Connect with us

ગુજરાત

જાફરાબાદમાં બહેનને પરેશાન કરતા ધો.12ના છાત્રને ભાઇએ છરીના ઘા ઝીંકી પતાવી દીધો

Published

on

મૃતક અને છાત્રાની કોલ ડિટેઇલની તપાસ, આરોપીની ધરપકડ: છાત્રા અને છાત્ર વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકા

જાફરાબાદના નાગેશ્રીની સ્કુલમા ધોરણ-12મા છાત્ર છાત્રા સાથે ભણતા હોય છાત્રાએ સવારે ફોન કરી છાત્રને પોતાના ઘરે બોલાવ્યા બાદ માથાકુટ થતા છાત્રાના ભાઇએ યુવકને પેટમા છરીનો એક ઘા મારી હત્યા કરી નાખતા આ વિસ્તારમા ચકચાર મચી છે. પોતાની બહેનને પરેશાન કરતો હોવાથી તેણે આવુ કર્યું હતું. ધોરણ 12મા ભણતા છાત્રની હત્યાની આ ઘટના જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે ગઇકાલે બપોરે બની હતી. જયાં નાગેશ્રીમા પહેલી પાટીમા બારૈયા શેરીમા રહેતા જયદીપ જીણાભાઇ પરમાર (ઉ.વ.18) નામના યુવકની મીઠાપુરના અંકુશ ઉર્ફે હકો મનુભાઇ બાંભણીયા નામના શખ્સે છરીનો ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જયદીપ પરમાર અને અંકુશની બહેન બંને ધોરણ 12મા જાફરાબાદની એસ.કે.વરૂૂ માધ્યમિક શાળામા સાથે અભ્યાસ કરતા હતા.


ગઇકાલે સવારે છાત્રાએ ફોન કરીને જયદીપને પોતાના ઘરે બોલાવ્યો હતો. આ સમયે છાત્રાની બે અન્ય બહેનો ઘરે હાજર હતી. જયારે તેનો ભાઇ અંકુશ વાડીએ ગયો હતો. છાત્રાની બહેનોએ ફોન કરીને ભાઇને ઘરે બોલાવ્યો હતો. આ યુવાન પોતાની બહેનને પરેશાન કરતો હોય અંકુશે તેની સાથે માથાકુટ કરી હતી. બંને વચ્ચે બોલાચાલી થતા અંકુશે પોતાની પાસે રહેલી છરીનો એક ઘા જયદીપના પેટમા મારી દીધો હતો. જેથી તે લોહીલુહાણ થઇ ઢળી પડયો હતો.આ યુવકને સારવાર માટે પ્રથમ રાજુલા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે મહુવા દવાખાને રીફર કરાયો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.


ટ્રક ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા જયદીપના પિતા જીણાભાઇ ભગવાનભાઇ પરમારે આ બારામા અંકુશ બાંભણીયા સામે નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવને પગલે સ્થાનિક સરપંચ અને અન્ય આગેવાનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા.


હત્યારા યુવકે આ છાત્ર પોતાની બહેનને પરેશાન કરતો હોવાનુ અને 15 દિવસ પહેલા પણ અણછાજતુ વર્તન કર્યુ હોવાનુ રટણ કર્યુ હતુ. છાત્ર છાત્રા વચ્ચે પ્રેમસંબંધની પણ આશંકા હોય બંનેની કોલ ડિટેઇલ મંગાવાય છે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે.


ઘટનાની તપાસ કરી રહેલા સીપીઆઇ પી.વી.પલાસે જણાવ્યું હતુ કે હત્યા કેસના આરોપીની ધરપકડ કરી લેવાય છે. સમગ્ર ઘટના કઇ રીતે બની તે અંગે ઉંડાણથી તપાસ શરૂૂ છે. મૃતક જયદીપના પિતા જીણાભાઇ પોતાના ટ્રકની સર્વિસ કરાવવા દુધાળા ગામે ગયા હતા ત્યારે હત્યારા અંકુશે તેમને મોબાઇલ પર કોલ કરી મે તમારા દીકરા જયદીપને છરીનો ઘા મારી દીધેલ છે. તમે તેને અહી મારા ઘર પાસેથી લઇ જાઓ તેમ કહ્યું હતુ.

ગુજરાત

મૂર્છિત હાલતમાં મળેલા સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો

Published

on

By

વડોદરામાં બનેલી અનોખી ઘટના

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં અનોખી ઘટના જોવા મળી હતી. આ વિસ્તારમાંથી એક સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ કરવામાં આવ્યો ત્યારે સાપ મૂર્છિત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીએ સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો હતો.


આમ તો સામાન્ય રીતે કોઈ વ્યક્તિને સીપીઆર આપીને જીવ બચાવવામાં આવતો હોય છે. જેની અનેક ઘટનાઓ પણ સામે આવી છે. પરંતુ વડોદરા શહેરમાંથી સાપ જેવા સરીસૃપ પ્રાણીને સીપીઆર આપીને જીવ બચાવવામાં આવ્યો હોય તેવી અનદેખી ઘટના સામે આવી છે.


ગત મોડી રાત્રે જીવ દયા પ્રેમી સંસ્થાને કોલ મળ્યો હતો કે, વૃંદાવન ચાર રસ્તા નજીક એક સાપનું રેસ્ક્યૂ કરવાનું છે. જેના બાદમાં જેવું દયાપ્રેમી સંસ્થા ઘટના સ્થળ પર દોડી આવી હતી. જ્યાં જઈને સાપનું રેસ્ક્યૂ કરતા સાપ મૂર્છિત હાલતમાં મળી આવ્યો હતો.


જેથી સાપને બચાવવા માટે જીવ દયાપ્રેમી સંસ્થાના રેસ્ક્યૂરે ખૂબ જ સાવધાની તેમજ કાળજીપૂર્વક ત્રણ વખત સાપને સીપીઆર આપ્યો હતો. જેમાં સદનસીબે ત્રીજા પ્રયત્નમાં સફળતા મળી અને સાપમાં નવો જીવ મળ્યો હતો.

Continue Reading

ગુજરાત

ખાલી રહેલા આવાસો માટે કાલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

Published

on

By

MIG કેટેગરીના 50 અને EWS-2ના 133 આવાસ માટે હાથ ધરાયેલી પ્રક્રિયા: તા.16 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા એમઆઇજી કેટેગરીના અને ઇડબલ્યુએસ કેટેગરીના આવાસોનો ડ્રો તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. તેમાં આવાસની ફાળવણી બાદ ખાલી રહેતા આવાસો માટે ફરીથી તા.17 ઓકટોબરથી તા.16 નવેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી રહેલ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ એમઆઇજી કેટેગરીના 50 આવાસો તથા ઇડબલ્યુએસ-2 કેટેગરીના 133 આવાસો માટે તા.17/10/2024થી તા.16/11/2024 સુધી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.INપર જઇ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ફી રૂૂ.50/- રહેશે તેમજ નિયમાનુસાર ડીપોઝીટ ભરપાઇ કરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ રહેશે.

MIG કેટેગરીમાં – 03 BHK ક્ષેત્રફળ 60 ચો.મીટર, આવાસની કિંમત રૂૂ.18 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂૂ. 06 થી 7.50 લાખ સુધીની રહેશે. EWS-2 કેટેગરીના આવાસોની વિગત નીચે મુજબ છે. 1.5 BHK, ક્ષેત્રફળ 40 ચો. મીટર, આવાસની કિંમત રૂૂ.5.50 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂૂ.03 લાખ સુધીની રહેશે. ફોર્મ ભરતી વખતે કોઇ ટેકનીકલ ઇસ્યુ ઉદ્દભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં. 0281 – 2221615 પર કોન્ટેકટ કરવો.

Continue Reading

ગુજરાત

હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યૂ બંગાઇ ગાંવ સ્ટેશન સુધી જશે

Published

on

By


નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના રંગીયા રેલ્વે ડિવિઝનમાં નલબાડી-બાઈહાટા સેક્શનમાં ડબલ લાઇનની કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-


આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં 1) ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ 23 ઓક્ટોબર, 2024ના રોજ હાપાથી ઉપડશે અને ન્યૂ બંગાઈ ગાંવ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે, આ ટ્રેન ન્યુ બંગાઈ ગાંવ-નાહરલગુન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.2) ટ્રેન નંબર 09526 નાહરલગુન-હાપા સ્પેશિયલ 26 ઓક્ટોબર, 2024 ના રોજ નાહરલગુનના બદલે ન્યુ બંગાઈ ગાંવ સ્ટેશનથી ઉપડશે. આ રીતે આ ટ્રેન નાહરલગુન-ન્યુ બંગાઈ ગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશ. વધુ માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

Continue Reading
ગુજરાત3 mins ago

મૂર્છિત હાલતમાં મળેલા સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો

ગુજરાત3 mins ago

ખાલી રહેલા આવાસો માટે કાલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

ગુજરાત5 mins ago

હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યૂ બંગાઇ ગાંવ સ્ટેશન સુધી જશે

ગુજરાત6 mins ago

માયાણીનગરમાં વીજળી મકાનની છત ચીરી સોંસરવી નીકળી ગઈ

ગુજરાત9 mins ago

100 કરોડ સામે અડધી મિનિટમાં 495 કરોડનું ભરણું

રાષ્ટ્રીય1 hour ago

નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

રાષ્ટ્રીય1 hour ago

ડાબા હાથથી કામ કરતા લોકોને હૃદય અને મગજના રોગોનું જોખમ વધારે,જાણો નિષ્ણાંતો પાસેથી

ગુજરાત2 hours ago

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, રાજ્ય સરકાર આ તારીખે કરશે ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચૂકવણી

રાષ્ટ્રીય2 hours ago

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારીના ભથ્થામાં કર્યો વધારો

મનોરંજન3 hours ago

કોણ છે સાઉથના આ સુપરસ્ટાર કે જેની સામે બધા બોલિવૂડ સ્ટાર્સના લગ્ન નિષ્ફળ!,જાણો

ક્રાઇમ23 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય22 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત23 hours ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત23 hours ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ગુજરાત23 hours ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત23 hours ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ગુજરાત2 days ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

Trending