અમેરિકી પ્રમુખ અને ભારતીય વડાપ્રધાન વચ્ચેની મંત્રણા અને એ પછીની પત્રકાર પરિષદની વિગતો આપણી સામે છે. એના આધારે મંત્રણાનો નિષ્કર્ષ કાઢતા પહેલા બન્ને નેતાઓ વચ્ચેની વાતચીત પુર્વે ટ્રમ્પે મુખ્યત્વે આયાત જકાત મામલે આંખ સામે આંખ અને ભારત ટેરિફના મામલે સૌથી અગ્રેસર છે તે વાત ધ્યાનમાં લેવી જોઇએ. ટ્રમ્પે ભલે મોદીને ટફ નેગોશિયેટર કહ્યા, વાસ્તવમાં તે અત્યારે વેપાર અને ટેરીફ મુદ્દે અક્કડ જણાય છે.મોદી સાથેની વાતચીતમાં પણ ટ્રમ્પે ટેરીફ મામલે વલણ હળવું કર્યાનું જણાતુ નથી. આ સંજોગોમાં મિત્ર ટ્રમ્પ પાસેથી કશુંક નકકર મેળવવામાં મોદી નિષ્ફળ રહ્યા છે.
અમેરિકાએ મુંબઇ હુમલાના આતંકી તવ્વહુર રાણાને ભારતને સોંપવાના નિર્ણયની જાહેરાત કરી એ માત્ર ઔપચારીકતા છે. અમેરિકાની અદાલતે તેના પ્રત્યાર્પણને મંજુરી આપી દીધી હતી. ભારતને અમેરિકા એફ-35 લડાકુ વિમાનો આપશે તેવી જાહેરાત થઇ છે. આ અંગે કહી શકાય કે ભારતની સંરક્ષણ જરૂરીયાત આનાથી પુરી થઇ શકશે. આ સોદો કયા ભાવે અને કેટલા વિમાનોનો હશે તેની સ્પષ્ટતા થઇ નથી. દેખીતી રીતે જ રશિયા અને ફ્રાંસથી વધુ શસ્ત્રોની ખરીદી ન કરે તે જોવાનો અમેરિકાનો હેતુ હોય શકે. આવુ જ તેલ ગેસ બાબતે છે ભારતે રશિયાની ક્રુડ- ગેસની ખરીદી વધારી છે.
અમેરિકા ઇચ્છે છે કે તે ભારતનું આ ક્ષેત્રે મોટુ સપ્લાયર બને.ટ્રમ્મની ટફ ટેરિફ નીતીનો માર ભારતને વધુ પડવાનો છે. કેમ કે આપણે જેટલી નકાસ કરીએ છીએ તે સામે ત્યાંથી આયાત ઓછી કરીએ છીએ. આ સંજોગોમાં ભારતની જેમ અમેરિકા ઉંચી આયાત જકાત લે તો ભારતની દવાઓ સહીતની ચીજ વસ્તુઓની આયાત ખતરામાં પડી જતા અમેરિકાના કહ્યા મુજબ ભારત અમેરિકી માલ-સામાન પર ડયુટી હળવી કરે તો દેશના કેટલાક ઉદ્યોગોની મુશ્કેલીઓ વધી શકે છે. અલબત આમા પડતર ખર્ચ સૌથી અગત્યની બાબત છે. આયાતી માલની પડતર ઓછી રહે તો સ્વદેશી ઉદ્યોગોને સ્પર્ધામાં રહેવું અઘરૂ પડે.વાસ્તવમાં, નવી દિલ્હીએ છુટછાટ આપવાનું શરૂૂ કરી દીધું છે. પરંતુ નીતિમાં આ પરિવર્તન મોટા ભાગે ટ્રમ્પની અસર હતી.
તે ચોક્કસ ક્ષેત્રોમાંથી સ્પષ્ટ હતું જ્યાં ટેરિફ ઘટાડવામાં આવ્યા છે. ભારત સરકારે આ રમતને દૂર કરી તે હકીકતને પ્રકાશિત કરી કે મોટરસાઇકલની આયાત પરની આયાત જકાતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ લાંબા સમયથી ભારતીય બજારમાં પ્રવેશવા માટે હાર્લી-ડેવિડસન બાઈક દ્વારા ચૂકવવામાં આવતા વસૂલાતથી ગ્રસ્ત છે. ટ્રમ્પે ભારતીયો પર ઉપકાર કર્યો હશે. સંરક્ષણવાદ તરફ આ દેશના વળાંકને પાછું ખેંચવું લાંબા સમયથી બાકી છે. ઉચ્ચ અને અસંગત ટેરિફ ભારતના ઉત્પાદકોને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં પ્રવેશતા અટકાવે છે. દરમિયાન, ચીનમાંથી આયાત – મુખ્ય નબળાઈ કે જે અધિકારીઓ આયાત કર દ્વારા સંબોધવા માગે છે – તે વધવાનું ચાલુ રાખે છે. આર્થિક સ્થિતિસ્થાપકતા ઉત્પાદકતા સુધારણા અને વધુ સ્પર્ધાત્મકતાથી આવે છે, પોતાને વિશ્વથી દૂર કરીને નહીં.
