ગુજરાત
‘ઉદ્યોગોને પરિણામે રાજ્યનાં યુવાનો માટે રોજગારીના અવસરો ખુલ્યા..’ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે, આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કરીને આપણો ગૌરવ વંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યો છે. આપણને આઝાદી અપાવનારા રાષ્ટ્ર વીરોનું ભારત માતાને વિશ્વ ગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન એ વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે, આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.
મુખ્યમંત્રી એ પાઠવેલ પ્રજાજોગ સંદેશ અક્ષરસ: નીચે મુજબ છે
➢ ગુજરાતના મારા વ્હાલા સૌ નાગરિક ભાઈઓ-બહેનો, સ્વતંત્રતાના 78માં (અઠ્યોતેર) પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
➢ આઝાદીના સાડાસાત દાયકા પૂર્ણ કરીને આપણો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકદમ ભરીરહ્યો છે.
➢ આપણને સૌને આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લેવાનું જે સૌભાગ્ય મળ્યું છે તેના મૂળમાં અનેક વીરોના ત્યાગ, સમર્પણ અને બલિદાનની ગાથા પડેલી છે.
➢ ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરનારા, બ્રિટીશરોની લાઠી ગોળી ખાનારા આપણા એ વડીલ સ્વાતંત્ર વીરોને આજે નત મસ્તક નમન કરીએ.
➢ ભાઈઓ બહેનો, આપણને આઝાદી અપાવનારા રાષ્ટ્ર વીરોનું ભારત માતાને વિશ્વ ગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.
➢ એક સમય એવો હતો કે, વિશ્વના વિકસિત દેશો ભારતની નોંધ સુધ્ધાં લેતા ન હતા. આજે એ જ દેશો ભારતની અવિરત વૈશ્વિક વિકાસયાત્રાથી ભારત અને ભારતીયોને સન્માન સાથે જુએ છે.
➢ આપણા રાષ્ટ્ર અને આપણા રાષ્ટ્રધ્વજ-તિરંગાનુ ગૌરવ વિશ્વમાં વિસ્તર્યુ છે.
➢ દેશના પ્રત્યેક નાગરિકના મનમાં તિરંગાનું સન્માન ઉજાગર કરવા આદરણીય વડાપ્રધાન ની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન ઉમંગ અને ઉત્સાહથી ઉજવાયું છે.
➢ ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની શાખ- પ્રતિષ્ઠા વિશ્વમાં ઊંચી ગઈ છે.
➢ જી-20 સમિટ હોય, યુક્રેન રશિયા યુદ્ધ હોય કે પર્યાવરણની સુરક્ષા માટે મિશન લાઈફ હોય આપણા વડાપ્રધાન ના વિચારો અને મંતવ્યોને વિશ્વ સ્વીકારતું થયું છે.
➢ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં અગિયારમાં ક્રમેથી પાંચમા ક્રમે પહોંચી ગઈ છે. હવે ત્રીજા સ્થાને પહોંચવું છે.
➢ સૌ દેશવાસીઓએ પણ વિકાસની અવિરત ગતિ અને વિકાસની રાજનીતિને સતત વધાવી છે.
➢ 140 કરોડ ભારતવાસીઓએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પુનઃ વિશ્વાસ મૂક્યો છે.
➢ સતત ત્રીજીવાર દેશનું સુકાન નરેન્દ્રભાઈને સોંપ્યું છે.
➢ વિકાસ સસ્ટેનેબલ હોય અને વિરાસતોનું ગૌરવ કરનારો હોય એવી તેમની નેમ છે.
➢ વિશ્વને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે સજ્જ કરવા પર્યાવરણ પ્રિય વિકાસનો વિચાર તેમણે આપ્યો છે.
➢ સમગ્ર સૃષ્ટિનું ગ્રીન કવર વધારવા અને ધરતી માતાને હરિયાળી બનાવવા તેમણે ‘એક પેડ માં કે નામ’નો નવતર અભિગમ અપનાવવા સૌને પ્રેરિત કર્યા છે.
➢ વડાપ્રધાન ના રાષ્ટ્રહિતના દરેક સંકલ્પ, દરેક આહવાનને ઝીલી લઈને તેને સાકાર કરવામાં ગુજરાત અને ગુજરાતીઓ સંકલ્પબદ્ધ છે.
➢ ‘એક પેડ માં કે નામ’ ના આ અભિયાનમાં સવા સાત કરોડ વૃક્ષોનું વાવેતર કરીને દેશભરમાં ગુજરાતે બીજું સ્થાન મેળવી પણ લીધું છે.
➢ ‘વિકાસ ભી વિરાસત ભી’ ગુજરાતે ભલિ-ભાંતિ સાકાર કર્યુ છે.
➢ યાત્રા ધામો, તીર્થસ્થાનોની વિરાસતનો આધુનિક ઓપ સાથે વિકાસ કર્યો છે.
➢ વિવિધ જિલ્લાઓની હસ્ત કલા કારીગરી, ગૃહ ઉદ્યોગ ઉત્પાદનો, ખાન પાનની પ્રખ્યાત ચીજ વસ્તુઓ, મેળાઓ, લોક ઉત્સવો એ બધાની આગવી ઓળખ દેશ અને દુનિયામાં ‘વોકલ ફોર લોકલ’થી ઊભી કરી છે.
➢ ભાઈઓ-બહેનો, સ્વતંત્રતાનું 78મું (અઠ્યોતેર) પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ગૌરવ સાથે કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પદચિન્હો પર ચાલતાં સર્વાંગી વિકાસ, વૈશ્વિક કક્ષાના વિકાસને આપણે પ્રોત્સાહન આપ્યું છે.
➢ ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કૃષિ, શિક્ષણ, આરોગ્ય સહિતના સામાજિક ક્ષેત્રના વિકાસને પણ કેન્દ્રસ્થાને રાખ્યા છે.
➢ ‘ગ્યાન’ એટલે કે ગરીબ, અન્નદાતા, યુવા અને નારી શક્તિના સર્વગ્રાહી વિકાસને પણ પ્રાથમિકતા આપી છે.
➢ ગરીબ, વચિંત, છેવાડાના અને આદિજાતિઓના કલ્યાણ માટે આ સરકાર સમર્પિત છે.
➢ પ્રધાનમંત્રી ગરીબ ક્લ્યાણ અન્ન યોજનામાં સાડા ત્રણ કરોડથી વધુ ગરીબોને વિનામૂલ્યે અનાજ આપી કોઇ ભૂખ્યું ન સૂવે એની કાળજી લીધી છે.
➢ આવાસ, આહાર અને આરોગ્ય સુલભતાએ મળે તે સુનિશ્ચિત કર્યું છે.
➢ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી લાખો ગરીબોને પાકું આવાસ-છત્ર આપ્યું છે.
➢ બે કરોડથી વધુ ગરીબોને આયુષ્માન કાર્ડ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ મળે છે.
➢ તેમાં પણ આપણે બમણો વધારો કર્યો છે.
➢ પરિવારદીઠ હવે રૂપિયા પાંચ લાખથી વધારીને દસ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડીએ છીએ.
➢ ગરીબોનું સશક્તિકરણ કરીને તેમને 100 ટકા વિકાસના લાભ પહોચે તેવો સેચ્યુરેશન અભિગમ રાખ્યો છે.
➢ આદિજાતિઓ અને વંચિતોને પણ વિકાસની મુખ્યધારામાં લાવવા સરકાર કાર્યરત છે.
➢ વડાપ્રધાન ની પ્રેરણાથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના ટુ(2)માં એક લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.
➢ અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટના 14 જિલ્લાના 53 તાલુકાના લોકોના જીવનમાં આનાથી ગુણાત્મક બદલાવ આવ્યો છે.
➢ ગુણવત્તા યુક્ત શિક્ષણ, આરોગ્ય, આવાસ સહિતની બુનિયાદી સુવિધાઓ આદિજાતિઓને મળતી થઈ છે.
➢ રાજ્યમાં રસાયણિક ખાતરથી થતી ખેતીમાંથી મુક્તિને વેગ આપી ‘બેક ટુ બેઝિક’નો સંકલ્પ અન્નદાતાઓએ પ્રાકૃતિક ખેતીથી સાકાર કર્યો છે.
➢ નવ લાખ ખેડૂતોએ તો સાત લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે આ પ્રાકૃતિક ખેતી અપનાવી પણ છે.
➢ સારી સિંચાઇ સુવિધાઓ અને કૃષિ આધુનિકીકરણને પરિણામે હવે ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેતા થયા છે. ખેતીની જમીનની ગુણવત્તા સુધરી છે.
➢ રાજ્યના 15 લાખ ખેડૂતોએ 23 લાખ હેક્ટરથી વધુ જમીનમાં માઈક્રો ઈરિગેશન અપનાવ્યું છે.
➢ પીવાના અને ખેતીના પાણી માટે જળસંચયની સુજલામ સુફલામ યોજના દિશાદર્શક બની છે.
➢ આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમાં તબક્કામાં આપણી જળસંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો થયો છે.
➢ નર્મદાના પાણી કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક દ્વારા કચ્છના છેવાડાના ગામ મોડકૂબા સુધી પહોંચ્યા છે.
➢ વડાપ્રધાન ના દિશા દર્શનમાં અમલી કરાયેલા જલ જીવન મિશન અન્વયે ગુજરાતમાં 100 ટકા નલ સે જલ સાકાર થયું છે.
➢ ભાઇઓ બહેનો, કોઇપણ રાષ્ટ્ર કે રાજ્ય નારીશક્તિના સશક્તિકરણ વિના વિકસિત બની શકે જ નહી.
➢ આપણે અર્થતંત્ર અને સમાજ જીવનમાં મહિલાઓના યોગદાનને વેગ આપવા ‘વુમન લેડ ડેવલ્પમેન્ટ’નો વ્યુહ અપનાવ્યો છે.
➢ ત્રણ લાખ તેર હજારથી વધુ મહિલા શક્તિને મિશન મંગલમથી આત્મનિર્ભર બનાવી છે.
➢ નારીશક્તિને આર્થિક રીતે પગભર કરીને લખપતિ દીદી બનાવવાના વડાપ્રધાન ના સંકલ્પમાં ગુજરાતે સાડા સાત લાખ લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે.
➢ ભાઈઓ બહેનો, 2047માં આપણો દેશ આઝાદીના 100 વર્ષ પૂરાં કરશે.
➢ વડાપ્રધાન એ વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે.
➢ આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.
➢ વિકસિત ભારત@ટ્વેન્ટી ફોર્ટી સેવનના લક્ષ્યને પાર પાડવાનો એક મજબૂત આર્થિક પાયો ગુજરાત નાંખવા માગે છે.
➢ આ મજબૂત પાયો નાંખવામાં ગ્રીન ગ્રોથ – રિન્યૂએબલ એનર્જીનું મહત્વનું યોગદાન રહેવાનું છે.
➢ ગુજરાત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે.
➢ કચ્છમાં વિશ્વનો સૌથી મોટા 37 ગીગાવૉટના સોલાર-વિન્ડ હાઈબ્રીડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા આપણે આગળ વધી રહ્યાં છીએ.
➢ પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે.
➢ આ વર્ષે 10 લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાનું આપણે નક્કી કર્યું છે.
➢ 2030 સુધીમાં 100 ગીગાવૉટ રિન્યૂએબલ એનર્જીનું લક્ષ્ય રાખીને, વડાપ્રધાન એ આપેલા નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકમાં આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે.
➢ આ વર્ષના પ્રારંભે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની મહત્વપૂર્ણ 10મી કડીમાં પણ ગ્રીન ગ્રોથને આપણે પ્રાથમિકતા આપી છે.
➢ “ગેટ વે ટુ ધ” ફ્યુચરની થીમ સાથેની આ સમિટથી વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં વિકસિત ગુજરાતની ભૂમિકા સ્પષ્ટ થઈ છે.
➢ ઊભરતાં ક્ષેત્ર એવાં સેમીકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાત હબ બનવા જઈ રહ્યું છે.
➢ આવનારા દિવસોમાં દેશની પહેલી સેમી કન્ડક્ટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે.
➢ ફ્યુચર રેડી અને આવનારા ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગો માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે.
➢ આવા ઉદ્યોગોને પરિણામે રાજ્યનાં યુવાનો માટે રોજગારીના અવસરો ખુલ્યા છે.
➢ ઔદ્યોગિક એકમોને અનુરૂપ સ્ટાર્ટઅપ યુવાઓના ઇનોવેશનને નવી દિશા મળી છે.
➢ યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ રેકિંગમાં ચાર વર્ષથી ગુજરાત સતત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બનતું આવ્યું છે.
➢ યુવા ઉધોગ સાહસિકોમા સપનાઓને સાકાર કરવા એક હજાર કરોડ રૂપિયાના ભંડોળમાંથી યુવા ઉદ્યોગ સાહસિકોને સહાય આપીએ છીએ.
➢ ઉદ્યમશીલ યુવાનો આ યોજનાનો લાભ મેળવીને પોતાના ઉદ્યોગો શરુ કરીને રોજગાર દાતા બન્યા છે.
➢ આવા તો અનેક ક્ષેત્રોમાં ગુજરાતને 2047 સુધીમાં અગ્રેસર બનાવીને વિકસિત ગુજરાતનો આપણો સંકલ્પ છે.
➢ ભાઈઓ-બહેનો, વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં આપણે એવું વિકસિત ગુજરાત બનાવવું છે, જ્યાં બધાને સાથે રાખીને સર્વસ્પર્શી, સર્વસમાવેશી વિકાસ થાય.
➢ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ધ્યેય સિદ્ધ કરવામાં આ 78મું સ્વતંત્રતા પર્વ આપણને નવી પ્રેરણા પૂરી પાડશે એવો મને વિશ્વાસ છે.
➢ ફરી એકવાર, આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
➢ ભારત માતા કી જય… વંદે માતરમ… જય જય ગરવી ગુજરાત…
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
ગુજરાત2 days ago
મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?
-
ગુજરાત2 days ago
મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું