શંકાસ્પદ વ્યક્તિની ઓળખ અર્જુન શર્મા તરીકે થઈ છે, જ્યારે પીડિતા નિકિતા ગોદિશાલા, 27 વર્ષીય છે, જે એલિકોટ સિટીની રહેવાસી છે. હોવર્ડ કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે તેઓ શર્માને શોધવા અને ધરપકડ કરવા માટે યુએસ ફેડરલ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે કામ કરી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શર્માએ 2 જાન્યુઆરીએ ગુમ વ્યક્તિની ફરિયાદ નોંધાવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગોદિશાલા નવા વર્ષની પૂર્વ સંધ્યાથી ગુમ હતી. તેણે પોલીસને જણાવ્યું કે તેણે છેલ્લે તેણીને કોલંબિયાના મેરીલેન્ડમાં ટ્વીન રિવર્સ રોડ પરના તેના ફ્લેટમાં જોઈ હતી.તપાસના ભાગ રૂૂપે, પોલીસે શોધી કાઢ્યું કે શર્મા ફરિયાદ લઈને જે દિવસે તેમનો સંપર્ક કર્યો તે જ દિવસે તે ભારત ગયો હતો, જેનાથી શંકા જાગી. ત્યારબાદ ડિટેક્ટીવ્સને ફ્લેટ માટે સર્ચ વોરંટ મળ્યું. 3 જાન્યુઆરીના રોજ હાથ ધરાયેલી શોધ દરમિયાન, એપાર્ટમેન્ટમાંથી ગોદીશાલાનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે તેણીને છરીના અનેક ઘા હતા. ત્યારબાદ શર્મા સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેને શોધવા અને હત્યા પાછળનો હેતુ નક્કી કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
