ગુજરાત
હીરા ઉદ્યોગમાં કારમી મંદી, પ્રથમ વખત 10 દિવસનું વેકેશન
રત્નકલાકારોની જન્માષ્ટમી બગડશે, 2008 કરતા પણ ખરાબ મંદીનો દોર શરૂ થયાનો મત, યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વેપારને મોટો ફટકો
વિશ્વના વિવિધ દેશો વચ્ચે ખુલેલા યુધ્ધના મોરચાઓના કારણે હીરાબજાર કારમી મંદિરમાં પટકાતા સુરતના હીરાના કારખાનાઓમાં પ્રથમ વખત જન્માષ્ટમીનું વેકેશન 10 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગના વેપારીઓના કહેવા મુજબ હાલ આ ઉદ્યોગોમાં 2008 કરતા પણ ખરાબ મંદી જોવા મળી રહી છે.
જો કે, કંપનીઓના મતે રત્નકલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે વચ્ચે રજા રાખવામાં આવે છે. છેલ્લાં 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. ખાસ કરીને રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો. વિશ્વમાં ભારતમાંથી 60 ટકા હીરા માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે.
સુરત શહેરના નાના-મોટા 400 ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પણ વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે, પરંતુ હાલ વિશ્વમાં ઘણાખરા દેશોમાં મંદી હોવાને કારણે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ પણ ઘટી છે, જેની સીધી અસર હવે સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. હાલ હીરા ઉઘોગ ના કારખાનાંઓએ રજા રાખવાનું શરૂૂ કર્યું છે? જેથી 2008 આવેલી મદી કરતા હીરા ઉઘોગ માં હાલ મદી અત્યંત ખરાબ ગણાય રહ્યું છે .નાના નાના હીરા ઉઘોગ નુક્શન સહન કરવું પડે છે જેના લઇ ને કેટલા હીરા કારીગરને અન્ય જગ્યા નોકરી વ્યવસ્થા કરવાનું તેના માલિકો જણાવી રહ્યા છે.
સુરત શહેરની મોટી ડાયમંડ ફેક્ટરીમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસના વેકેશનની જાહેરાત કરી છે. હીરા ઉઘગમાં ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન રાખવાની સુરતના આ પહેલી ઘટના છે જ્યારે અન્ય ઘણી નાની ફેક્ટરીઓએ સપ્તાહમાં 2થી 3 દિવસની રજા રાખવાનું શરૂૂ કરી દીધું છે.
દિવાળી આડે માત્ર 2 મહિનાનો સમય બાકી છે ત્યારે રજાઓ પડી જતાં રત્નકલાકારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતના અગ્રણી હીરા વેપારીએ કહ્યું કે, હાલ ડાયમંડ માર્કેટમાં મંદી છે, જેના કારણે કારખાનેદારોની આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે. કામ તો ચાલી રહ્યા છે પરંતુ નાના કારખાનાંઓમાં અઠવાડિયામાં 2થી 3 દિવસની રજા પડવાની શરૂૂઆત કરી દેવાઈ છે. કામ લાંબો સમય ચાલે તે માટે અઠવાડિયામાં 2થી 3 દિવસની રજા રાખવામાં આવી રહી છે.
ગુજરાત
રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત
રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે. જેમાં રાજકોટમાં રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા તાલાળાના ખીરધર ગામના પ્રૌઢા સહિત ત્રણ વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, તાલાળા તાલુકાના ખીરધર ગામે રહેતા કવીબેન પીઠાભાઈ કેશવાળા નામના 56 વર્ષના પ્રૌઢા ગત શનિવારના રોજ રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક કવિબેન કેશાવાળાને સંતાનમાં બે પુત્ર છે અને રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે કેમ્પમાં આંખનું ઓપરેશન કરાવવા આવ્યા હતાં તે દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા રામવતીબેન બનવારી ભગત (ઉ.42) પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનોં હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ત્રીજા બનાવમાં કલ્યાણપુરના નંદાળા ગામે રહેતા રમણલાલ પુંજાભાઈ મકવાણા (ઉ.61)ને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે ખંભાળીયા બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધાનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક વૃધ્ધ છ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત
મૃતકની ઓળખ માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યો
જામનગરના લાલપુર બાયપાસ ચોકડી નજીક ગઈકાલે બપોરે એક અકસ્માતની દુર્ઘટના બની હતી. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા રસ્તા પર એક માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ડમ્પર ટ્રક હેઠળ કૂદીને આપઘાત કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વ્યક્તિ છેલ્લા બે દિવસથી આ જ સ્થળે બેઠો હતો.
ડમ્પર જ્યારે આ વ્યક્તિની નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તેણે ટ્રકના જોટા નીચે કૂદકો મારી ઝંમ્પલાવી આ આત્મઘાતી પગલું ભર્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂૂ કરી છે અને મૃતકની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે.આ ઘટનાએ એકવાર ફરી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ તરફ આપણું ધ્યાન દોર્યું છે.
આપણા સમાજમાં માનસિક રોગોથી પીડિત લોકોને ઘણીવાર અવગણવામાં આવે છે અને તેમને યોગ્ય સારવાર પણ મળતી નથી. આવી ઘટનાઓને રોકવા માટે સરકાર અને સમાજે સાથે મળીને કામ કરવું જરૂૂરી છે. આ ઘટનામાં ટ્રક ચાલકની ભૂમિકા પણ શંકાસ્પદ છે. સ્થાનિકોનો આરોપ છે કે, ટ્રક ચાલકે આ ઘટનાને અટકાવવા કોઈ પ્રયાસ કર્યો ન હતો. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.
ક્રાઇમ
ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ
ચોટીલાના નાની મોલડી ગામે કાઠી દરબાર ભુપતભાઇ જેઠુરભાઇ ખાચરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખી હત્યામાં સંડોવાયેલ ઝીંઝુડાની 27 વર્ષીય યુવતી અને તેના બે સગીર ભાઇઓની ધરપકડ કરી હતી. રૂપીયાની લેતી દેતી બાબતે કાઠી દરબાર પ્રૌઢને મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દીધી હતી.
ચોટીલાના ઠાંગા પંથકમાં આવેલ ઠાંગનાથ મહાદેવજીના મંદીર પાસે આવેલા કુવામાંથી નાની મોલડીના 48 વર્ષીય ભુપતભાઈ જેઠુરભાઈ ખાચરની લાશ મળી આવી હતી. લાશ પર ઈજાના નીશાન હોવાથી તેઓની હત્યા કરાઈ હોવાનું પ્રથમ દૃષ્ટીએ લાગતુ હતુ. ત્યારે મૃતકના ભાઈ ભરતભાઈ જેઠુરભાઈ ખાચરે ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગૌસ્વામી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ નોંધાતા જ નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કરીને 20 વર્ષીય ધારા ગૌસ્વામી અને તેના ર સગીર ભાઈઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ધારા ગૌસ્વામી અને મૃતક ભુપતભાઈ છેલ્લા દોઢેક વર્ષથી એક બીજાના સંપર્કમાં હતા. ધારા અવારનવાર ભુપતભાઈને બાઈક પર મુકવા આવતી હતી. અને બન્ને વચ્ચે પૈસાની લેતી-દેતીના સબંધો પણ થયા હતા.
ત્યારે આ પૈસાની લેતી દેતી બાબતે જ ધારાએ બન્ને સગીર ભાઈઓ સાથે મળી હત્યાનો પ્લાન કર્યો હતો. અને બનાવના દિવસે પણ રાત્રે ધારા બાઈક લઈને ભુપતભાઈને મુકવા આવી હતી. અને બન્ને ઠાંગનાથ મહાદેવ મંદીર નજીક આવેલા કુવા પાસે બેઠા હતા. જેમાં ધારાના 2 સગીર ભાઈઓ અગાઉથી હાજર હતા. અને બન્નેએ લોખંડના પાઈપના ઉપરા છાપરી 5 થી 6 ભુપતભાઈના માથે મારી તેઓનું ઘટનાસ્થળે મોત નીપજાવ્યુ હતુ. બાદમાં બનાવ આત્મહત્યાનો લાગે તે માટે લાશને કુવામાં ફેંકી દીધી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.
-
રાષ્ટ્રીય23 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય24 hours ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત19 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય19 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક18 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે