કચ્છ
કચ્છના નાના રણના અગરિયાઓના હક્ક દાવા મંજૂર ન થતાં લડી લેવાના મૂડમાં
કચ્છના નાના રણમાં મીઠું પકવવા 3437 અગરિયાઓએ હક્ક દાવા રજૂ કર્યા હતા, જેમાંથી સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગે માત્ર 497 અગરિયાઓના હક્ક દાવાઓ જ માન્ય રાખ્યા છે. આથી હવે આગામી મીઠું પકવવાની સીઝનમાં 85 % અગરિયાઓ મીઠું પકવવા રણમાં ન જઈ શકવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. ત્યારે કચ્છના નાના રણના મીઠું પકવતા અગરિયાઓ લડી લેવાના મૂડમાં છે અને એ માટે આગામી દિવસોમાં મહા સંમેલન બોલાવવાનું એલાન કરવામાં આવ્યું છે.
કચ્છના નાના રણમાં છ તાલુકાના 107 ગામોના 3437 અગરિયાઓએ સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગમા હક્ક દાવાઓ રજૂ કર્યા હતા. જેમાંથી માત્ર 85 % અગરિયાઓનો દાવો નામંજૂર કરી માત્ર 497 અગરિયાઓના જ હક્ક દાવાઓ મંજૂર કરાતા હવે બાકીના 3000 જેટલા અગરિયા પરિવારોને રણમાં મીઠું પકવવા જવા માટેની પરવાનગી નહીં મળે તો ગુજરાતમા કચ્છના નાના રણમાં મીઠાનું ઉત્પાદન 80 % જેટલું ઘટી જશે. આથી રણમાં મીઠું પકવતા જે અગરિયાઓના નામ હક્ક દાવામાં રહી ગયા એ તમામ અગરિયાઓએ આજે ખારાઘોડા ખાતે આગામી રણનીતિ ઘડવા મેરોથોન મિટિંગ યોજી હતી.
જેમાં ખારાગોઢા ખાતે અગરિયા સોસાયટીમાં અગરિયા મહાસંઘની મેરોથોન મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા સહીત મોટી સંખ્યામાં અગરિયા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મીઠું પકવતા અગરિયા ભાઈઓએ હાજરી આપી હતી. જેમાં ગયા વર્ષે અગરિયાઓનું સર્વે કરી હક દાવા માટે અગરિયાનું લિસ્ટ સર્વે સેટલમેન્ટ કચેરી, સુરેન્દ્રનગરની ઓફિસે આપ્યુ હતું. જેમાંથી અગાઉ થયેલા તમામ દાવા અરજીમાંથી ફક્ત 497 અગરિયાના જ હકદાવા મંજુર કરવામાં આવ્યા છે. જેના માટે એક ચોક્કસ આયોજન સાથે સરકારમાં રજુઆત કરવામાં આવશે. જે અંગે અગરીયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામાએ જણાવ્યું કે, રણ વિસ્તારને લગતા તમામ ગામના અગરિયા મિત્રો, તમામ ગામના સરપંચો, રાજકીય આગેવાનો, તમામ વેપારી મિત્રો અને મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોનું મહાસંમેલન કરવામાં આવશે. જેમાં સરકારમા આ બાબતે રજૂઆત સાથે આગામી રણનીતિ પણ ઘડવામાં આવશે.
કચ્છ
કચ્છમાં ઇદના દિવસે બોલેરોના ચાલકે આઠ વર્ષના બાળકને કચડી નાખતાં મોત
આજે સવારે ખાવડાની કોટડા ચેકપોસ્ટ પાસે ધ્રોબાણાના ધુબારાવાંઢનું આઠ વર્ષીય બાળક રિઝવાન રાજપાર સમા માર્ગ પર પગે જઇ રહ્યું હતું, ત્યારે બોલેરોએ તેને કચડી નાખતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. ઇદના દિવસે જ પરિવાર પર આભ તૂટી પડયું હતું, જ્યારે અંજારમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ખાવડા પાસેની કોટડા ચેકપોસ્ટ નજીક થયેલા કરુણ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં ધ્રોબાણા ધુબારાવાંઢ (ખાવડા)નો આઠ વર્ષીય માસૂમ રિઝવાન રસ્તો પાર કરી રહ્યો હતો ત્યારે બાલેરો નં. જી.જે. 12 સી.ટી. 5654એ તેને કચડી નાખતાં માથા તથા પગમાં ગંભીર ઇજાનાં પગલે ઘાયલ થયો હતો. પ્રથમ ખાવડા બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો.
આ અકસ્માત અંગે રિઝવાનના કાકા રસીદ જાકબ સમાએ વિગતો જાહેર કરી ખાવડા પોલીસ મથકે બોલેરોચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ઇદના દિવસે જ આ ગોઝારી ઘટનાથી પરિવાર અને સંબંધીઓ પર આભ તૂટી પડયું હતું. બીજી તરફ અંજારમાં જેસલ તોરલ નજીક આવકાર ગેસ્ટહાઉસ, તુલસી સોડા શોપની બાજુમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ભિક્ષુક જેવો લાગતો આ યુવાન ગઇકાલે સવારે બેભાન મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનના પગમાં પાટો બાંધેલો છે. તેના સંબંધીઓએ અંજાર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
કચ્છ
નલિયાની જેલની દીવાલ કૂદી કેદીનો ભાગવાનો પ્રયાસ
કેદીનો હાથ ભાંગી ગયો, સારવારમાં ખસેડાયો
અબડાસા તાલુકાના ડુમરામાં દારૂૂના નશામાં ઝડપાયેલા આરોપીને નલિયાની સબ જેલમાંથી નાસવાનો પ્રયાસ ભારે પડયો હતો. આ બનાવની તબક્કાવાર વિગતો રમૂજ સાથોસાથ રોચક છે. બપોરે 11-12 વાગ્યાના અરસામાં કોઠારા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ડુમરાના બસ સ્ટેશન પાસે લથડિયા ખાતે ગામના કોલીવાસનો કરશન ઉર્ફે કિશન બાબુ કોળી (ઉ.વ. 20) મળી આવ્યો હતો. કોઠારા પોલીસે કેફી પીણું પીધેલા કરશન ઉપર ગુનો દાખલ કરી અટક કરી નલિયા સબ જેલને સોંપ્યો હતો.
નલિયાની સબ જેલમાં કેદ આરોપી કરશને બાથરૂૂમ જવાનું કહેતાં તેને બાથરૂૂમ લઇ જવાયો હતો ત્યારે તે સબ જેલની પાછળની દીવાલ કૂદીને ભાગવા જતાં માથેથી પટકાયો હતો. આથી કરશનને હાથમાં અસ્થિભંગ અને મોઢાના ભાગે ઇજા થતાં દાંત તૂટી પડયા હતા. આમ, કરશન માટે કેદમાંથી ભાગવાનો પ્રયાસ ભારે પડયો હતો. નાસવાના પ્રયાસ અંગે પણ નલિયા પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
કચ્છ
કચ્છમાં ફરી એક વખત ધરા ધ્રૂજી, ભચાઉ નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
કચ્છમાં ફરી ભૂકંપના આચંકા અનુભવાયા છે. ભચાઉ નજીક આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આજે સવારના 6:59 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી.કચ્છની ધરા પરથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 10 કિ.મી. દૂર નોંધાયું છે. બે મહિના અગાઉ કચ્છના ભચાઉમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો
ત્યારબાદ 10 ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી.
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને ધ્રુજાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે.
-
રાષ્ટ્રીય23 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય24 hours ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત19 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય19 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક18 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે