Connect with us

ગુજરાત

અનરાધાર 12 ઇંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયું

Published

on

જનજીવન પર માઠી અસર, રણજિત સાગર રોડ પરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, 60 લોકોનું રેસ્કયૂ

જામનગરમા છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદની સરેરાશ ચાર થી વધુ ઇંચ નોંધાઈ છે. જો કે, લાલપુર તાલુકામાં સૌથી વધુ નવ મીમી વરસાદ નોંધાયો છે.
જિલ્લા કંટ્રોલ રૂૂમના જણાવ્યા અનુસાર આજે સવારે છ ના વાગ્યા સુધીમા જામનગર શહેરમાં 107 મીમી, જોડીયામાં 66 મીમી, ધ્રોલમાં 63 મીમી, કાલાવડમાં 172 મીમી, લાલપુરમા 168 મીમી અને જામજોધપુરમાં 218 મીમી વરસાદ નોંધાયો છે. દર બે કલાકે પડેલા વરસાદના આંકડાઓ મુજબ, રાત્રિના સમયે વરસાદની તીવ્રતા વધી હતી. જામનગર શહેરમાં સવારથી સાંજ સુધીમાં 107 મીમી વરસાદ નોંધાયો છે. જોડીયા, ધ્રોલ, લાલપુર અને કાલાવડમાં પણ સરેરાશ 60 થી 170 મીમી વરસાદ નોંધાયો છે.


જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારના ગામડાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના અનેક ગામોમાં 8 થી 11 ઇંચ સુધી વરસાદ નોંધાતાં ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.


વિગતો મુજબ, વસઈમાં 185 મીમી, લાખાબાવળમાં 175 મીમી, જામવંથલીમાં 230 મીમી, મોટી ભલસાણમાં 235 મીમી, દરેડમાં 195 મીમી, ખરેડીમાં 196, મોટા વડાળામાં 150 મીમી, ભલસાણ બેરાજામાં 170 મીમી, મોટા પાંચદેવડામાં 190 મીમી, સમાણામાં 176 મીમી, શેઠ વડાળામાં 155 મીમી, વાંસજાળીયામાં 180 મીમી, ધ્રાફામાં 180 મીમી, પરડવામાં 175 મીમી, નરએણમાં 205 મીમી, મોડપરમાં 195 મીમી, હરીપરમાં 185 મીમી, સૈથી વધુ લતીપુરમાં 290 મીમી, સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે.


આ ભારે વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તાઓ બંધ થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જળબંબાકાર વાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.


ખાસ કરીને રણજીતસાગર વિસ્તારના પટેલ પાર્ક, વૃંદાવન પાર્ક, મોદી સ્કુલ, કાલીંદી સ્કુલ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.શહેરના શુભમ સોસાયટી 2, 3, 4, કિર્તી પાન રોડ, રણજીતસાગર રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહી કરીને 2 પ્રેગ્નન્ટ મહિલાઓ સહિત 40થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.ડ્રોન કેમેરાથી લેવામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે રસ્તાઓ અને ઘરો પાણીમાં ડૂબી ગયા છે.

અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોને પોતાના ઘરો ખાલી કરીને સલામત સ્થળે જવું પડ્યું છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. પરંતુ ભારે વરસાદને કારણે પાણી નિકાલની કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ છે.

ધોધમાર વરસાદથી વિકરાળ સ્થિતિ: લોકોના જીવન અને મિલકતને ભારે નુકસાન
છેલ્લા ત્રણ દિવસથી જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરમાં જળબંબાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોના જીવન અને મિલકતને ભારે નુકસાન થયું છે.શહેરના રણજીતસાગર રોડ, સરદાર પાર્ક, વ્રજ, આશીર્વાદ, મંગલદીપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી, અનાજ, કઠોળ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની વસ્તુઓ બગડી ગઈ છે. ઘરોમાં કાદવ કિચડ ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રંગમતી નદી બે કાંઠે વહી રહી છે. જામનગર જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમને રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ભારે વરસાદને કારણે જામનગર શહેરનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને રોજિંદા જીવન જીવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. શહેરના વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા છે.

દરેડમાં ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ
જામનગર નજીક દરેડ અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે દરેડ વિસ્તારમાં આવેલું ખોડીયાર મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે, અને માત્ર મંદિરના ગુંબજ દેખાયા છે. જામનગર નજીક દરેડ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે તેમજ રણજીત સાગર ડેમ અને કંકાવટી ડેમ ઓવરફ્લો થઈ જવાના કારણે રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, અને દરેડનું ખોડીયાર મંદિર કે જે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મંદિરના માત્ર ગુંબજ દેખાઇ રહ્યા હતા, અને પાણીનો ધસમસતો પ્રવાહ મંદિર પરિસર વિસ્તારમાંથી વહી રહ્યો છે.


બેડી યુવાન તણાયો: તંત્ર દ્વારા શોધખોળ
જામનગરના બેડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક યુવાન તણાઈ ગયો હતો. જે અંગેની માહિતી પોલીસને મળતાં સૌપ્રથમ પોલીસ તંત્ર દોડતું થયું હતું જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખુદ બનાવના સ્થળે પહોંચ્યા હતા, અને બાળકને શોધવા માટે ની સમીક્ષા કરી હતી. પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ એસ.ડી.આર.એફ. ની ટીમ પણ લાપતા બનેલા યુવાનને શોધવામાં જોડાઈ હતી. જો કે મોડી સાંજ સુધી યુવાનનો કોઈ પત્તો સાંપડ્યો નથી, જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે.


ત્રણ દરવાજા પાસે હોર્ડીંગનું જોખમ
ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી એક ઇમારતની અગાસી પર લગાવેલું એક વિશાળ હોડિંગ આજે અચાનક તૂટી પડ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ હોડિંગ હાલમાં બાજુની દુકાનના બિલ્ડીંગ પર અડધું લટકી રહ્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારમાંથી પસાર થતા લોકો પર કોઈપણ સમયે પડી શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં.

ગુજરાત

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

Published

on

By

રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી

રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.


ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.


રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.


રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.


આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.


36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.


કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Published

on

By

જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.

ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Published

on

By

લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ

રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.


મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.

છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.


છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Continue Reading
રાષ્ટ્રીય14 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય14 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત14 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત14 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય14 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય14 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય14 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય14 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય14 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

રાષ્ટ્રીય17 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Trending