ટંકારામાં શ્રીરામ ફેક્ટરીમાં ફાઈબર શેડ પરથી પડતા અમદાવાદના શ્રમિકનું મોત

અમદાવાદના કાળુપુર વિસ્તારના રહેવાસી મોહમ્મદજુનેદ નુરમોહમ્મદ શેખ (37)નું ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલી શ્રીરામ ફેક્ટરીમાં કામ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. ફેક્ટરીમાં ફાઇબરના શેડ…

અમદાવાદના કાળુપુર વિસ્તારના રહેવાસી મોહમ્મદજુનેદ નુરમોહમ્મદ શેખ (37)નું ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલી શ્રીરામ ફેક્ટરીમાં કામ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. ફેક્ટરીમાં ફાઇબરના શેડ ઉપર કામ કરતી વખતે અચાનક તેમનું સંતુલન ખોરવાતા તેઓ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.

મૃતક યુવાનના મોટાભાઈ સોહિલભાઈ નુરમોહમ્મદ શેખ (40)એ ટંકારા પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરી હતી. પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધીને આગળની તપાસ શરૂૂ કરી છે. મૃતક મોહમ્મદજુનેદ હરણવાળી પોળ, નવી મોહલ્લત, કાળુપુર, અમદાવાદમાં રહેતા હતા અને રોજગારી અર્થે ટંકારાની શ્રીરામ ફેક્ટરીમાં કામ કરતા હતા.

આ દુર્ઘટના ઔદ્યોગિક સલામતીના મુદ્દાને ફરી એકવાર સામે લાવે છે. ફેક્ટરીઓમાં ઊંચાઈ પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે યોગ્ય સલામતી સાધનો અને પગલાંની આવશ્યકતા પર ભાર મૂકે છે. પોલીસ તપાસમાં ફેક્ટરીમાં સલામતીના ધોરણો જળવાયા હતા કે કેમ તે અંગે પણ તપાસ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *