ગુજરાત
કાલાવડ પાસેથી કુખ્યાત ધાડપાડુ ગેંગ ઝડપાઇ
મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં એલસીબીએ પાંચ શખ્સોને ઝડપી લીધા, દસ ગુનાનાં ભેદ ઉકેલાયો
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં લૂંટ-ધાડ કરવાના ઇરાદે ઉતરેલી ગેંગના પાંચ સભ્યોને એલસીબી ની ટુકડીએ ગઈ રાત્રે અનેક ધારદાર હથિયારો સાથે ઝડપી લીધા છે. જેઓ લૂંટ- ધાડની ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તમામને અટકાયતમાં લઈ લીધા હતા. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ પંથકમાં ચોરી-લૂંટ-ધાડ ના ઇરાદે ઉતરેલી ચોક્કસ ગેંગ કે જે આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે ઘૂમી રહી છે.
જે બાતમીના આધારે કાલાવડના રણુજા રોડ પર એલસીબી ની ટુકડીએ મોડી રાત્રે વોચ ગોઠવી હતી. કાલાવડના દેવપુર રણુંજા જવાના રોડ પર ઔધીગીક વસાહતના ગેઇટ નજીક લુંટ-ધાડ પાડવાની તૈયારી માટે એકત્ર થયેલ ટોળકીને એલસીબીએ દબોચી લીધી હતી તેની પાસેથી એક બાઇક, મોબાઇલ અને ગણેશયા, પાઈપ, છરી જેવા ઠથીયારો મળી આવ્યા હતા, પાંચની સામે ફરીયાદ કરવામાં આવી છે. પછપરછમાં 10 ગુનાના ભેદ ઉકેલાયા છે.
પકડાયેલ આરોપીઓ અનેક ગુનામાં સંડોવાયેલ છે જયારે અન્ય એક આરોપી 10 ગુનામાં સંડોવાયેલ છે. આરોપીઓ વિરુધ્ધ 48થી વધુ ગુના દાખલ થયા હોવાનું તપાસ દરમ્યાન બહાર આવેલ છે. એસપહી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ મોરી, પીએસઆદથ, પટેલ અને સ્ટાફ વણશોધાયેલ ગુના શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન દિલીપભાઇ. હિતેન્દ્રસિંહ, કાસમભાઇ,હરદીપભાઇ, મયુરસિંહ રૂૂષીરાજસિંહને સંયુકત બાતમી મળેલકે રાજયના અલગ અલગ જીલ્લામાં ખુન, ખુનની કોશિષ, લુંટ ચોરીઓ આચરતી ગેંગના સાગરીતોએ હથીયારો સાથે રણુજા રોડ પર જવાના છે.
આ બાતમીના આધારે આ દિશામાાંં તપાસ લંબાવી હતી. કાલાવડથી દેવપુર ગામ રણંજા મંદિર તરફ જવાના રોડ જીઆઇડીસી ગેઇટ પાસે કેટલાક શખ્સો અગાઉથી કાવતરૂૂ રચી હથીયારો ધારણ કરી રોડ પર પસારા થનારા અને વાહનચાલકોને લુંટી લેવા અથવા આસપાસના એરીયામાં કોઇ જગ્યાએ ધાડ પાડવાની તૈયારી સાથે એકઠા થયા છે એવી બાતમી એલસીબીને મળી હતી. જે બાતમી આધારે એલસીબીની ટુડીએ રેઇડ / પાડીને કાવતરૂૂ રચીને કોઇ ગુનાન અંજામ આપે એ માટે ઐકત્રાં થયેલ ટોળકીને પક્કડી પાડી હતી.. તેની પાસેથી 3 મોબાઇલ, સાઇન મોટરસાયકલ, પાઇ છરી, લાકડી, ગણેશીયા,ડીસમીસ, કટર, રોકડ 1.15. 500 મળી કુલ 1.56.290નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે એલસીબી પીઆઇ એ.કે. પટેલ દ્વારા જાતે ફરીયાદી બનીને કાલાવડ ટાઉન પોલીસમાં પકડાયેલા શખ્સો મુળ દાહોદના આંબલી ખજુરીયા,ગામના અને હાલ મોટી માટલી વાડીમાં રહેતા કમલેશ બઈ 7 પલાસ, છરછોડા ગામના અજય ધીરૂૂ પલાસ, ગોરધન ધીરૂૂપલાત્ત, આંબલી ખજુરીયાના પંકેશ મથુર પલાસ, બિલીયા ગામના હાલ ધોરાજી વાડી વિસ્તારના રંગીત બાદર મીનામાની અટક કરીને તમામ સામે ફરીયાદ નોંધાવી હતી. એલસીબીની તપાસ દરમ્યાન કાલાવડ ટાઉનના શ્યામવાટીકા વિસ્તારના મકાનોમાં થયેલી ઘરફોડ ચોરીઓ, મહ્મા, કડાણા,, કુવાડવા, સેવાલીયા, મહીસાગર જીલ્લાના ખાંડીવાવ, કાલાવડના આણંદપર વિસ્તાર, અમદાવાદના દસકોઇ, બજરંગ ગામ, અમદાવાદ રૂૂરલ, રાજકોટના ધોરાજી જમનાવડ રોડ, રાજકોટના બેડી ગામ વિસ્તારમાં 10 ચોરીના ભેદ ખુલ્યા છે..
પકડાયેલ આરોપીઓની ગુનાહીત ઇતિહાસ જોતા પંકેશ પલાસ વિરુધ્ધ કલોલ, જેસાવાડ, મોરવા, લીમખેડા, વિધાનગર,, આણંદ, દેવગઢ બારીયા, વેજલપુર, ધાનપુર, ભાણવડ, વટવા, ગરબડા વિગેરે 34 ગુનામાં સંડોવણી જયારે કમલેશની ધાનપુર, જાંબુઘોડા, દેવગઢ બારીયા, રાજગઢ, દમલ 2 ગરબડા, હાલોલમાં 10 ગુનામાં તેમજ ગોરધનની જેસાવાગ, લોધીકા, અજયની સેવલીયા, વિવેકાનંદ પોલસ સ્ટેશન ખાતે ગના નોંધાયા છે, આરોપીઓ મોડી રાત્રીના બંધ મકાન,, કારખાના, ફેકટરીને ટાર્ગેટ કરતા, આરોપીઓ વિરધ્ધ રાજકોટ, દેવભુમી દ્વારકા, અમદાવાદ રૂૂરલ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર જીલ્લામાં લુંટ, ધાડ, ખુન, ખુનની કોશીષ, ચોરી મળી 48 ગુના નોંધાયેલા છે.
ગુજરાત
જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી
રાજકોટ નજીક જીયાણા ગામની સીમમાં એક વાડીના કુવામાંથી બે દિવસની નવજાત બાળકીની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વાડીમાલીકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી બાળકીને કુવામાં ફેકી જનારની શોધખોળ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે બાળકીને કુવામાં ફેંકી દીધાનું પોલીસ માની રહી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના જીયાણા ગામે રહેતા શૈલેષભાઈ ખોડાભાઈ લીંબાસિયાની વાડીના કુવામાં એક બાળકની લાશ તરતી હોવાની જાણ શૈલેષભાઈએ જીયાણા ગામના સરપંચ જયસુખભાઈ મનસુખભાઈ મેટાણીને કરતા જયસુખભાઈએ એરપોર્ટ પોલીસને જાણ કરતા પીએસઆઈ એસએસ જાડેજા સહિતનો સ્ટાફ જીયાણા ગામે દોડી ગયો હતો. શૈલેષભાઈ લિંબાસિયાની વાડીના કુવામાં પડેલી લાશને બહાર કાઢી ફોરેન્સીક પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ લાશ બે દિવસની બાળકીની છે. નવજાત બે દિવસની માસુમ બાળકીને કુવામાં ફેંકી દેનાર અને તેની માતા બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે નવજાતને કુવામાં ફેંકી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ મામલે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. બે દિવસની માસુમને મોતના મુખમાં ધકેલી દેનાર તે કઠોર જનેતા બાબતે પણ પોલીસે આસપાસના ગામમાં તપાસ શરૂ કરી છે. જીયાણા ગામના શેલૈષભાઈ ખોડાભાઈની વાડીના કુવામાં આ બાળકીની લાશ મળી હોય ત્યાં આસપાસ વાડી વિસ્તારમાં રહેતા મજુરોની પૂછપરછ કરી તેમજ જીયાણા ગામના સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે એરપોર્ટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ
રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ
દુકાનમાં જ કામ કરતા બે સગા ભાઈઓ દાગીના બનાવવા માટેનું સોનું લઈ ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ
રાજકોટના સોની બજારમાં સોની વેપારીને ત્યાં કામ કરતા બે સગા ભાઈઓ રૂા. 2.56 કરોડનું સોનું લઈને ફરાર થઈ જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ર્ચિમ બંગાળના આ બન્ને સગા ભાઈઓ છેલ્લા 10 મહિનાથી વેપારીને ત્યાં કામ કરતા હતાં. અને 13 દિવસ પૂર્વે સોનાના દાગીના બનાવવા માટે આપેલું 3816.840 ગ્રામ સોનું લઈને ભાગી ગયા હતાં. આ મામલે પોલીસે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના લક્ષ્મીવાડી મેઈન રોડ ઉપર નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 101માં રહેતા અને છેલ્લા ઘણા વખતથી સોની બજારમાં જૂની ગધીવાડમાં આવેલ સોની ચેમ્બરની બાજુમાં શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રી બંશીધર જવેલર્સ નામની દુકાન ધરાવતા આશિષભાઈ જાદવભાઈ નાંઢાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પશ્ર્ચિમ બંગાળના હુગલી જિલ્લાના બાબનાન દાદપુર તાલુકાના ઉત્તરગુનપાલા નામના ગામના વતની ગૌરાંગ તરુણદાસ અને તેનો ભાઈ સૌરભ તરુણદાસનું નામ આપ્યું છે. ફરિયાદમાં આશિષભાઈએ જણાવ્યા મુજબ તેઓ ઘણા વખતથી સોની બજારમાં પેઢી ધરાવે છે અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતા હોય ગૌરાંગોદાસ અને તેનો ભાઈ સૌરભદાસ જાન્યુઆરી મહિનામાં આશિષભાઈને ત્યાં નોકરી પર લાગ્યા હતાં.
સોનાના દાગીના બનાવવાનું કામ કરતા બન્ને ભાઈઓ છેલ્લા 10 મહિનાથી અલગ અલગ ઘાટના દાગીના બનાવતા હતા દરમિયાન બન્ને ભાઈઓ ગત તા. 4-10થી અચાનક જ દુકાને કામે આવ્યા ન હતાં. જેથી વેપારીએ તેના ઘરે તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભ દાસ ઘરે હાજર મળ્યા ન હતાં. તે દરમિયાન તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભદાસે આશિષભાઈ સોની પાસેથી સોનાના દાગીના બનાવવા માટેનું 3816.840 ગ્રામ સોનું દુકાનમાંથી લઈ ભાગી ગયા હોય રૂા. 2.56.12.932ની કિંમતનું સોનું લઈને ભાગી ગયેલા આ બન્ને ભાઈઓ વિરુદ્ધ આશિષભાઈએ એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ દ્વારા કારીગરોનું વેરિફીકેશન છતાં ચોરી અને છેતરપિંડીના બનાવો વધ્યા
સોની બજારમાં સોની વેપારી તેમજ અલગ અલગ પેઢીઓમાં કામ કરતા આશરે 90 હજારથી વધુ સોની કારીગરો કે, જેઓ પશ્ર્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોના વતની હોય તેનું વેરીફીકેશન ફરજિયાત બનાવવમાં આવ્યું છે. અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી સોની બજારમાં કામ કરતા કારીગરોની નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવા માટે આદેશ કરાયો હોય અને આ જાહેરનામાનો ભંગ કરનાર 100થી વધુ સોની વેપારીઓ સામે પોલીસે ગુના નોંધ્યા હોવા છતાં ચોરી અને છેતરપીંડીના બનાવો અટક્યા નથી અને દિવાળી નજીક આવતા જ સોનીબજારના વેપારીઓ સાથે આવા બનાવો અવાર નવાર બનતા રહે છે. પોલીસ દ્વારા રૂા. 2.56 કરોડનું સોનું લઈને ભાગી છુટેલા બન્ને ભાઈઓ ગૌરાંગોદાસ અને સૌરભદાસના મુળ વતન પશ્ર્ચિમ બંગાળના ઘર અને પરિવારની માહિતી હોય આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાત
માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત
બોટાદ પાસે પાળિયાદ રોડ ઉપર બનેલી ઘટના: પ્રૌઢે રાજકોટ સારવારમાં દમ તોડયો
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં બોટાદમાં રહેતા પ્રૌઢ માતાના મઢે દર્શને જતા હતા ત્યારે અજાણ્યા ટેમ્પો ચાલાકે પદયાત્રી પ્રૌઢને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બોટાદમાં પાળીયાદ રોડ ઉપર રહેતા શાંતુભાઇ મનુભાઈ ખાચર નામના 46 વર્ષના પ્રૌઢ બોટાદ પાળીયાદ રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટેમ્પોના ચાલાકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શાંતુભાઈ ખાચરને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારગત કારગત નિવડે તે પૂર્વે જ શાંતુભાઈ ખાચરે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
આ ઘટના અંગે બોટાદ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક શાંતુભાઈ ખાચર માતાના મઢે ચાલીને દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે પદયાત્રી શાંતુભાઈ ખાચરને અજાણ્યા ટેમ્પો ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટેમ્પો ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય18 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત