ગોવામાં પેરાગ્લાઇડિંગ અકસ્માતમાં બેનાં મોત

  ગોવામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન સલામતીના નિયમોની બેદરકારીને કારણે એક દુ:ખદ અકસ્માત થયો. પુણેની એક મહિલા પ્રવાસી અને એક નેપાળી પેરાગ્લાઈડિંગ પાઈલટનું મોત થયું. આ અકસ્માત…

 

ગોવામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન સલામતીના નિયમોની બેદરકારીને કારણે એક દુ:ખદ અકસ્માત થયો. પુણેની એક મહિલા પ્રવાસી અને એક નેપાળી પેરાગ્લાઈડિંગ પાઈલટનું મોત થયું. આ અકસ્માત 18 જાન્યુઆરીના રોજ ક્રી, પ્લેટો, કેરી, પર્નેમમાં થયો, જ્યારે પરવાનગી વિના અને સલામતી સાધનો વિના પેરાગ્લાઈડિંગ કરવામાં આવી રહ્યુ હતુ.
ગોવા પોલીસે કેસ નોંધી પેરાગ્લાઈડિંગ કંપનીના માલિકની ધરપકડ કરી છે અને તેના પર ઇરાદા વગર હત્યાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત 18 જાન્યુઆરીના રોજ ગોવામાં થયો હતો, જેમાં પુણેની રહેવાસી 27 વર્ષીય શિવાની અને 26 વર્ષીય નેપાળી પેરાગ્લાઈડિંગ પાયલટ સુમન નેપાળીનું પેરાગ્લાઈડિંગ કરતી વખતે મોત થયું હતું.

પોલીસે આ કેસમાં FIR નોંધી છે અને પેરાગ્લાઈડિંગ કંપનીના માલિક શેખર રાયઝાદાની ધરપકડ કરી છે. શેખર રાયઝાદા પર આરોપ છે કે તેણે પોતાની કંપનીના પાઇલટને પરવાનગી વગર અને સલામતી સાધનોની વ્યવસ્થા કર્યા વિના વિદેશી પ્રવાસીઓ સાથે પેરાગ્લાઇડિંગ કરવાની મંજૂરી આપી હતી. આ કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *