ગુજરાત
ઐતિહાસિક ધરોહર ઇડરિયા ગઢમાં તોડફોડ
રક્ષિત સ્મારકમાં ખજાનો શોધવા ખોદકામ કર્યું, લોખંડના મોટા ગડરની ચોરી
ઈડરિયા ગઢ પર આવેલા ઐતિહાસિક રાજમહેલમાં કોઈ અસામાજિક તત્ત્વોએ ભારે તોડફોડ કરી લોખંડની વજનદાર ગડર ઉઠાવી ગયાનું ધ્યાને આવતાં રાજપૂત સમાજ સહિત પુરાતત્વવિદોમાં રોષ ભભુકી ઉઠયો હતો. આ તત્ત્વોએ મહેલની જમીનમાંથી હીરા-ઝવેરાત કે કોઈ મોટો દલ્લો મળવાની આશાએ ખોદકામ કરી ભોંયતળિયાને પણ મોટું નુકશાન પહોંચાડ્યું છે. ઐતિહાસિક ધરોહરની ગરિમાને આ પ્રકારે નુકસાન પહોંચાડનાર લુખ્ખા તત્ત્વો સામે આકરી કાર્યવાહીની જિલ્લાભરમાંથી માગ ઉઠી છે.
ઈડરની આન-બાન અને સાન સમા ગઢ પર આવેલો ઐતિહાસિક દોલત વિલાસ પેલેસ હંમેશાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. પેલેસને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે જ અહીં અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની અવરજવર પણ વધી હતી. આ તત્ત્વો ઘણીવાર એકલદોકલ પ્રવાસીઓને હેરાન-પરેશાન કરતાં હોવાની બુમરાડ પણ સમયાંતરે ઉઠતી રહે છે. ચોરી-લૂંટના બનાવો પણ સામે આવ્યા હોવા છતાં તંત્રની ચુપકીદીથી આવા તત્ત્વોની હિંમત ખુલી થઈ છે.
અગાઉ પેલેસના બારી બારણાં ચોરાતાં અને કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની ગંધ રાજપૂત સમાજને આવી જતાં દરવાજા બંધ કરી દેવાયા હતા. તેમ છતાં ધરોહરની ગરિમાને લાંછન લગાવનારા તત્ત્વોએ અન્ય રસ્તો શોધી કાઢી પેલેસમાં અવરજવર વધારી દીધી હતી. અહીં પેલેસની દીવાલોને પણ કાળા કોલસાથી પ્રેમલા-પ્રેમલીના ચિતરામણ થકી ગંદી કરી મુકી છે.
આ દરમિયાન ફરી એકવાર કોઈ અસામાજિક અને લુખ્ખા તત્ત્વોએ પેલેસને નિશાન બનાવતાં પેલેસની છતની દીવાલમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડયું છે. ઉપરાંત ખજાનાની શોધમાં ભોંયતળિયામાં ખોદકામ કરી તળિયાને પણ નુકસાન પહોંચાડ્યું છે. સાથે જ લોખંડની વજનદાર ગડર પણ ઉઠાવી ગયાનું પણ ધ્યાને આવ્યું છે. ઐતિહાસિક ધરોહર સમા મહેલને નુકસાન થયાની બાબત સામે આવ્યા બાદ ક્ષત્રિય હિતકારીણી સભાના આગેવાનોએ મહેલમાં જઈ તપાસ હાથ ધરવા સાથે પોલીસ ફરિયાદ માટે પણ તજવીજ હાથ ધરી છે.
ઈડરિયા ગઢ પર પોલીસ પોઇન્ટ મૂકવાની માગ સાથે રાજપૂત સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, અહીં આખો દિવસ અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની અવરજવર રહે છે. આવા તત્ત્વો એકલદોકલ પ્રવાસી કે કપલને હેરાન પરેશાન કરતા હોય છે. સાંજે છ વાગ્યા બાદ અહીં ચરસ-ગાંજો વેચનારા અને બંધાણીઓની પણ મહેફિલો જામે છે. ગઢની તળેટીમાં ખુલ્લેઆમ કોઈ રોકટોક વિના જુગાર રમવાની પ્રવૃત્તિ પણ ચાલે છે.
ગુજરાત
દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર
વધુ 310 જગ્યાઓ પણ કરાર આધારિત ભરવામાં આવશે
દિવાળીના તહેવાર પહેલા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મધ્યાહન ભોજનમાં 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મધ્યાહન ભોજન સુપરવાઈઝરને 15 હજારની જગ્યાએ દર મહિને 25 હજાર રૂૂપિયાનો પગાર મળશે. તહેવારો પહેલા સરકારે આ જાહેરાત કરી છે.
પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર 15 હજારથી વધારી 25 હજાર રૂૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ (મધ્યાહન ભોજન) એમ.ડી. એમ સુપરવાઈઝરની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે. નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25 હજારનું વેતન મળશે.
ગુજરાત
મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર
વિવિધ સેવાઓ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એક જ જગ્યાએ ફરિયાદ થઈ શકશે, ફરિયાદ નોંધાવવા જતાં હવે ચાર્જ કપાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ પદ્ધતિ(કોલ સેન્ટર)માં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ કાર્યક્રમ આજ તા.16/10/2024, બુધવાર સવારે 10:30 કલાકે અમીન માર્ગ સિવિક સેન્ટર, અમીન માર્ગખાતે યોજાયો.
ભારત સરકારના Ministry of Communication Information Technology“p Department Of Teleco mmunications (DOT દ્વારા ભારતની તમામ મહાનગર પાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદ માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂૂ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરના નંબર 0281-2450077 તેમજ ટોલ-ફ્રી નંબર 1800-123-1973ના સ્થાને શોર્ટ કોર્ડ નંબર 155304 પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે આ નંબર 155304ને ઈફયિંલજ્ઞિુ1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાતપણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે. તેમજ – અન-રીસ્ટ્રીકટેડ સર્વિસ જે જઝઉ ઈજ્ઞમય પર પણ અવેલેબલ થશે.
આ ઉપરાંત કોલ સેન્ટરની હાલની સેવાઓને રાજકોટ મહાનગરપાલિકાના પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 ઞતયિ જઈંઙ કશક્ષય) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.
આમ, હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો 0281-245007 અને 1800-123-1973 ને બદલે એક જ શોર્ટ કોડ 155304 નંબર ડાયલ કરી, સરળતાથી નોંધાવી શકશે. જો કે, આ નંબર ટોલફ્રી ન હોવાથી નાગરિકોના ફોનમાંથી ચાર્જ કપાશે.
અગાઉના નંબર 0281-245007 અને 1800-123-1973ની સેવા બંધ કરાશે
રાજકોટ મનપા દ્વારા નવો કમ્પ્લેઈન નંબર જાહેર કરાતા અગાઉ ફરિયાદ નોંધાવા માટે વપરાતા નંબર 0281-245007 અને ટોલફ્રી નંબર 1800-123-1973ની જગ્યાએ લોકોએ હવે 155304 નંબર પર ફરિયાદ નોંધાવી પડશે અગાઉના બંને નંબરની જગ્યાએ હવે એક જ નંબર પર રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગની સેવાઓ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે.
ગુજરાત
શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં
આયોજકો તંત્ર સામે લડી લેવાના મૂડમાં: અરજીના 15 દિવસ બાદ પણ જવાબ નહીં મળ્યો હોવાના આક્ષેપ
દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતી દ્વારા શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટ મનપા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા ગ્રાઉન્ડ બાબતે કોઇ જવાબ નહીં આપતા આયોજકો દ્વારા આજે સાંજે ધરણા કરી અને વિરોધ પ્રદર્શન કરી માતાજીની આરતી કરાશે.
આ અંગે આયોજક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ સૈનિક નટુભા ઝાલા, નલીનભાઇ ચૌહાણ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિના પ્રમુખ હેમાબેન કક્કડ, લીગલ એડવાઇઝર ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 24 વર્ષથી શરદ પૂર્ણિમાએ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે 15 દિવસ અગાઉ ગ્રાઉન્ડ માટેની અરજી કરવા છતા પણ મહાપાલિકા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા મંજુરી માટે કોઇ જાણ કરવામાં આવી નથી. અનેક વખત જાણકારી માંગવા છતા પણ જવાબ આપવામાં આવતો નથી અને અરજીની પ્રક્રીયા કેટલે પહોંચી તે અંગે પણ જણાવવામાં આવતું નથી.
કોર્પોરેશન દ્વારા અર્વાચીન ગરબા માટે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવે છે કોઇ ચોકકસ સમાજને આપો છો ત્યારે અમે લોકો સર્વે સમાજની દિકરીઓ અને બહેનો માટે આયોજન કરીએ છીએ. તેમાં પણ તંત્ર દ્વારા રોડા નાખવામાં આવે છે. આવતીકાલે શરદોત્સવ હોય અમને હજુ સુધી ગ્રાઉન્ડ ફાળવવા બાબતે કોઇ જવાબ આપવામાં આવ્યો નથી જેથી અમારા આયોજન અંગે પણ મુંઝવણ ઉભી થાય છે. છતા પણ અમે આજે સાંજે હાઇસ્કુલ ખાતે તંત્રની તાનાશાહી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને માતાજીની આરતી પણ કરાશે.
વધુમાં આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ધક્કા ખાવા છતા પણ મનપા અને હાઇસ્કુલના સતાધીશો દ્વારા કોઇપણ જાતનો જવાબ આપવામાં આવ્યો નથી અને અરજીની પ્રક્રીયા અંગે પણ માહિતી આપવામાં આવતી નહી હોવાથી આ પ્રશ્ન આગામી દિવસોમાં મુખ્યમંત્રી દ્વારા યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં મુકવામાં આવશે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય16 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત
-
આંતરરાષ્ટ્રીય17 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ