ક્રાઇમ
જ્ઞાન સહાયકોની નોકરી ઉપર લટકતી તલવાર
શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તો છૂટા કરવા અને જરૂરિયાત મુજબ કરાર રિન્યૂ કરવાના પરિપત્રથી વિવાદ
શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવાામં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા એક પરીપત્ર કરતા વિવાદ છેડાયો છે જે શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય ત્યાંથી જ્ઞાન સહાયકોને છુટા કરવા અને જરૂરીયાતવાળી શાળાઓમાં કરાર રિન્યુ કરવા આદેશ કરાયો છે. આ પરિપત્રથી રોજગારી પર લટકતી તલવાર હોય ફરી એકવાર રોજગારીનો પ્રશ્ર્નાર્થ શિક્ષકોમાં ઉભો થતા કચવાટ ફેલાયો છે.
શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકના કરાર રીન્યુ કરવા બાબતનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જ્યાં જગ્યાઓ મંજુર છે અને ખાલી છે એવી જગ્યા પર જ્ઞાન સહાયક ને કરાર રીન્યુ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત 31-7-2024 ની સ્થિતિએ જો જગ્યા ખાલી ન હોય તો ત્યાં જ્ઞાન સહાયકને છૂટા કરવા સૂચના આપવામાં આવી છે. તથા બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ ખાલી રહેલી જગ્યા પર જ્ઞાન સહાયકની નિમણૂક કરવાની માહિતી આ પરિપત્રમાં આપવામાં આવી હતી.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓમાં હાલ કાર્યરત જ્ઞાનસહાયકોના કરારની અવધિ તા.31-07-2024 ના રોજ પૂ્ણ થતી હોઇ કરાર રિન્યુ કરવા બાબતે કાર્યવાહી હાથ ધરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
તા.31-07-2024 ની સ્થિતીએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તેવી શાળાઓમાં કાર્યરત જ્ઞાનસહાયકને છુટા કરવાના રહેશે. તા.31-07-2024 ની સ્થિતીએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી રહેતી હોય અને તે શાળાઓમાં જ્ઞાન સહાયક કાર્યરત હોય, તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આવા જ્ઞાનહાયકના કરાર રીન્યુ કરવાના રહેશે.
તા.31-07-2024ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી તા.11-05-2023ના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઇ મુજબ ક્રમાનુસાર વધ-ઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેર બદલી કેમ્પમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે, તો આ સ્થિતીમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાનસહાયકોને છુટા કરવાના રહેશે.
કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર રાજ્ય કક્ષાએથી જ્ઞાનસહાયકને કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
ક્રાઇમ
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી. છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ
રાજકોટમાં બે જૂથ વચ્ચે માથાકૂટ બાદ ભારે તંગદિલી: સાતની ધરપકડ
સામુ જોવા બાબતે મુસ્લિમ અને ભરવાડ જુથ વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં ત્રણ ઘાયલ : કુંભારવાડામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટના કુંભારવાડામાં ગઈકાલે રાત્રે સામુ જોવા જેવી નજીવી બાબતે મુસ્લિમ અને ભરવાડ જૂથ વચ્ચે માથાકુટ થયા બાદ શસ્ત્ર બઘડાટી બોલી હતી. જેમાં બન્ને જૂથના ત્રણ લોકોને ઈજા થઈ હતી. આ મામલે એ-ડીવીઝન પોલીસ સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ બનાવમાં પોલીસે બન્ને પક્ષે સામેસામે ફરિયાદ નોંધી છે અને બનાવ બાદ આજે સવારથી સમગ્ર કુંભારવાડા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે પોલીસે કોમ્બીંગ કરીને ભરવાડ જૂથના 4 અને મુસ્લિમ જુથના 3 એમ કુલ 7 આરોપીઓને ઝડપી લીધા હતાં. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજકોટના કુંભારવાડામાં બનેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે સામે સામે ફરિયાદ નોંધી છે જેમાં મકાનનું લે-વેચનું કામ કરતાં દિવ્યેશ રમેશ પરમારની ફરિયાદને આધારે કુંભારવાડાના અકીલ શબીર મકરાણી, ફરાજ સલીમ ફલીયાણી, અરમાન સુમરા, અફઝલ હાજી, મુસ્તાક હાજી અને અજાણ્યા સહિત છ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે એકાત પ્રોવીઝન સ્ટોર પાસે રહેતા અકીલ શબીર મકરાણીની ફરિયાદને આધારે હાથીખાના કુંભારવાડામાં રહેતા અવધ ભરવાડ તેના ભાઈ દિવ્યેશ ભરવાડ તેના કાકાનો પુત્ર મંથન તથા તેના મિત્ર અમીત ગોહેલ અને અજાણ્યા બે મળી છ સામે ગુનો નોંધ્યો છે.
દિવ્યેશ પરમારે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના મોટા બાપુનો પુત્ર મંથન સ્કુટર લઈને જતો હતો ત્યારે અકીલ મકરાણી સાથે સામુ જોવા જેવી બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ દિવ્યેશ અને તેની સાથેનો ભાઈ કાર લઈને જતાં હતાં ત્યારે અકીલ સહિતના શખ્સોએ કાર ઉપર હુમલો કરી છુટા સોડા બોટલના ઘા કરી કારમાં નુકસાન કર્યુ હતું. તેમજ કારના કાચ તોડી નાખી દિવ્યેશ ઉપર અને મંથન ઉપર હુમલો કર્યો હતો. સામાપક્ષે અકીલ મકરાણીએ જણાવ્યા મુજબ, કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા દિવ્યેશે અકીલ એકસેસ મોટર સાઈકલ લઈને જતો હતો ત્યારે સામુ કેમ જોતો હતો તેમ કહી ગાળો આપી અકીલ અને તેની સાથેના ભાઈ અલ્કાબા મસ્જીદ પાસે હતા ત્યારે સોડા બોટલના ઘા કરી હુમલો કર્યો હતો.
આ બનાવ બાદ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી તેમજ પીઆઈ આર.જી.બારોટ સહિતનો સ્ટાફ તાત્કાલીક કુંભારવાડા ખાતે દોડી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી. આ બનાવ બાદ આખી રાત પોલીસે કોમ્બીંગ કર્યુ હતું અને ભારેલા અગ્નિની સ્થિતિ વચ્ચે આ બનાવમાં મુસ્લિમ જુથના ત્રણ અને ભરવાડ જૂથના 4 એમ સાત શખ્સોની ધરપકડ કરી છે.
ક્રાઇમ
મીઠાપુર નજીક કારમાંથી દારૂ, બીયરના જથ્થા સાથે બે ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર સોસાયટીમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં ગરબી ચોક પાસેથી જી.જે 37 ટી. 9260 નંબરની એક સ્વીફ્ટ મોટરકારના ચેકિંગ દરમિયાન પોલીસને આ મોટરકારમાંથી દારૂૂ, બિયરનો જથ્થો સાંપળ્યો હતો.
તેની વધુ તપાસમાં મોટરકારમાં છુપાવીને રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની 240 બોટલ વિદેશી શરાબ તેમજ 23 બિયરના ટીમ મળી આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂૂપિયા 5,63,740 ના મુદ્દામાલ સાથે જય અંબે સોસાયટી માં રહેતા જીગર સાગરભાઈ પંડ્યા (ઉ.વ. 25) અને આ જ વિસ્તારમાં રહેતા અરજણભા ઉર્ફ અજય ગાંગાભા માણેક (ઉ.વ. 26) ની અટકાયત કરી ધોરણ સાત ગુનો નોંધ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. તુષાર પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત16 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી