Connect with us

ગુજરાત

કોડીનાર-સૂત્રાપાડા હાઇવે પર ધામળેજ બંદરને જોડતા રસ્તા પરથી રૂા.1 કરોડની જમીન ખુલ્લી કરાઇ

Published

on

જિલ્લા કલેકટરે ધાળેજમાં ગ્રામસભા યોજી


ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગત તા.8-7-2024 ના રોજ સાંજે જિલ્લા કક્ષાના લીયન વિભાગના વડાઓ સાથે સૂત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના લોકો સાથે ગ્રામસભા યોજી હતી. જેમાં ગ્રામજનો દ્વારા સામૂહિક જાહેરહિતના પ્રશ્નો કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા. આ પ્રશ્નો પરત્વે કલેક્ટર દ્વારા લગતા વિભાગના વડાઓને રૂૂબરૂૂ સૂચના આપી તાત્કાલિક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી.


ગ્રામજનો દ્વારા રજૂ થયેલ જાહેર હિતના પ્રશ્નોમાં મુખ્યત્વે સ્વચ્છતા, ગૌચરની તથા સરકારી જમીનોમાં દબાણ, રોડ રસ્તા ઉપરના દબાણો, અનિયમિત વીજ પુરવઠાને લગતા પ્રશ્નો તેમજ વાડી વિસ્તારના રસ્તામાં દબાણને લગતી રજૂઆતો મળી હતી. ગામના સ્વચ્છતા અંગેના પ્રશ્નો અંગે કલેક્ટર દ્વારા અગ્રતાના ધોરણે સૂત્રાપાડા તથા કોડિનાર નગરપાલિકાની સફાઈ કર્મચારીઓની ટીમને ધામળેજ ગામ ખાતે હાજર રાખી સ્વચ્છતા અભિયાન હાથ ધરી જે.સી.બી. ટ્રેક્ટર વગેરે સાધનો સાથે રાખી ગામના જાહેર માર્ગો, જાહેર જગ્યાઓ પર આવેલ ઉકરડા, ગંદકી વગેરે દૂર કરવામાં આવી હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની છે.

તેમજ કલેક્ટર દ્વારા ગઈકાલની ગ્રામ સભામાં ગેરકાયદેસર ધોરણે દબાણો દૂર કરવા અંગે સ્વેચ્છાએ સહયોગ આપવા અપીલ કરતા ગ્રામજનો દ્વારા આજ રોજ કોડિનાર – સૂત્રાપાડા સ્ટેટ હાઇવે રોડ પર તથા ધામળેજ બંદરને જોડતાં રસ્તા પરના ટ્રાફિકને અડચણરૂૂપ દબાણો સ્વેચ્છાએ લોકોના સહયોગથી દૂર કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.જેમાં અંદાજિત 20,000 ચોરસ ફૂટ જમીન જેની આશરે કિમત 1 કરોડ જેટલી થવા જાય છે. જેને ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત, બોસનના પા તરીકે ઓળખાતો વાડી વિસ્તારનો આશરે 1.5 કિ.મી. સસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને ધામળેજ ગામમાં મોટા પ્રમાણમાં લાઈન લોસ આવતો હોવાથી કલેક્ટર દ્વારા જે લોકો પાસે વીજ જોડાણ ન હોય તેમને નવું વીજ જોડાણ મેળવી લેવા અપીલ કરવામાં આવી હતી. તેના અનુસંધાને આજરોજ ધામળેજ ગામ ખાતે નવા વીજ જોડાણ અંગે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ધામળેજ ગામના લોકો દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.

ગુજરાત

ગોંડલમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને આખલાએ ઢીંકે ચડાવતાં મોત

Published

on

By

વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ

રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને રખડતા ઢોરના કારણે અનેક લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે એટલું જ નહીં પરંતુ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પણ ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે.


ત્યારે વધુ એક બનાવમાં ગોંડલમાં વોકીંગમાં નીકળેલા વૃધ્ધને આખલાએ ઢીક મારી પછાડી દીધા હતાં. વૃધ્ધને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં જેતપુર રોડ પર આવેલી દાસીજીવણ સોસાયટીમાં રહેતા ઈશ્ર્વરભાઈ મનજીભાઈ પાડલીયા નામના 75 વર્ષના વૃધ્ધ સવારના સાતેક વાગ્યાના અરસામાં જેતપુર રોડ પર ચાલીને જતાં હતાં ત્યારે આખલાએ ઢીક મારી પછાડી દીધા હતાં.


ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃધ્ધે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.


પ્રાથમિક પુછપરછમાં મૃતક ઈશ્ર્વરભાઈ પાડલીયા બે ભાઈ ચાર બહેનમાં નાના હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતાં હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.ઈશ્ર્વરભાઈ પાડલીયા સવારના વોકીંગમાં નીકળ્યા હતાં ત્યારે આખલાએ ઢીક મારી પછાડી દેતાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતા આર્થિક સંકડામણથી ખેડૂતનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

Published

on

By

ચોટીલાના નાની મોલડી ગામની ઘટના: સંતાનોની ફીના રૂપિયાનો પણ મેળ નહીં પડતા પગલું ભર્યુ

રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદને પગલે લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને અતિશય વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા હોય તેમ પાકમાં નુકસાન પહોંચ્યું છે સરકાર દ્વારા પણ નુકસાનીનો સર્વે કરવાનો આદેશ કરાયા છે ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ચોટીલા તાલુકાના નાના મોલડી ગામે રહેતા ખેડૂતે ભારે વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતાં આર્થિક સંકડામણના કારણે સંતાનોની ફી ભરવાના રૂપિયાનો પણ મેળ નહીં પડતાં આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે રહેતા રમેશભાઈ મંગાભાઈ ચૌહાણ નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાં ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે ઝેરી દવા પી લેનાર યુવકનું નિવેદન નોંધ્યું હતું.


પ્રાથમિક પુછપરછમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર રમેશભાઈ ચૌહાણ બે ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ છે અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રમેશભાઈ ચૌહાણ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભારે વરસાદના કારણે રમેશભાઈ ચૌહાણના ખેતરમાં ધોવાણ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે થયેલી નુકસાનીથી રમેશભાઈ ચૌહાણ પાસે વાવણી કરવા અને છોકરાઓની ફી ભરવાના રૂપિયાનો મેળ નહીં પડતાં આર્થિક ભીંસમાં સપડાયેલા રમેશભાઈ ચૌહાણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ

Published

on

By

આગામી 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેવાના છે. જેને લઈને ગઈકાલે રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. અને પત્રકારોએ પુછેલા પ્રશ્ર્નના જવાબમાં શંકરસિંહે જણાવ્યું કે, આંદોલનની વાતજ નથી, આંદોલન પુરુ થઈ ગયું છે. સમાજમાં બીજા સમાજનું જોઈને શીખવાનો સવાલ છે.


મારી નવી પાર્ટી બનાવવાની વાતો થઈ રહી છે, પરંતુ જેને જે વાતો કરવી હોય તે કરે. જ્યારે સમાજનું બંધન હોય, ત્યારે જે સંસ્થા હોય, ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને જવાનું. સમાજમાં માત્ર સમાજની જ વાત કરવાની.
ક્ષત્રિય સંમેલનને લઈને રાજકોટમાં સમાજની એક બેઠકમાં શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ સંસ્થાના અગ્રણી આગેવાનો તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.


જો કે ક્ષત્રિય સમાજની બેઠકમાં પદ્મિનીબા દેખાયા નહતા. પદ્મિનીબા વાળાને સર્કિટ હાઉસ ખાતે અલગ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં પદ્મિની બા અને શંકરસિંહ વાઘેલા સાથે 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, બેઠકમાં કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી નથી. આ બેઠકમાં સમાજનું કલ્યાણ કેમ થાય અને સમાજ કેવી રીતે આગળ આવે? તેવા મુદ્દા પર ચર્ચા થઈ હતી.

Continue Reading
આંતરરાષ્ટ્રીય8 mins ago

ચાહકોની ગેરવર્તણૂકથી સ્ટેજ છોડી ભાગી જાણીતી સિંગર શકીરા

રાષ્ટ્રીય10 mins ago

આતિશી બનશે દિલ્હીના નવા CM,વિધાયક દળની બેઠકમાં લેવાયો અંતિમ નિર્ણય

મનોરંજન12 mins ago

કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની

આંતરરાષ્ટ્રીય14 mins ago

SIIMA-2024માં ઐશ્ર્વર્યા રાયને પોનિયન સેલ્વન-2 માટે ક્રિટિક્સ એવોર્ડ

Sports17 mins ago

બાંગ્લાદેશને હળવાશથી ન લેતા, ટીમ ઈન્ડિયાને ગાવસ્કરે આપી ચેતવણી

ગુજરાત19 mins ago

ગોંડલમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને આખલાએ ઢીંકે ચડાવતાં મોત

ગુજરાત22 mins ago

વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતા આર્થિક સંકડામણથી ખેડૂતનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

Sports26 mins ago

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીનનો મુકાબલો

ગુજરાત26 mins ago

આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ

ગુજરાત29 mins ago

ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે જાતરના મેળામાં જુગારના છ દરોડા, 22 શખ્સો ઝડપાયા

રાષ્ટ્રીય24 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત20 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત20 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત20 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending