હળવદના પલાસણમાં આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો

જૂના મનદુ:ખના કારણે હત્યાને અંજામ આપ્યો હોવાનું આરોપીનું રટણ હળવદના ગોલાસણ અને પલાસણ વચ્ચે આધેડની માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધેલી હાલતમાં…

જૂના મનદુ:ખના કારણે હત્યાને અંજામ આપ્યો હોવાનું આરોપીનું રટણ

હળવદના ગોલાસણ અને પલાસણ વચ્ચે આધેડની માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મથકે મળેલી માહિતી મુજબ હળવદના પલાસણ ગામની સીમમાં તરશીભાઈ નાગજીભાઈ વિઠલાપરા ઉ.વ.45 રહે.પલાસણ વાળાને માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી જેમાં પોલીસે તપાસ કરતા જુનાં મનદુ:ખનો ખાર રાખીને આરોપી ઝાલાભાઈ રામાભાઈ મુધવા ઉ.વ.47 રહે. પલાસણવાળાએ માથાના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી હતી. પોલીસે આ આરોપીને ઝડપી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *