UNના નકશામાં અરૂણાચલ, અક્સાઇ ચીનને વિવાદિત ક્ષેત્રો બતાવાયા!

વિશ્ર્વના નવા નકશામાં આ બન્ને પ્રદેશોને ભારતીય રેખા અને ચીની રેખા વચ્ચે દર્શાવાતા તીવ્ર રોષ સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વિશ્વના એક…

વિશ્ર્વના નવા નકશામાં આ બન્ને પ્રદેશોને ભારતીય રેખા અને ચીની રેખા વચ્ચે દર્શાવાતા તીવ્ર રોષ

સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વિશ્વના એક નવા નકશાને કારણે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવો રાજદ્વારી વિવાદ ઊભો થયો છે. આ નવા નકશામાં ભારતના પૂર્વોત્તર રાજ્ય અરૂૂણાચલ પ્રદેશ અને ઉત્તરીય સીમા પર આવેલા અક્સાઈ ચિન વિસ્તારને ઇન્ડિયન લાઇન (ભારતીય રેખા) અને ચાઇનીઝ લાઇન (ચીની રેખા) એમ બે સ્પર્ધક સીમારેખાઓ વચ્ચેના વિવાદિત ક્ષેત્ર તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર જેવા તટસ્થ માનવામાં આવતા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા ભારતના અવિભાજ્ય અંગ સમાન વિસ્તારોને આ રીતે દર્શાવવા સામે ભારતમાં તીવ્ર રોષ અને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અરૂૂણાચલ પ્રદેશની દક્ષિણ સરહદ (જે અસમ સાથે જોડાય છે) તેને ‘ચાઇનીઝ લાઇન’ તરીકે અંકિત કરવામાં આવી છે, જ્યારે રાજ્યની પૂર્વ સીમાને ‘ઇન્ડિયન લાઇન’ તરીકે દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં, રાજ્યની નાગાલેન્ડ સાથેની સીમાનો યોગ્ય ઉલ્લેખ પણ જોવા મળતો નથી. આ જ રીતે, અક્સાઈ ચિન વિસ્તારમાં પણ ‘ચાઇનીઝ લાઇન’ દર્શાવીને તેને લદ્દાખથી અલગ પાડતો બતાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અક્સાઈ ચિન પર 1962ના યુદ્ધ પછી ચીનનો ગેરકાયદેસર કબ્જો છે, પરંતુ ભારત હંમેશા તેને લદ્દાખ અને ભારતનો એક ભાગ ગણાવતું આવ્યું છે.

આ અગાઉ ચીને ઓગસ્ટ 2023માં પોતાના માનક નકશા (Standard Map) માં અરૂૂણાચલ પ્રદેશ અને અક્સાઈ ચિનને પોતાના પ્રદેશ તરીકે દર્શાવ્યા હતા, જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો. પરંતુ આ વખતે આ નકશો ચીન દ્વારા નહીં પરંતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરાતાં સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે.
ભારતે હંમેશાં વૈશ્વિક મંચો પર સ્પષ્ટ કર્યું છે કે અરૂૂણાચલ પ્રદેશ અને લદ્દાખ (અક્સાઈ ચિન સહિત) ભારતનો સંપૂર્ણ, અવિભાજ્ય અને બિન-વાટાઘાટો યોગ્ય (non-negotiable) ભાગ છે.

ભૂતકાળમાં જ્યારે પણ ચીને ઇ-પાસપોર્ટ, વિઝા કે પોતાના નકશાઓમાં અરૂૂણાચલ કે અક્સાઈ ચિનને વિવાદિત કે પોતાના ભાગ તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે ત્વરિત અને સખત રાજદ્વારી વિરોધ નોંધાવ્યો છે. યુએનના આ નકશા સામે પણ ભારત સરકાર તરફથી સત્તાવાર રજૂઆત કરવામાં આવે તેવી પૂર્ણ શક્યતા છે.

ભારતના સાર્વભૌમ પ્રદેશને દેશના સત્તાવાર નકશા મુજબ દર્શાવવો જોઇએ: વિદેશ મંત્રાલય
સમાન ક્ષેત્રના વિશ્વ નકશા પર યુએન જનરલ એસેમ્બલીના ઠરાવને સમર્થન આપ્યા પછી, સરકારે રવિવારે ચેતવણી આપી હતી કે પ્રસ્તાવિત નવા નકશામાં ભારતના સાર્વભૌમ પ્રદેશ, જેમાં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે, તે ભારતના સત્તાવાર નકશા અનુસાર દર્શાવવો જોઈએ અને કોઈપણ ખોટું અથવા ગેરમાર્ગે દોરનારું ચિત્રણ અસ્વીકાર્ય રહેશે.”ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર અમારું વલણ સ્પષ્ટ, સુસંગત અને વાટાઘાટો કરી શકાતું નથી,” એમ MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું. ભારત એ 164 દેશોમાં સામેલ હતું જેમણે 4 સપ્ટેમ્બરના યુએન જનરલ એસેમ્બલીના ઠરાવ, “નકશાને સુધારો: વૈશ્વિક કાર્ટોગ્રાફિક પ્રતિનિધિત્વને ફરીથી સંતુલિત કરવું અને વિશ્વના પ્રદેશો, ખાસ કરીને આફ્રિકાના સમાન પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવું” ની તરફેણમાં મતદાન કર્યું હતું. “ભારતે ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું અને સમાન-ક્ષેત્ર નકશા પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવાના મૂળ સિદ્ધાંત પર ભાર મૂકતા એક સમજૂતી પણ આપી હતી. અમે એ પણ પ્રકાશિત કર્યું હતું કે ઠરાવમાં રાષ્ટ્રીય સીમાઓના કોઈપણ ચોક્કસ નકશા, પ્રક્ષેપણ અથવા ચિત્રણનું સમર્થન નથી,” રણધીર જયસ્વાલે કહ્યું. આ ઠરાવ વિરુદ્ધ એક માત્ર મત મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *