Connect with us

Sports

મહિલા T-20 ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાને કારમો પરાજય

Published

on

5 વિકેટ હોવા છતાંય 6 બોલમાં 14 રન ન બનાવી શકયા, હરમનપ્રીતે 54 રન બનાવ્યા

ભારતને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભૂંડી હાર મળી છે. ટીમ ઈંડિયા 6 બોલ પર 14 રન બનાવી શકી નહીં, જ્યારે તેની 5 વિકેટ પણ પડી હતી. કપ્તાન હરમનપ્રીત કૌર પણ અડધી સદી ફટકારીને એક છેડે ઊભી હતી. જ્યારે બીજા છેડે ભારતે છેલ્લી ઓેવરમાં 4 વિકેટ ખોઈ દીધી. ઓસ્ટ્રેલિયાએ મહિલા ટી20 વિશ્વ કપની છેલ્લી લીગની આ મેચમાં 9 રને જીતીને શાનથી સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે.


152 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 9 વિકેટે 142 રન જ બનાવી શકી હતી. તેને પહેલો ફટકો 26ના સ્કોર પર લાગ્યો હતો. ઓપનર શેફાલી વર્માને એશ્ર્લે ગાર્ડનરે 20ના સ્કોર પર પેવેલિયન મોકલી હતી. આ પછી સ્મૃતિ મંધાના પણ 39ના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. મંધાનાએ 6 રન બનાવ્યા હતા. ભારતે 47ના સ્કોર પર જેમિમાહ રોડ્રિગ્સની વિકેટ ગુમાવી હતી. જેમિમા 16 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. દીપ્તિ શર્માએ હરમનપ્રીત કૌર સાથે મળીને ઈનિંગ્સને સંભાળી હતી અને બંને બેટ્સમેનોએ સ્કોર 110 સુધી પહોંચાડ્યો હતો. દીપ્તિ 29 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, જ્યારે રિચા ઘોષ એક રન બનાવીને રનઆઉટ થઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 54 રન બનાવ્યા હતાં.


ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 151 રન બનાવ્યા હતા આ પહેલા શારજાહમાં રમાયેલી ગ્રુપ અની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 151 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે, પાંચ ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચ્યા, જેમાં ઓપનર ગ્રેસ હેરિસ 40 રન સાથે ટોપ સ્કોરર રહી. એક્ટિંગ કેપ્ટન તાહલિયા મેકગ્રા અને એલિસ પેરીએ 32-32 રન બનાવ્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહ અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટિલ અને રાધા યાદવે એક-એક વિકેટ લીધી હતી.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sports

ફૂટબોલ સ્ટાર એમબાપ્પે પર બળાત્કારનો આરોપ

Published

on

By

રમતગમત જગતમાં અચાનક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ફૂટબોલર કૈલિયન એમબાપ્પે એક મોટા વિવાદમાં આવી ગયો છે. તેના પર હોટલમાં બળાત્કારનો આરોપ છે. જો કે, દિગ્ગજ ખેલાડીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું અને તેને નકલી ગણાવ્યું. પરંતુ બીજી તરફ પોલીસે ઝડપી તપાસ શરૂૂ કરી છે.


એક અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના પર બળાત્કારનો આરોપ છે. હાલમાં પોલીસ તેમની તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ખબફાાય એ આ સમાચારની નિંદા કરી અને તેને નકલી ગણાવ્યો. અખબારે અહેવાલ આપ્યો છે કે સ્વીડિશ પોલીસ બેંક હોટેલમાં કથિત બળાત્કારની ઘટનાની તપાસ કરી રહી છે, જ્યાં ખબફાાય અને તેના સાથીઓ એક રાત રોકાયા હતા. ખબફાાય એ આ મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે, અને દાવો કર્યો છે કે તે તેની છબી અને પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ છે, તે પણ બાકી પગાર અંગેની સુનાવણી પહેલા. તે જ સમયે, તેમની ટીમે દાવો કર્યો છે કે સત્ય બહાર લાવવા અને ફ્રેન્ચ ફોરવર્ડની છબી સુધારવા માટે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, ધ સનના અહેવાલ મુજબ, ટીમે ડાંકેની ઈજા પર પણ કહ્યું કે તેના પર લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને બે જવાબદાર છે.

Continue Reading

Sports

રોહિત શર્માને સામેલ કરવા RCBએ 20 કરોડ ખર્ચવા પડે: રવિચંદ્રન અશ્ર્વિન

Published

on

By

આઈપીએલ 2025 પહેલા મેગા ઓકશન થવાનુ છે. બીસીસીઆઈએ રિટેન્શનના નિયમો પણ જાહેર કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંતે રિટેન કરવામાં આવનારા ખેલાડીઓના નામો જાહેર કરવામાં આવશે. દરેક ટીમને વધુમાં વધુ 6 ખેલાડીઓ રિટેન કરવાનો અધિકાર મળ્યો છે. આ સ્થિતિમાં, મુંબઈ ઇન્ડિયન્સને 5 ખિતાબ જીતાવી ચૂકેલા કેપ્ટન રોહિત શર્મા આગામી સીઝનમાં આ ટીમ સાથે રહેશે કે નહિ, આ સૌથી મોટો પ્રશ્ન છે.


રોહિત શર્મા જો રિલીઝ થાય છે તો તેઓ ઓકશનમાં જોવા મળશે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, જો રોહિત ઓકશનમાં આવે છે, તો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમના પર મોટી બોલી લગાવી શકે છે. આ બંને ટીમોને ઓકશનમાં નવા કેપ્ટનની શોધ રહેવાની છે. આ સ્થિતિમાં, રવિચન્દ્રન અશ્વિનએ તેમના યુટ્યૂબ ચેનલ પર આ મુદ્દે નિવેદન આપ્યું.


એક ફેનએ અશ્વિનને તેમના યુટ્યૂબ ચેનલ પર વિરાટ કોહલી અને રોહિત શર્માની એક જ ટીમમાં રમવાની સંભાવના બાબતે પૂછ્યું હતું. તેના જવાબમાં અશ્વિનએ કહ્યું કે છઈઇને જો રોહિતને તેમની ટીમમાં સામેલ કરવા હોય, તો 20 કરોડ રૂૂપિયા ખર્ચવા પડશે. રવિચન્દ્રન અશ્વિનએ કહ્યું, જો તમે રોહિત શર્મા ઇચ્છી રહ્યા છો, તો 20 કરોડ રાખવાની જરૂૂર પડશે.


રોહિત શર્માએ પોતાના ઈંઙક કરિયરની શરૂૂઆત ડેક્કન ચાર્જર્સ સાથે કરી હતી. ત્યારબાદ તેઓ 2011માં મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા. ત્યાર બાદ, મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને 2013માં કેપ્ટન બનાવ્યા. તેમણે પહેલી જ સીઝનમાં મુંબઈને ચેમ્પિયન બનાવવામાં સફળતા મેળવી. ત્યાર બાદ તેમણે 2015, 2017, 2019 અને 2020માં પણ મુંબઈને ઈંઙકમાં ચેમ્પિયન બનાવ્યું. પરંતુ છેલ્લીસીઝનમાં તેમને કેપ્ટનની ભૂમિકા પરથી હટાવવામાં આવ્યા હતા. મુંબઈની ટીમે રોહિતની જગ્યા પર ઇંફમિશસ ઙફક્ષમુફને ટીમની કમાન સોંપી હતી.

Continue Reading

Sports

મેન્સ T20 ઇમર્જિંગ ટીમ એશિયા કપનું નેતૃત્વ કરશે તિલક વર્મા

Published

on

By


ક્રિકેટ બોર્ડે ઓમાનમાં આયોજિત મેન્સ T20 ઇમર્જિંગ ટીમ એશિયા કપ માટે ભારત અ ટીમની જાહેરાત કરી છે. વન-ડે અને ટેસ્ટ-કેપ્ટન રોહિત શર્માના નજીકના અને મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર તિલક વર્માને અ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.


યુવા ઓપનર અભિષેક શર્મા સતત બીજી વાર આ ટુર્નામેન્ટ રમશે. છેલ્લી વખત ભારત યશ ધુલની કપ્તાનીમાં આ ટુર્નામેન્ટમાં રમ્યું હતું, જ્યાં ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર્યું હતું.


18થી 27 ઑક્ટોબર વચ્ચે આયોજિત આ ટુર્નામેન્ટમાં 8 ટીમ રમશે. ઇમર્જિંગ એશિયા કપ એશિયાના યુવા અને વિકાસશીલ ખેલાડીઓ માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ છે. એનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે.

Continue Reading
રાષ્ટ્રીય12 hours ago

યોગી-રાજનાથ સહિત આ VIPની સુરક્ષામાં મોટો ફેરફાર, NSG કમાન્ડોને હટાવીને CRPF તહેનાત કરવામાં આવશે

રાષ્ટ્રીય12 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

રાષ્ટ્રીય12 hours ago

3 દિવસમાં 12 ફ્લાઈટને બોમ્બની ધમકી…ફેક ઈન્ફર્મેશન આપનારને મળશે આવી સજા

મનોરંજન12 hours ago

રકુલ પ્રીત સિંહને બેલ્ટ વિના 80 કિલો વજન ઉંચકવું પડ્યું ભારે, પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા

આંતરરાષ્ટ્રીય12 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય13 hours ago

સ્પેકટ્રમ વોર, જિયો- એરટેલનો મસ્ક-બેઝોસ સામે ખુલ્લો વિરોધ

ગુજરાત13 hours ago

દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર

રાષ્ટ્રીય13 hours ago

દિવાળી 31 ઓક્ટોબરે ઉજવાશે, ધાર્મિક સભામાં લેવાયો નિર્ણય

ગુજરાત13 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

રાષ્ટ્રીય13 hours ago

નશાબંધી રાજ્ય બિહારમાં લઠ્ઠાકાંડ સાતથી વધુ મોત, 12 ગંભીર

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

રાષ્ટ્રીય12 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

ગુજરાત2 days ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

Trending