જુનાગઢ
જૂનાગઢ ઉટડી ગામેથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો
જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમે જૂનાગઢ જીલ્લાના માણાવદર પંથકમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના આપેલ હોય. જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલ તથા એસ ઓ જી સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.
એસ ઓ જી સ્ટાફને ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળેલ કે, રસુલ મામદ સોઢા ગામેતી, રહે. કેશોદ, મામલતદાર ઓફીસ પાછળવાળો ગે.કા. જામગરી બંદુક સાથે માણાવદર તાલુકાના ઉંટડી ગામની સીમમાં આવેલ ડેમ વિસ્તારમાં ફરે છે તેમની પાસે હથીયાર હોવાની ચોક્કસ બાતમી મળેલ જે ચોક્ક્સ બાતમીના આધારે ડેમ પાસેથી ઉપરોક્ત ઇસમને પકડી અંગ ઝડતીમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવતા માણાવદર પોલીસ સ્ટેશન ખાતે આ સંદર્ભે ગુન્હો નોંધી આગળની તપાસ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત
જૂનાગઢની સગીરા ઉપર રાજકોટમાં દુષ્કર્મ મામલે વધુ 4ની ધરપકડ
સગીરાને દેહવ્યાપારમાં ધકેલી દેવાના પ્રકરણમાં કુલ 10ની ધરપકડ
જૂનાગઢની સગીરા સાથે રાજકોટના શખ્સે કરેલા દુષ્કર્મ બાદ તેને દેહવ્યાપારમાં ધકેલી દેવાના ગુનામાં પોલીસે વધુ ચાર શખ્સોને ઝડપી લીધા છે. આ ગુનામાં સગીરાને રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈને 14 જેટલા શખ્સો દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરી દેહવ્યાપારમાં ધકેલી દેવાયાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે પકડાયેલા આરોપીઓને રાજકોટ લઇ જઇને તપાસ શરૂૂ કરી હતી. આ ગુનમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જેમાં રીહાન ઉર્ફે રેહાન યુનુસભાઇ શેખના 4 દિવસના રીમાન્ડ પૂરા થતાં બેયને જેલ હવાલે કરાયા છે.
આ સિવાય રાજકોટના આકાશ અર્જુનસિંહ ઓડ, હિરેન જગદીશભાઇ સાપરા, જસ્મીન દિનેશભાઇ મકવાણા અને હાર્દિક દિપકભાઇ ઝાપડાના રીમાન્ડ હજી ચાલુ હોઇ તેઓની પુછપરછ ચાલુ છે. આ સિવાય પોલીસે રાજકોટના બીજા 4 શખ્સો સત્યુગ ઉર્ફે સત્યમ જીતેશભાઇ ટીમાણીયા, અયાન ઇદ્રીશભાઇ જોધપુરા મુલ્તાની, અરબાઝ ઇમ્તીયાઝભાઇ ખીમાવત અને કૃપાલ કિશોરભાઇ ટીમાણીયાને ઝડપી લીધા છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
વંથલીમાં દાદી સાથે સૂતેલી સગીરા સાથે છેડતી કરનાર શખ્સ પકડાયો
આરોપીને પકડી કાયદાનું ભાન કરાવતી પોલીસ
વંથલીના એક ગામે રાત્રિના અંધારાનો લાભ લઈ ગામના જ એક યુવાને સગીરાની છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા પોતાના દાદી સાથે રાત્રિના સમયે તેના ઘરે સૂતી હતી, ત્યારે આરોપીએ આવી સુતેલી સગીરાનું ગોદડું ખેચ્યું હતું. જોકે, દાદી અને સગીરા બંને જાગી જતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ મામલે સગીરાના દાદીએ વંથલી પોલીસ સ્ટેશનમાં પોતાની સગીર વયની દીકરીની એક યુવાને છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેથી વંથલી પોલીસ દ્વારા પોક્સો તેમજ છેડતીની કલમનો યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસે ગુનો નોંધી છેડતી કરનાર યુવાનને પકડવા તપાસ હાથ ધરી હતી. ત્યારે માણાવદર તાલુકાના સીપીઆઈ અને વંથલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે પકડાયેલ આરોપીની પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના એક ગામે સગીરાની છેડતી મામલે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સગીરા રાત્રે પોતાના ઘરે તેની દાદી સાથે સૂતી હતી. આરોપી સગીરાના ઘરે જઈ સગીરા સૂતી હતી ત્યારે તેની છેડતી કરી હતી. જે મામલે સગીરાના દાદીએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે માણાવદરના સીપીઆઈ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને લઇ ઈઙઈં દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં આ આરોપી જ્યારે સગીરા ગામમાં નીકળતી હતી ત્યારે અવારનવાર ખરાબ નજરે તેની સામે જોતો હતો અને રાત્રિના સમયનો લાભ લઇ આ આરોપી સગીરાના ઘરમાં ઘૂસી છેડતી કરી હતી. જેને લઇ હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
રાષ્ટ્રીય16 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત23 hours ago
લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે