સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગીની પદ્ધતિ અંગે અનેક મુદ્દાસર પ્રશ્નો પૂછ્યા. કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે માત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરવું જોઈએ નહીં પરંતુ સ્વતંત્ર પણ દેખાવું જોઈએ.
ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બનેલી બેન્ચે પૂછ્યું કે CVI ડિરેક્ટર અને લોકપાલની પસંદગી પ્રક્રિયામાં CJIનો સમાવેશ થાય છે, છતાં CJIને CEC અને ECs જેવા મહત્વપૂર્ણ પદો માટે પેનલમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યા.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે નોંધ્યું હતું કે CJI CBI ડિરેક્ટર અને લોકપાલ માટે પસંદગી પેનલનો ભાગ હતા. તેમણે પૂછ્યું કે CEC અને ઊઈના પદો – લોકશાહી માટે મહત્વપૂર્ણ પદોની પસંદગી પ્રક્રિયામાંથી CJI ને બાકાત રાખવાનું કારણ શું હોઈ શકે છે. કોર્ટે આ મામલાને બંધારણીય બેન્ચને મોકલવાની કેન્દ્રની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો. કોર્ટે ટિપ્પણી કરી, “આ વિશ્વાસના અભાવનો પ્રશ્ન નથી. જોકે, નિષ્પક્ષતા પણ દેખાતી હોવી જોઈએ. જેમ ન્યાય ફક્ત થવો જ જોઈએ નહીં પણ તે થતો પણ દેખાય છે.”
