ગુજરાત
કાલાવડ પાસેથી કુખ્યાત ધાડપાડુ ગેંગ ઝડપાઇ
મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં એલસીબીએ પાંચ શખ્સોને ઝડપી લીધા, દસ ગુનાનાં ભેદ ઉકેલાયો
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં લૂંટ-ધાડ કરવાના ઇરાદે ઉતરેલી ગેંગના પાંચ સભ્યોને એલસીબી ની ટુકડીએ ગઈ રાત્રે અનેક ધારદાર હથિયારો સાથે ઝડપી લીધા છે. જેઓ લૂંટ- ધાડની ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તમામને અટકાયતમાં લઈ લીધા હતા. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ પંથકમાં ચોરી-લૂંટ-ધાડ ના ઇરાદે ઉતરેલી ચોક્કસ ગેંગ કે જે આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે ઘૂમી રહી છે.
જે બાતમીના આધારે કાલાવડના રણુજા રોડ પર એલસીબી ની ટુકડીએ મોડી રાત્રે વોચ ગોઠવી હતી. કાલાવડના દેવપુર રણુંજા જવાના રોડ પર ઔધીગીક વસાહતના ગેઇટ નજીક લુંટ-ધાડ પાડવાની તૈયારી માટે એકત્ર થયેલ ટોળકીને એલસીબીએ દબોચી લીધી હતી તેની પાસેથી એક બાઇક, મોબાઇલ અને ગણેશયા, પાઈપ, છરી જેવા ઠથીયારો મળી આવ્યા હતા, પાંચની સામે ફરીયાદ કરવામાં આવી છે. પછપરછમાં 10 ગુનાના ભેદ ઉકેલાયા છે.
પકડાયેલ આરોપીઓ અનેક ગુનામાં સંડોવાયેલ છે જયારે અન્ય એક આરોપી 10 ગુનામાં સંડોવાયેલ છે. આરોપીઓ વિરુધ્ધ 48થી વધુ ગુના દાખલ થયા હોવાનું તપાસ દરમ્યાન બહાર આવેલ છે. એસપહી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ મોરી, પીએસઆદથ, પટેલ અને સ્ટાફ વણશોધાયેલ ગુના શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન દિલીપભાઇ. હિતેન્દ્રસિંહ, કાસમભાઇ,હરદીપભાઇ, મયુરસિંહ રૂૂષીરાજસિંહને સંયુકત બાતમી મળેલકે રાજયના અલગ અલગ જીલ્લામાં ખુન, ખુનની કોશિષ, લુંટ ચોરીઓ આચરતી ગેંગના સાગરીતોએ હથીયારો સાથે રણુજા રોડ પર જવાના છે.
આ બાતમીના આધારે આ દિશામાાંં તપાસ લંબાવી હતી. કાલાવડથી દેવપુર ગામ રણંજા મંદિર તરફ જવાના રોડ જીઆઇડીસી ગેઇટ પાસે કેટલાક શખ્સો અગાઉથી કાવતરૂૂ રચી હથીયારો ધારણ કરી રોડ પર પસારા થનારા અને વાહનચાલકોને લુંટી લેવા અથવા આસપાસના એરીયામાં કોઇ જગ્યાએ ધાડ પાડવાની તૈયારી સાથે એકઠા થયા છે એવી બાતમી એલસીબીને મળી હતી. જે બાતમી આધારે એલસીબીની ટુડીએ રેઇડ / પાડીને કાવતરૂૂ રચીને કોઇ ગુનાન અંજામ આપે એ માટે ઐકત્રાં થયેલ ટોળકીને પક્કડી પાડી હતી.. તેની પાસેથી 3 મોબાઇલ, સાઇન મોટરસાયકલ, પાઇ છરી, લાકડી, ગણેશીયા,ડીસમીસ, કટર, રોકડ 1.15. 500 મળી કુલ 1.56.290નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે એલસીબી પીઆઇ એ.કે. પટેલ દ્વારા જાતે ફરીયાદી બનીને કાલાવડ ટાઉન પોલીસમાં પકડાયેલા શખ્સો મુળ દાહોદના આંબલી ખજુરીયા,ગામના અને હાલ મોટી માટલી વાડીમાં રહેતા કમલેશ બઈ 7 પલાસ, છરછોડા ગામના અજય ધીરૂૂ પલાસ, ગોરધન ધીરૂૂપલાત્ત, આંબલી ખજુરીયાના પંકેશ મથુર પલાસ, બિલીયા ગામના હાલ ધોરાજી વાડી વિસ્તારના રંગીત બાદર મીનામાની અટક કરીને તમામ સામે ફરીયાદ નોંધાવી હતી. એલસીબીની તપાસ દરમ્યાન કાલાવડ ટાઉનના શ્યામવાટીકા વિસ્તારના મકાનોમાં થયેલી ઘરફોડ ચોરીઓ, મહ્મા, કડાણા,, કુવાડવા, સેવાલીયા, મહીસાગર જીલ્લાના ખાંડીવાવ, કાલાવડના આણંદપર વિસ્તાર, અમદાવાદના દસકોઇ, બજરંગ ગામ, અમદાવાદ રૂૂરલ, રાજકોટના ધોરાજી જમનાવડ રોડ, રાજકોટના બેડી ગામ વિસ્તારમાં 10 ચોરીના ભેદ ખુલ્યા છે..
પકડાયેલ આરોપીઓની ગુનાહીત ઇતિહાસ જોતા પંકેશ પલાસ વિરુધ્ધ કલોલ, જેસાવાડ, મોરવા, લીમખેડા, વિધાનગર,, આણંદ, દેવગઢ બારીયા, વેજલપુર, ધાનપુર, ભાણવડ, વટવા, ગરબડા વિગેરે 34 ગુનામાં સંડોવણી જયારે કમલેશની ધાનપુર, જાંબુઘોડા, દેવગઢ બારીયા, રાજગઢ, દમલ 2 ગરબડા, હાલોલમાં 10 ગુનામાં તેમજ ગોરધનની જેસાવાગ, લોધીકા, અજયની સેવલીયા, વિવેકાનંદ પોલસ સ્ટેશન ખાતે ગના નોંધાયા છે, આરોપીઓ મોડી રાત્રીના બંધ મકાન,, કારખાના, ફેકટરીને ટાર્ગેટ કરતા, આરોપીઓ વિરધ્ધ રાજકોટ, દેવભુમી દ્વારકા, અમદાવાદ રૂૂરલ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર જીલ્લામાં લુંટ, ધાડ, ખુન, ખુનની કોશીષ, ચોરી મળી 48 ગુના નોંધાયેલા છે.
ગુજરાત
જામજોધપુરના વસંતપુર ગામના વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત
એકલવાયુ જીવન અને બિમારીથી કંટાળી ભરેલુ પગલું
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રહેતા એક બુઝુર્ગે કે પોતાની બીમારી થી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના વસંતપુર ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા છગનભાઈ કચરાભાઈ કણસાગરા નામના 65 વર્ષના પટેલ બુઝુર્ગ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી એકલું અટૂલું જીવન ગુજારતા હતા, અને ડાયાબિટીસ ની બીમારી થી પીડાતા હતા. જેનાથી કંટાળી જઈ તેઓએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ગોવિંદભાઈ કચરાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મકાન માલિક સામે ગુનો
જામનગર નજીક વિસ્તારમાં એક મકાન માલિકે પોતાના 26 જેટલા રૂૂમ કે જેમાં પર પ્રાંતીય લોકોને ભાડેથી રાખ્યા હતા, પરંતુ તે તમામ ભાદુઆત ની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી ન હતી અને બેદરકારી રાખવી હતી. જેથી પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા તપાસણી દરમિયાન સમગ્ર બાબત ધ્યાનમાં આવતાં પોલીસે જાતે ફરિયાદી બની મકાનમાલિક હનીફ કરીમભાઈ ખફી સામે બી. એન. એસ. કલમ 223 મુજબ ગુનો નોંધ્યો છે.
ગુજરાત
જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની અછતથી દર્દીઓ હેરાન
ફરજ બજાવતા તબીબો પર કામનું ભારણ: ખાલી જગ્યાઓ પર તબીબોની નિમણુંક કરાવવા સ્થાનિક નેતાગીરી જાગશે?
જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવે છે, પરંતુ અહીં ખાટલે મોટી ખોડ એ છે કે, તબીબોની સંખ્યા પર્યાપ્ત નથી, જેને કારણે ફરજો બજાવતાં તબીબો પર ખૂબ જ વર્કલોડ રહે છે, જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની ભારે અછત સર્જાઈ છે. જ્યાં સર્જરી વિભાગ મા એક સમયે 22 તબીબો હતા ત્યાં હાલ માત્ર 8 તબીબો જ કામ કરી રહ્યા છે. આથી આ વિભાગમાં કામનું ભારણ વધી ગયું છે અને દર્દીઓને સારવાર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. ઓપરેશન પેન્ડિંગ રહેવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તબીબોની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર અને સ્થાનિક નેતાગીરી પાસે લોકો માંગ કરી રહ્યા છે. સર્જરી વિભાગ હોસ્પિટલનું અતિ મહત્વનું અંગ છે અને અહીં તબીબોની અછતને કારણે દર્દીઓનું જીવન જોખમમાં મુકાઈ શકે છે.
બીજી તરફ અપૂરતા તબીબોને લીધે હજારો દર્દીઓની પ્રાથમિક સારવાર, ઇમર્જન્સી સેવાઓ, ક્રિટિકલ કન્ડિશન દરમિયાન સર્જરી, ઓપરેશન સહિતના કામોમાં એટલે કે સારવારમાં ભારે વિલંબ થઈ રહ્યો હોય, સરકારે તબીબોની ખાલી જગ્યાઓ ભરવા તાકીદે ધ્યાન આપવું જોઇએ એવી લોકલાગણી વ્યક્ત થઈ રહી છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની મોટી ઘટ છે.
સરકારે કેટલાંક ખાનગી તબીબોને અહીં કોન્ટ્રેક્ટ પર રાખ્યા હતાં અને એક તબક્કે આ સર્જરી વિભાગમાં તબીબોની સંખ્યા 22 હતી, જે આજે ઘટીને લગભગ ત્રીજા ભાગની થઈ ગઈ છે, હાલ સર્જરી વિભાગમાં માત્ર 8 જ તબીબો કાયમી ફરજ પર છે. 22 પૈકી 14 તબીબ જતાં રહ્યા છે. જે પૈકી અમુક ખાનગી તબીબોના કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયા છે અને ફરી આ કોન્ટ્રેક્ટ રિન્યુ નથી થયા. અમુક તબીબોને આ નોકરી પસંદ ન આવી હોય, જતાં રહ્યા છે. ખાલી જગ્યાઓ પર નવા 14 તબીબોની નિયુક્તિ આજની તારીખે થવા પામી નથી, જેથી હાલના કાર્યરત 8 તબીબોએ 22 તબીબોની જવાબદારીઓ વહન કરવી પડી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સર્જરી વિભાગ કોઈ પણ હોસ્પિટલ માટે અતિ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિભાગ હોય છે. જેમના ઓપરેશન ફરજિયાત રીતે કરવા જ પડે એવા દર્દીઓ આ વિભાગમાં સતત આવતાં હોય છે. ઘણાં બધાં પ્રકારના અકસ્માતોમાં ભાંગતૂટ થયેલાં કેસ આવતાં હોય, મારામારીમાં ઘવાયેલા સેંકડો દર્દીઓ આવતાં હોય, આ ઉપરાંત વિવિધ રોગોને કારણે શરીરના જુદાં જુદાં અંગોની સર્જરી કરવાની હોય એવા પણ ઘણાં દર્દીઓ આ વિભાગમાં હોય છે અને સતત આવતાં પણ હોય છે.
જેને કારણે આ વિભાગમાં તબીબો સતત વ્યસ્ત રહેતાં હોય, એમાં પણ જ્યાં 22 ની જગ્યાએ માત્ર 8 તબીબો પર બધી જ જવાબદારીઓ હોય ત્યાં કલ્પના કરો, તબીબોની શારીરિક અને માનસિક હાલત કેવી થઈ જાય ! અને, સતત દબાણ હેઠળ કામ કરતાં આ તબીબોના સેંકડો દર્દીઓએ કેટલી દુવિધાઓમાંથી પસાર થવું પડતું હશે ?! રાજ્યના આરોગ્ય વિભાગે તાકીદે યોગ્ય કરવું જોઈએ અને સ્થાનિક નેતાગીરીએ પણ આ બાબતે સંવેદનશીલતાનો પરિચય કરાવવો જોઈએ એવી વેદનાઓ આ વિભાગની દીવાલો વચ્ચે કણસી રહી છે અને ઈચ્છી રહી છે.
ગુજરાત
જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી
રાજકોટ નજીક જીયાણા ગામની સીમમાં એક વાડીના કુવામાંથી બે દિવસની નવજાત બાળકીની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વાડીમાલીકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી બાળકીને કુવામાં ફેકી જનારની શોધખોળ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે બાળકીને કુવામાં ફેંકી દીધાનું પોલીસ માની રહી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના જીયાણા ગામે રહેતા શૈલેષભાઈ ખોડાભાઈ લીંબાસિયાની વાડીના કુવામાં એક બાળકની લાશ તરતી હોવાની જાણ શૈલેષભાઈએ જીયાણા ગામના સરપંચ જયસુખભાઈ મનસુખભાઈ મેટાણીને કરતા જયસુખભાઈએ એરપોર્ટ પોલીસને જાણ કરતા પીએસઆઈ એસએસ જાડેજા સહિતનો સ્ટાફ જીયાણા ગામે દોડી ગયો હતો. શૈલેષભાઈ લિંબાસિયાની વાડીના કુવામાં પડેલી લાશને બહાર કાઢી ફોરેન્સીક પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ લાશ બે દિવસની બાળકીની છે. નવજાત બે દિવસની માસુમ બાળકીને કુવામાં ફેંકી દેનાર અને તેની માતા બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે નવજાતને કુવામાં ફેંકી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ મામલે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. બે દિવસની માસુમને મોતના મુખમાં ધકેલી દેનાર તે કઠોર જનેતા બાબતે પણ પોલીસે આસપાસના ગામમાં તપાસ શરૂ કરી છે. જીયાણા ગામના શેલૈષભાઈ ખોડાભાઈની વાડીના કુવામાં આ બાળકીની લાશ મળી હોય ત્યાં આસપાસ વાડી વિસ્તારમાં રહેતા મજુરોની પૂછપરછ કરી તેમજ જીયાણા ગામના સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે એરપોર્ટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય18 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત