શહેરમા નવાગામ વિસ્તારમા આવેલ માંધાતા સોસાયટીમા રહેતા પ્રૌઢે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી .
આ અંગે જાણવા મળતી વિગત મુજબ નવાગામમા આવેલ માંધાતા સોસાયટીમા રહેતા મુકેશભાઇ સામતભાઇ કુમારખાણીયા (ઉ.વ. 4પ) પોતાનાં ઘરે હતા ત્યારે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો . મૃતક પ્રૌઢને સંતાનમા બે પુત્ર અને 3 પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
અન્ય બનાવમા જુદા જુદા 3 સ્થળે સગીર સહીત ત્રણએ જવલનશીલ પ્રવાહી પી લીધુ હતુ જેમા ઠકકરબાપા હરીજનવાસમા રહેતા વિરાજ રામભાઇ લઢેર (ઉ.વ. 17) એ ફીનાઇલ, રૈયાધાર ઇન્દીરાનગરનાં ચંદ્રેશ દીલીપભાઇ પરમાર (ઉ.વ. 19) એ એસીડ અને મહાત્મા ગાંધી પ્લોટમા રહેતા રંજનબેન શંકરભાઇ મકવાણા (ઉ.વ. 4પ) એ ફીનાઇલ પી લીધુ હતુ. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
