Connect with us

ક્રાઇમ

દેવભૂમિ દ્વારકામાં ગૌવંશની હત્યાથી અરેરાટી

Published

on


દ્વારકામાં બે શખ્સોએ ગૌવંશને હથિયારો વડે મારી, અને તેના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધાના જઘન્ય બનાવમાં દ્વારકા તથા જામનગરના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કરુણ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં હાથી ગેટની સામેના વિસ્તારમાં રહેતા પરસોતમ ઉર્ફે મનસુખ ઉર્ફે ટુકડો વેલજીભાઈ પરમાર અને જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા દીપક કરસન સોલંકી નામના બે શખ્સો દ્વારા ગૌવંશનું કોઈ પણ તીક્ષ્ણ હથિયાર કે શસ્ત્ર વડે મોતની નીપજાવી અને તેના ટુકડા તથા પગના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ઉપરોક્ત બંને શખ્સો સામે ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે ગૌ પ્રેમીઓમાં રોશની લાગણી ફેલાવી છે.


છરી બતાવીને ધમકી
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા મેઘરાજ હાજાભા ભગાડ નામના 23 વર્ષના યુવાન ગત તારીખ 14 ના રોજ ભીમરાણા ગામે આવેલા મોગલ માતાજીના મંદિરે હતા. ત્યારે કાળા કલરની હેરિયર ગાડીમાં આવેલા મહાવીરસિંહ જયેન્દ્રસિંહ વાઢેર (રહે. ભીમરાણા) એ ફરિયાદી મેઘરાજને પહેલ કે તું અને તારો બાપ મારી અને પરબતભા કનુભા માણેક વચ્ચેની માથાકૂટમાં કેમ રસ લ્યો છો? તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


દારૂૂ સાથે ઝડપાયો
દ્વારકામાં આવળપરા વિસ્તારમાં રહેતા રવિ મહેન્દ્રભાઈ માલવી નામના 34 વર્ષના કુંભાર શખ્સને પોલીસે વિદેશી દારૂૂના ચાર ચપલા સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી. ઓખાના મફતિયા પરા વિસ્તારમાં રહેતા સીદીયાભા આશપારભા માણેક નામના 29 વર્ષના શખ્સને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, મુદામાલ કબજે કર્યો હતો.


ભાણવડ, કલ્યાણપુરમાં બે આસામીઓ સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
ભાણવડના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા સુમિતાબેન ધર્મેશભાઈ રાવલિયા (ઉ.વ. 44) એ પોતાની માલિકીની દુકાન તથા વાળો પરપ્રાંતિય આસામીને ભાડે આપી સ્થાનિક પોલીસને જાણ કરી ન હતી. આ જ રીતે કલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજા નામના યુવાને પોતાનું મકાન ભાડુઆતને આપીને આ ભાડુઆતના આધાર પુરાવા સ્થાનિક પોલીસમાં જમા ન કરાવતા આ અંગે પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ બંને સામે કાર્યવાહી કરી હતી.

ક્રાઇમ

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

Published

on

By

ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.

ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
Continue Reading

ક્રાઇમ

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

Published

on

By

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર પ્રતિબંધ ઓગસ્ટ-2025 સુધી લંબાવી દીધો

કોઈ પણ રાજ્યની પોલીસને કસ્ટડી મળશે નહીં, પૂછપરછ સાબરમતી જેલમાં જ કરવી પડશે

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈનું ના મુંબઈના એનસીપી અજીત પવાર જૂથના નેતા બાબા સીદીકી ઉપરાંત કેનેડાના ખાલિસ્તાન તરફી નેતા હરદિપસિંહ નિજ્જરની હત્યામાં ઉછળ્યું છે. પરંતુ ગુજરાત બહારની પોલીસ સાબરમતી જેલમાંથી તેનો કબજો લઈ શકતી નથી તેની પાછળ કાયદાકીય જોગવાઈ હોવાનુું જણાય છે.


ગોંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈના ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રાલયે પ્રતિબંધ ફરમાવ્યો છે. એક વર્ષના પ્રતિબંધની મુદત ગત ઓગસ્ટ માસમાં પૂર્ણ થતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફરી એકવર્ષ એટલે કે, ઓગસ્ટ-2025 સુધી આપ્રતિબંધ લંબાવી દીધો છે. જેથી કોઈપણ રાજ્યની પોલીસને લોરેન્સની કસ્ટડી મળી શકશે નહીં અને મંજુરી લઈને જ સાબરમતિ જેલમાં પુછપરછ કરી શકશે.


મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. જેને લઈને મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી ઈચ્છે છે, પરંતુ વારંવાર મુંબઈ પોલીસની અરજી ફગાવી દેવામાં આવી રહી છે. ક્યા કારણે મુંબઈ પોલીસને લોરેન્સ બિશ્ર્નોઈની કસ્ટડી મળી નથી તે જાણવું રસપ્રદ છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. એપ્રિલ મહિનામાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને હવે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આવી સ્થતિમાં મુંબઈ પોલીસ પૂછપરછ માટે ગેંગસ્ટરની કસ્ટડી માંગી રહી છે.
એપ્રિલની ઘટના બાદ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, મુંબઈ પોલીસે સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માટે ઘણીવાર અપીલ કરી, પરંતુ ગૃહ મંત્રાલયના એક આદેશના કારણે તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓગસ્ટ મહિનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સ્થળાંતર પ્રતિબંધ (ટ્રાન્સફર પ્રતિબંધ)ને એક વર્ષ માટે લંબાવ્યો હતો, જેના કારણે તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ તેને રાખવામાં આવ્યો છે.
જો કોઈ રાજ્યની પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે તો તેને જેલ પરિસરની અંદર જ કરવી પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ આદેશના કારણે જ મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી બાબા સિદ્દીકીની હત્યા મામલે ગેંગસ્ટર સામે તપાસ ચાલી રહી છે.


ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 268 હેઠળ લાદવામાં આવેલો પ્રતિબંધક આદેશ આ વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તેને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 303 હેઠળ લંબાવવામાં આવ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ ડીઆઈજી શ્વેતા શ્રીમાળીએ પુષ્ટિ કરી કે આ નવો આદેશ ઓગસ્ટ 2025 સુધી અમલમાં રહેશે.

ડ્રગ્સના કેસમાં સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સ બિશ્ર્નોઈ
રાજસ્થાનનો ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈને ડ્રગ્સના કેસમાં ગુજરાત પોલીસે પકડ્યો હતો. કચ્છમાંથી પકડાયેલ ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્ર્નોઈને પકડવામાં આવ્યા બાદ તે એક વર્ષથી સાબરમતિ જેલમાં છે. લોરેન્સના જેલવાસ દરમિયાન જ સલમાનખાનના ઘર ઉપર ફાયરીંગ, અમુક વેપારીઓને કોલ કરી ખંડણી માંગવી અને છેલ્લે મુંબઈમાં બાબાસીદીકીની હત્યામાં તેનું નામ ઉછળી રહ્યું છે. પરંતુ અન્ય રાજ્યોની પોલીસને આજ સુધી લોરેન્સ બિશ્ર્નોઈનો કબજો મળ્યો નથી.

Continue Reading

ક્રાઇમ

ગુજરાતમાં ડ્રગ્સ બનાવી 7 રાજ્યમાં મોકલવાના કાવતરાનો પર્દાફાશ

Published

on

By

દુબઇથી વિરેન્દ્ર વસોયા ઉર્ફે વીરૂ યુકેના સતવિંદર મારફતે ડ્રગ્સ ઘુસાડતો હતો: ગુજરાતમાં ફાર્મા કંપનીમાં રીફાઇન કરીને દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સપ્લાય કરાતું હતું


દુબઈ સ્થિત ગેંગસ્ટર વિરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં પહોંચાડતો હતો. ગુજરાતમાંથી તેને દિલ્હી અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી.
દિલ્હી અને ગુજરાતમાંથી 13 હજાર કરોડ રૂૂપિયાના ડ્રગ્સ ઝડપાયાના મામલામાં નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન, સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે દાણચોરોનું નેટવર્ક દિલ્હી, પંજાબ, કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે. પભારતનો નકામા માલથ સૌથી પહેલા ગુજરાતમાં પહોંચ્યો હતો.


આ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક દાણચોરોનો સમાવેશ થાય છે. દુબઈ સ્થિત કિંગપિન વીરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર, યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં લઈ જતો હતો, જ્યાં કાચા માલને ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિફાઈન કરીને દિલ્હી મોકલવામાં આવતો હતો, જેનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ થતો હતો. દાણચોરી આ પછી તેને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. હજુ પણ ઘણા આરોપીઓ ફરાર છે.


કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ ગુજરાતમાં પહોંચાડનારા અનેક ફરાર આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ એવો પણ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીમાં ઝડપાયેલા લગભગ 1,300 કિલો કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ દક્ષિણ અમેરિકન દેશોના દાણચોરો દ્વારા ગુજરાતની ડ્રગ્સ કંપનીમાં પહોંચાડવામાં આવ્યું હતું. જોકે, આ ગેંગનો પર્દાફાશ થતાં જ નેટવર્ક સાથે સંકળાયેલા ઘણા મોટા ખેલાડીઓ, ખાસ કરીને યુકેના નાગરિકો અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા દાણચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગુજરાતમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ – વિજય ભેસનિયા, અશ્વની રામાણી, બ્રિજેશ કોઠિયા, મયુર દેસલે અને વડોદરાના રહેવાસી અમિત – યુકે સ્થિત હેન્ડલર્સ સાથે નજીકના સંબંધો ધરાવતા હતા.


ટોળકીના કોઈને પણ ખબર ન હતી કે કોણ શું કામ કરે છે. વાસ્તવમાં, આ નેટવર્ક મુખ્યત્વે દુબઈના વીરેન્દ્ર બસોયા, યુકેના સતવિંદર અને ભારતના તુષાર ગોયલ દ્વારા સંચાલિત હતું. ત્રણેયનું પોતાનું અલગ નેટવર્ક હતું. ત્રણેય લોકલ નેટવર્ક સાથે જોડાયેલા લોકો સાથે કોડ વર્ડ્સમાં વાત કરતા હતા. દાણચોરીને છુપાવવા માટે આનો ઉપયોગ સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે થતો હતો. અત્યાર સુધીમાં 13 હજાર કરોડ રૂૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે સ્પેશિયલ સેલે દિલ્હીના મહિપાલપુરમાં એક વેરહાઉસમાંથી 560 કિલોથી વધુ કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. તેની કિંમત 5,620 કરોડ રૂૂપિયા આંકવામાં આવી હતી અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં અન્ય બે અમૃતસર અને ચેન્નાઈમાંથી ઝડપાયા હતા. આ કેસમાં હજુ પણ ઘણા તસ્કરો ફરાર છે, જેમને સ્પેશિયલ સેલ શોધી રહી છે.

Continue Reading
Sports2 mins ago

IND VS NZ: માત્ર 46 રનમાં જ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ

રાષ્ટ્રીય8 mins ago

હરિયાણામાં ત્રીજી વખત ભાજપ સરકાર, નાયબ સૈનીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી, શાહ- નડ્ડા રહ્યા હાજર

ક્રાઇમ40 mins ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

ગુજરાત46 mins ago

કાલાવડના આંબેડકર નગરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી યુવાન પર 4નો તલવારથી હુમલો

ગુજરાત48 mins ago

જી.જી. હોસ્પિટલના પ્રથમ માળેથી દર્દીએ લગાવી છલાંગ: બાલબાલ બચ્યો: અનેક ફ્રેક્ચર

ગુજરાત50 mins ago

સેન્ટ્રલ બેંક વિસ્તારની ઇચ્છાણી ફળીમાં તસ્કરો ત્રાટકયા: નિંદ્રાધીન વૃધ્ધના મકાનમાંથી રૂા.8.85 લાખની ચોરી

ગુજરાત53 mins ago

પુત્રના ત્રાસથી કંટાળેલા પ્રૌઢનો પોલીસ મથકમાં જ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ

અમરેલી54 mins ago

રાજુલાના ચારનાળા નજીક કાર અડફેટે બાઇકચાલક સહિત બેનાં કરૂણ મોત

ગુજરાત1 hour ago

સોમનાથમાં ગેરકાયદે ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઇ રાહત નહીં, ત્રણ અઠવાડિયા પછીની મુદત પડી

ગુજરાત1 hour ago

એસ.ટી. બસોમાં પણ ખાનગી બસો જેવી સુવિધા આપવામાં આવશે: સંઘવી

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય20 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય21 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત21 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending