કાલે ફરી અમિત શાહ ગુજરાતમાં, 651 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

  ઉત્તરાયણમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વિવિધ લોકાર્પણ અને ખાતમૂહ્રતના કાર્યો તેમણે કર્યા હતા. ત્યારે આગામી 23 જાન્યુઆરીના રોજ તેઓ ગુજરાત આવનાર છે.જેમાં તેઓ 651…

 

ઉત્તરાયણમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વિવિધ લોકાર્પણ અને ખાતમૂહ્રતના કાર્યો તેમણે કર્યા હતા. ત્યારે આગામી 23 જાન્યુઆરીના રોજ તેઓ ગુજરાત આવનાર છે.જેમાં તેઓ 651 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરનાર છે.

આ દિવસે ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિકાસના કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓ કરશે. મળતી માહિતી મુજબ ઝુંડાલમાં 100 કરોડના આઇકોનિક રોડનું લોકાર્પણ કરવામાં આવશે, થલતેજ વોર્ડમાં 13 કરોડમાં શિલજ તળાવનું અને બોડકદેવ વોર્ડમાં 3.35 કરોડના ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું પણ લોકાર્પણ કરશે.આ ઉપરાંત ત્યારે બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસો અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરનાર છે. જેમાં ચેનપુર અન્ડરપાસ ખુલ્લો મૂકવામાં આવશે. આ ઉપરાંત તેઓ જાહેર સભા દરમિયાન રાણીપવાસીઓને સંબોધન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *