે લઇ બે શખ્સોની અટકાયત કરી 1.30 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઇ પી.વી.પલાસ અને ટીમે ગત રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન ટીંબીમાથી એક ટેમ્પો નંબર જીજે 08 વાય 5668ને અટકાવી તલાશી લીધી હતી.
ટેમ્પોમા ઘઉંની 40 બોરી કુલ બે હજાર કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા વગરનો હોય પોલીસે ટીંબીમા રહેતા મુસ્તાક ઉર્ફે બાપુ જુમાશા પઠાણ અને આરીફશા સુલેમાનશા કનોજીયા નામના શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે ઘઉંનો જથ્થો તેમજ વાહન મળી કુલ રૂૂપિયા 1.30 લાખનો જથ્થો કબજે લીધો હતો અને બીએનએસએસ કલમ 35(1) ઇ 106 મુજબ કાર્યવાહી કરી હતી.
અમરેલી
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત