ગુજરાત
વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો 10 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે થશે પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર અગ્રિમ સ્થાન અપાવવા 2003થી શરૂૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી-2024ના યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ સમિટને બે દાયકાની સમિટ ઑફ સક્સેસ તરીકે આયોજિત કરીને જ્વલંત સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનને ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો. કોર કમિટીની બેઠકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રીઓ, સર્વ હર્ષ સંઘવી તેમજ જગદીશ વિશ્વકર્મા પણ સહભાગી થયા હતા.વાઇબ્રન્ટ સમિટ-2024નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.10મી જાન્યુઆરીએ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રપતિઓ-વડાપ્રધાનઓ-વડાઓ અને દેશ-વિદેશનાં સીઇઓએસની વિશેષ ઉપસ્થિતિમાં કરાવશે. મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે વાઇબ્રન્ટ સમિટ-2024ના સર્વગ્રાહી તલસ્પર્શી આયોજનનું પ્રેઝન્ટેશન કર્યું હતું.વાઇબ્રન્ટ સમિટના પ્રારંભના પૂર્વ દિવસે એટલે કે 9મી જાન્યુઆરી થી પાંચ દિવસ માટે ગ્લોબલ ટ્રેડ-શો નું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ટેકનોલોજીના દશક ટેકેડ, ડિસ્રપ્ટિવ ટેકનોલોજીસ અને ચેમ્પિયન સર્વિસ સેક્ટર્સને આ ટ્રેડ શોમાં શો-કેસ કરવામાં આવશે. એટલું જ નહીં, રિવર્સ બાયર-સેલર મીટ, વેન્ડર ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઇ અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતા પરિસંવાદ વગેરેનું પણ આયોજન આ ટ્રેડ-શો દરમિયાન થવાનું છે.
વાઇબ્રન્ટ સમિટના ત્રિદિવસીય આયોજનમાં જે કોન્ફરન્સિઝ, સેમિનાર અને વન-ટુ-વન બેઠકો તથા ક્ધટ્રી અને સ્ટેટ સેમિનાર્સ યોજવાના છે તે અંગે પણ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવએ વિગતવાર પ્રેઝન્ટેશન કોર કમિટી સમક્ષ કર્યું હતું. તદઅનુસાર, સમિટના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર પછીના સમયમાં ઈન્ડસ્ટ્રી 4.0 સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન અન્વયે એરક્રાફ્ટ, આનુષંગિક ઉત્પાદન એમઆરઓની તકો, ધોલેરા-સ્માર્ટ બિઝનેસ માટે ગ્રીન ફિલ્ડ સ્માર્ટસિટી, વિકસિત ભારત2047 માટે ગુજરાતનો રોડ મેપ, સર્વગ્રાહી વિકાસ માટે ગતિશક્તિ અન્વયે યોગ્ય નિર્ણયોની વિષયવસ્તુ સાથે સેમિનાર, કોન્ફરન્સ અને પેનલ ડિસ્કશન્સ થશે.
સમિટના બીજા દિવસે 11મી જાન્યુઆરીએ ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન-ડ્રાઇવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથની વિષયવસ્તુને આવરી લેતા સેમિનાર્સ, કોન્ફરન્સિસમાં સેમિક્ધડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, પોર્ટ બેઝડ સિટી ડેવલપમેન્ટ, બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર-ઇન્ડસ્ટ્રી 4.0 માટે કૌશલ્ય વિકાસ અન્વયે યુથ ફોકસ્ડ ઇવેન્ટ્સ, ઇ.વી, સ્ટાર્ટઅપ, આધુનિક ભારતની આકાંક્ષા-ગિફ્ટસિટી, ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ, રિન્યુએબલ એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ માટે ગ્લોબલ નેટવર્ક ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.12મી જાન્યુઆરી 2024ના દિવસે એટલે કે સમિટના અંતિમ દિવસે એમએસએમઇ કોન્ક્લેવ, ડિ-કાર્બનાઇઝેશન ઑફ ધ ઇકોનોમી અને કાર્બન ટ્રેડિંગ દ્વારા નેટ ઝીરો તરફ પ્રયાણ, વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી રિસાયક્લિંગ, સર્ક્યુલર ઇકોનોમીમાં રહેલી તકો, ભારતના ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટીનેશન તરીકે ગુજરાત, રાઉન્ડ ધ ક્લોક એનર્જી માટે વોટ્સ થી ગીગા વોટ વગેરે વિષયક સેમિનાર્સ, કોન્ફરન્સ યોજાશે.
11 રાષ્ટ્રોનો પ્રવાસ, 200 વન-ટુ-વન બેઠકો
વાઇબ્રન્ટ સમિટ-2024ને જ્વલંત સફળતા અપાવવાની પ્રતિબદ્ધતા સાથે વિશ્વના દેશો અને ભારતના અન્ય રાજ્યોની પણ સહભાગીતા પ્રેરિત કરવા રોડ-શો તેમજ શ્રેણીબદ્ધ મુલાકાતો યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોર તેમજ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓએ પણ અન્ય દેશોમાં મળીને કુલ 11 રાષ્ટ્રોનો પ્રવાસ કરીને 200 જેટલી વન-ટુ-વન ફળદાયી બેઠકોનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં, દેશના 10 શહેરોમાં રોડ-શો અને 100 જેટલી વન-ટુ-વન બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, વિવિધ વિષયો પર પ્રિ-વાઇબ્રન્ટ સેમિનાર્સ અને કોન્ફરન્સના આયોજનમાં અત્યાર સુધીમાં 13 પ્રિ-ઇવેન્ટ પૂર્ણ થઈ છે અને વધુ બે ઇવેન્ટ જાન્યુઆરી-2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.
ગુજરાત
ગોંડલમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને આખલાએ ઢીંકે ચડાવતાં મોત
વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ
રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને રખડતા ઢોરના કારણે અનેક લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે એટલું જ નહીં પરંતુ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પણ ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે.
ત્યારે વધુ એક બનાવમાં ગોંડલમાં વોકીંગમાં નીકળેલા વૃધ્ધને આખલાએ ઢીક મારી પછાડી દીધા હતાં. વૃધ્ધને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં જેતપુર રોડ પર આવેલી દાસીજીવણ સોસાયટીમાં રહેતા ઈશ્ર્વરભાઈ મનજીભાઈ પાડલીયા નામના 75 વર્ષના વૃધ્ધ સવારના સાતેક વાગ્યાના અરસામાં જેતપુર રોડ પર ચાલીને જતાં હતાં ત્યારે આખલાએ ઢીક મારી પછાડી દીધા હતાં.
ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃધ્ધે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક ઈશ્ર્વરભાઈ પાડલીયા બે ભાઈ ચાર બહેનમાં નાના હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતાં હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.ઈશ્ર્વરભાઈ પાડલીયા સવારના વોકીંગમાં નીકળ્યા હતાં ત્યારે આખલાએ ઢીક મારી પછાડી દેતાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતા આર્થિક સંકડામણથી ખેડૂતનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
ચોટીલાના નાની મોલડી ગામની ઘટના: સંતાનોની ફીના રૂપિયાનો પણ મેળ નહીં પડતા પગલું ભર્યુ
રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદને પગલે લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને અતિશય વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા હોય તેમ પાકમાં નુકસાન પહોંચ્યું છે સરકાર દ્વારા પણ નુકસાનીનો સર્વે કરવાનો આદેશ કરાયા છે ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ચોટીલા તાલુકાના નાના મોલડી ગામે રહેતા ખેડૂતે ભારે વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતાં આર્થિક સંકડામણના કારણે સંતાનોની ફી ભરવાના રૂપિયાનો પણ મેળ નહીં પડતાં આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે રહેતા રમેશભાઈ મંગાભાઈ ચૌહાણ નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાં ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે ઝેરી દવા પી લેનાર યુવકનું નિવેદન નોંધ્યું હતું.
પ્રાથમિક પુછપરછમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર રમેશભાઈ ચૌહાણ બે ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ છે અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રમેશભાઈ ચૌહાણ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભારે વરસાદના કારણે રમેશભાઈ ચૌહાણના ખેતરમાં ધોવાણ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે થયેલી નુકસાનીથી રમેશભાઈ ચૌહાણ પાસે વાવણી કરવા અને છોકરાઓની ફી ભરવાના રૂપિયાનો મેળ નહીં પડતાં આર્થિક ભીંસમાં સપડાયેલા રમેશભાઈ ચૌહાણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ
આગામી 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેવાના છે. જેને લઈને ગઈકાલે રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. અને પત્રકારોએ પુછેલા પ્રશ્ર્નના જવાબમાં શંકરસિંહે જણાવ્યું કે, આંદોલનની વાતજ નથી, આંદોલન પુરુ થઈ ગયું છે. સમાજમાં બીજા સમાજનું જોઈને શીખવાનો સવાલ છે.
મારી નવી પાર્ટી બનાવવાની વાતો થઈ રહી છે, પરંતુ જેને જે વાતો કરવી હોય તે કરે. જ્યારે સમાજનું બંધન હોય, ત્યારે જે સંસ્થા હોય, ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને જવાનું. સમાજમાં માત્ર સમાજની જ વાત કરવાની.
ક્ષત્રિય સંમેલનને લઈને રાજકોટમાં સમાજની એક બેઠકમાં શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ સંસ્થાના અગ્રણી આગેવાનો તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
જો કે ક્ષત્રિય સમાજની બેઠકમાં પદ્મિનીબા દેખાયા નહતા. પદ્મિનીબા વાળાને સર્કિટ હાઉસ ખાતે અલગ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં પદ્મિની બા અને શંકરસિંહ વાઘેલા સાથે 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, બેઠકમાં કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી નથી. આ બેઠકમાં સમાજનું કલ્યાણ કેમ થાય અને સમાજ કેવી રીતે આગળ આવે? તેવા મુદ્દા પર ચર્ચા થઈ હતી.
-
રાષ્ટ્રીય24 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય1 day ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત20 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત20 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક18 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે