Connect with us

ક્રાઇમ

જ્ઞાન સહાયકોની નોકરી ઉપર લટકતી તલવાર

Published

on

શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તો છૂટા કરવા અને જરૂરિયાત મુજબ કરાર રિન્યૂ કરવાના પરિપત્રથી વિવાદ

શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવાામં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા એક પરીપત્ર કરતા વિવાદ છેડાયો છે જે શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય ત્યાંથી જ્ઞાન સહાયકોને છુટા કરવા અને જરૂરીયાતવાળી શાળાઓમાં કરાર રિન્યુ કરવા આદેશ કરાયો છે. આ પરિપત્રથી રોજગારી પર લટકતી તલવાર હોય ફરી એકવાર રોજગારીનો પ્રશ્ર્નાર્થ શિક્ષકોમાં ઉભો થતા કચવાટ ફેલાયો છે.
શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકના કરાર રીન્યુ કરવા બાબતનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જ્યાં જગ્યાઓ મંજુર છે અને ખાલી છે એવી જગ્યા પર જ્ઞાન સહાયક ને કરાર રીન્યુ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત 31-7-2024 ની સ્થિતિએ જો જગ્યા ખાલી ન હોય તો ત્યાં જ્ઞાન સહાયકને છૂટા કરવા સૂચના આપવામાં આવી છે. તથા બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ ખાલી રહેલી જગ્યા પર જ્ઞાન સહાયકની નિમણૂક કરવાની માહિતી આ પરિપત્રમાં આપવામાં આવી હતી.


શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓમાં હાલ કાર્યરત જ્ઞાનસહાયકોના કરારની અવધિ તા.31-07-2024 ના રોજ પૂ્ણ થતી હોઇ કરાર રિન્યુ કરવા બાબતે કાર્યવાહી હાથ ધરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.


તા.31-07-2024 ની સ્થિતીએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તેવી શાળાઓમાં કાર્યરત જ્ઞાનસહાયકને છુટા કરવાના રહેશે. તા.31-07-2024 ની સ્થિતીએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી રહેતી હોય અને તે શાળાઓમાં જ્ઞાન સહાયક કાર્યરત હોય, તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આવા જ્ઞાનહાયકના કરાર રીન્યુ કરવાના રહેશે.


તા.31-07-2024ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી તા.11-05-2023ના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઇ મુજબ ક્રમાનુસાર વધ-ઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેર બદલી કેમ્પમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે, તો આ સ્થિતીમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાનસહાયકોને છુટા કરવાના રહેશે.


કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર રાજ્ય કક્ષાએથી જ્ઞાનસહાયકને કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

અમરેલી

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

Published

on

By

અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.


સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.

Continue Reading

ક્રાઇમ

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

Published

on

By

ચોટીલાના નાની મોલડી ગામે કાઠી દરબાર ભુપતભાઇ જેઠુરભાઇ ખાચરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખી હત્યામાં સંડોવાયેલ ઝીંઝુડાની 27 વર્ષીય યુવતી અને તેના બે સગીર ભાઇઓની ધરપકડ કરી હતી. રૂપીયાની લેતી દેતી બાબતે કાઠી દરબાર પ્રૌઢને મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દીધી હતી.


ચોટીલાના ઠાંગા પંથકમાં આવેલ ઠાંગનાથ મહાદેવજીના મંદીર પાસે આવેલા કુવામાંથી નાની મોલડીના 48 વર્ષીય ભુપતભાઈ જેઠુરભાઈ ખાચરની લાશ મળી આવી હતી. લાશ પર ઈજાના નીશાન હોવાથી તેઓની હત્યા કરાઈ હોવાનું પ્રથમ દૃષ્ટીએ લાગતુ હતુ. ત્યારે મૃતકના ભાઈ ભરતભાઈ જેઠુરભાઈ ખાચરે ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગૌસ્વામી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.


આ ફરિયાદ નોંધાતા જ નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કરીને 20 વર્ષીય ધારા ગૌસ્વામી અને તેના ર સગીર ભાઈઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ધારા ગૌસ્વામી અને મૃતક ભુપતભાઈ છેલ્લા દોઢેક વર્ષથી એક બીજાના સંપર્કમાં હતા. ધારા અવારનવાર ભુપતભાઈને બાઈક પર મુકવા આવતી હતી. અને બન્ને વચ્ચે પૈસાની લેતી-દેતીના સબંધો પણ થયા હતા.
ત્યારે આ પૈસાની લેતી દેતી બાબતે જ ધારાએ બન્ને સગીર ભાઈઓ સાથે મળી હત્યાનો પ્લાન કર્યો હતો. અને બનાવના દિવસે પણ રાત્રે ધારા બાઈક લઈને ભુપતભાઈને મુકવા આવી હતી. અને બન્ને ઠાંગનાથ મહાદેવ મંદીર નજીક આવેલા કુવા પાસે બેઠા હતા. જેમાં ધારાના 2 સગીર ભાઈઓ અગાઉથી હાજર હતા. અને બન્નેએ લોખંડના પાઈપના ઉપરા છાપરી 5 થી 6 ભુપતભાઈના માથે મારી તેઓનું ઘટનાસ્થળે મોત નીપજાવ્યુ હતુ. બાદમાં બનાવ આત્મહત્યાનો લાગે તે માટે લાશને કુવામાં ફેંકી દીધી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

અંકલેશ્ર્વરથી રાજકોટ આવતા બે શખ્સો 3156 દારૂની બોટલ સાથે ઝડપાયા

Published

on

By

સાયલાના નવા સુદામડા ગામ પાસે પોલીસે બાતમીના આધારે ટ્રકને ઊભી રખાવીને તલાસી લીધી હતી. જેમાંથી 21 દારૂૂની પેટી, બિયર અને ચપલા સહિત કુલ 3156 વિદેશી દારૂૂનો જથ્થા સાથે ટ્રકચાલક અને ક્લિરને ઝડપી લીધા હતા. આ બનાવમાં દારૂૂ અને ટ્રક સહિત કુલ રૂૂ. 8.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાયલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નેશનલ હાઇવે ઉપર વિદેશી દારૂૂની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. સાયલા પોલીસે નવા સુદામડા ગામ પાસે વોચ રાખી હતી પૂરઝડપે રાજકોટ તરફ જતી ટ્રકને ઊભી રખાવીને પૂછપરછ કરતા તેમાં માલના પાર્સલ હોવાનું વાહનચાલકે જણાવ્યું હતું.


પરંતુ સાયલા પોલીસે ટ્રકની પાછળ માલના પાર્સલની તપાસ હાથ ધરતા પ્લાસ્ટિક કંતાન વીંટાળેલા પાર્સલોમાં વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. ટ્રકચાલકની પૂછપરછ કરતા પોરબંદરવાળા 56 વર્ષના નરેશ કિશન પરમાર અને 10થી વધુ દારૂૂ પીવાના ગુનામાં આરોપી ક્લિનર તરીકે સબીર યુનુસ હાજી માકડા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રક સહિત તમામ મુદ્દામાલ સાયલા પોલીસ સ્ટેશનને લઈ જવાયો હતો.


વિદેશી દારૂૂની તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની 21 વિદેશી દારૂૂની પેટી, બિયર અને ચપલા સહિત કુલ 3156 વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 3,37,320નો વિદેશી દારૂૂ અને બિયર તેમજ રૂૂપિયા 5 લાખની ટ્રક સહિતનો કુલ રૂૂ. 8,37,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને બંને આ આરોપી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ટ્રકચાલક નરેશભાઈ પરમારની પ્રાથમિક તપાસમાં અંકલેશ્વરથી વિદેશી દારૂૂ ભરીને જતો હોવાનું બહાર આવ્યું હતું.

Continue Reading
આંતરરાષ્ટ્રીય4 mins ago

ચાહકોની ગેરવર્તણૂકથી સ્ટેજ છોડી ભાગી જાણીતી સિંગર શકીરા

રાષ્ટ્રીય5 mins ago

આતિશી બનશે દિલ્હીના નવા CM,વિધાયક દળની બેઠકમાં લેવાયો અંતિમ નિર્ણય

મનોરંજન8 mins ago

કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની

આંતરરાષ્ટ્રીય10 mins ago

SIIMA-2024માં ઐશ્ર્વર્યા રાયને પોનિયન સેલ્વન-2 માટે ક્રિટિક્સ એવોર્ડ

Sports13 mins ago

બાંગ્લાદેશને હળવાશથી ન લેતા, ટીમ ઈન્ડિયાને ગાવસ્કરે આપી ચેતવણી

ગુજરાત14 mins ago

ગોંડલમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને આખલાએ ઢીંકે ચડાવતાં મોત

ગુજરાત18 mins ago

વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતા આર્થિક સંકડામણથી ખેડૂતનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

Sports22 mins ago

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીનનો મુકાબલો

ગુજરાત22 mins ago

આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ

ગુજરાત25 mins ago

ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે જાતરના મેળામાં જુગારના છ દરોડા, 22 શખ્સો ઝડપાયા

રાષ્ટ્રીય24 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત20 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત20 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત20 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending