ઉનામાં રેંકડી ચલાવી પેટીયું રળતા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યા

અજાણ્યા શખ્સો હત્યા નીપજાવી નાસી છૂટયા ઊના શહેર નાં અંજાર રોડ ઉપર આવેલ નદી નાં કાંઠા પાસે અંજાર ગામનાં યુવાન ની કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો…

અજાણ્યા શખ્સો હત્યા નીપજાવી નાસી છૂટયા

ઊના શહેર નાં અંજાર રોડ ઉપર આવેલ નદી નાં કાંઠા પાસે અંજાર ગામનાં યુવાન ની કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો નાં મારી મોડીરાત્રે મોતને ઘાટ ઉતારી દેતાં પોલીસ નો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતક યુવાનો મૃતદેહ સરકારી હોસ્પિટલ માં પી એમ માટે ખસેડી તપાસ નો ધમધમાટ શરૂૂ કર્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર મોડીરાત્રે અંજાર રોડ ઉપર આવેલા નદી કાંઠે આવેલ રોડ ની સાઇડ માં લોહીલુહાણ હાલતમાં કોઇ શખ્શ ની લાશ પડી હોવાની જાણ ઉના પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ રાણા ને થતાં ડી સ્ટાફ નાં મોટા કાફલા સાથે અધિકારી બનાવ સ્થળે દોડી ગયાં હતાં અને તપાસ કરતાં મૃતક યુવાન અંજાર ગામનો સોલંકી જીતુભાઈ કાનજીભાઈ ઉર્ફે બારોટ ઉવ 45 હોવાનું બહાર આવ્યું હતું અને ઊના નાં શિશુભારતિ સ્કૂલ પાસે ચા ની કેબીન ધરાવતો હતો આ યુવાન નાં મૃતદેહ નું નિરિક્ષણ કરતાં માથાં નાં ભાગે કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરો નાં ધા મારી ને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ દ્વારા અનુમાન થયું હતું.

ઉના પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ રાણા એ બનાવ સ્થળે દોડી જઇ મરણજનાર નો મૃતદેહ કબજે કર્યો હતો અને ઉના સરકારી હોસ્પિટલ માં પી એમ માટે ખસેડી મૃતકના પરિવારજનોને જાણ કરાતાં તે દોડી આવ્યા હતા આ બનાવ અંગેની પોલીસ ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ યુવાન નાં મૃત્યુ અંગે નું કારણ શોધીને હત્યા માં સંડોવાયેલા અજાણ્યા શખ્સો ની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *