કરૂણાંતિકા: સગપણ નક્કી કરવા આવેલા યુવકનું હૃદય બેસી ગયું

ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે તેવી પંક્તિને સાર્થક કરતી ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના રીબ ગામેથી રાજકોટ અમૃત પાર્કમાં પરિવાર સાથે…

ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે તેવી પંક્તિને સાર્થક કરતી ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના રીબ ગામેથી રાજકોટ અમૃત પાર્કમાં પરિવાર સાથે પોતાનું સગપણ નક્કી કરવા આવેલો યુવાન પાન ફાકીની દુકાને સોડા પીતો હતો. ત્યારે હદય બેસી જતા મોત મોત નીપજ્યું હતું. આ ઉપરાંત સમૃદ્ધિ સોસાયટીના પણ હદયરોગના હુમલાથી પ્રૌઢાનું મોત નીપજ્યું છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના રીબ ગામે રહેતો પ્રદીપ ગિરધરલાલ લીલા નામનો 29 વર્ષનો યુવાન પોતાનું સગપણ નક્કી કરવા પરિવાર સાથે રાજકોટમાં રૈયા રોડ પર આવેલ અમૃત પાર્કમાં આવ્યો હતો અને બંને પરિવાર પાનના ગલ્લે સોડા પીવા ગયા હતા. તે દરમિયાન પ્રદીપ લીલાને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવક તેના માતા પિતાને એકનો એક આધાર સ્થંભ પુત્ર હતો અને અગાઉ છુટાછેડા થઈ ગયા બાદ ગઈકાલે અમૃત પાર્કમાં બીજા લગ્ન માટે સગપણ નક્કી કરવા માટે આવ્યો હતો અને યુવતીના પરિવાર સાથે સોડા પીવા ગયો હતો ત્યારે હૃદય રોગનો હુમલો આવતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
સમૃદ્ધિ સોસાયટીના પ્રોઢાનું હદયરોગના હુમલાથી મોત

શહેરમાં સંત કબીર રોડ ઉપર આવેલ સમૃદ્ધિ સોસાયટીમાં રહેતા ઇલાબેન રમેશભાઈ હરસોડા નામના 49 વર્ષના પ્રોઢા વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી ઇલાબેન હરસોડાનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ઇલાબેન હરસોડાને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *