Connect with us

આંતરરાષ્ટ્રીય

ભારત-કેનેડા તણાવથી હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં

Published

on

ભારતીય મૂળના 20 લાખ કેનેડિયનો ચિંતાતૂર, હિન્દુ મંદિરો ઉપર ખતરો

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર રાજદ્વારી તણાવ વધી ગયો છે. ભારત સરકારે કેનેડાના છ રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. તેમજ કેનેડાના છ રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢ્યા છે.


આ મામલે પૂર્વ રાજદ્વારી કેપી ફેબિયનએ કહ્યું કે કેનેડાએ અમને હરદીપ સિંહ નિજ્જર કેસની તપાસ અંગે કહ્યું છે. આનો અર્થ એવો થાય કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અમારા હાઈ કમિશનરની પૂછપરછ કરવા માંગે છે. પરંતુ આ કોઈપણ રીતે યોગ્ય નથી, તેથી ભારત સરકારે તેના રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે.
પૂર્વ રાજદ્વારીએ વધુમાં જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે સ્થિતિ હજુ વધારે ખરાબ થશે. જ્યાં સુધી જસ્ટિન ટ્રુડો કેનેડાના વડપ્રધાન છે ત્યાં સુધી કેનેડાના ભારત સાથે સંબંધ નહિ સુધરે. કેનેડામાં 2025માં ચૂંટણી છે. તેમજ ટ્રુડોની લોકપ્રિયતા પણ સતત ઘટી રહી છે. કેનેડાની અર્થવ્યવસ્થા પણ સારી સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં જો ત્યાં નવી સરકાર સત્તામાં આવશે તો જ આપણા સંબંધો સુધરશે. પરંતુ હાલ તો આ શક્ય જ નથી.


ભારત અને કેનેડાના તનાવની સૌથી વધુ અસર ભારતીય વિધાર્થીઓ પર પડી શકે છે. જેઓ કેનેડામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું અને ત્યાં સારું જીવન જીવવાનું સપનું જોઈ રહ્યા હતા તેમને આ તણાવની સૌથી વધુ અસર થશે. આ સિવાય હિન્દુ મંદિરોને નિશાન બનાવી શકાય છે. તેમજ ખાલિસ્તાનીઓ કેનેડામાં હિન્દુઓ પર હુમલો કરી શકે છે તેવો પણ ખતરો છે. હાલ ભારતીય મૂળના અંદાજે 20 લાખ કેનેડિયન મૂંઝવણની સ્થિતિમાં છે.


ભારતીય મૂળના કેનેડિયન લોકોનું કહેવું છે કે હાલમાં ભારત અને કેનેડાના સંબંધો એટલા ખરાબ છે જેટલા ક્યારેય કેનેડા અને ચીન વચ્ચે કે કેનેડા અને રશિયા વચ્ચે પણ નથી થયા. ભારતીય મૂળના કેનેડિયનોને ચિંતા છે કે હાલમાં 60 થી 70 હજાર ભારતીય વિદ્યાર્થીઓ પહેલેથી જ ડેપ્યુટેશનનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ખાલિસ્તાનીઓ પ્રત્યે ટ્રુડોની સહાનુભૂતિ પણ આ બંને દેશો વચ્ચે તણાવ વધારી રહ્યું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંતરરાષ્ટ્રીય

પૂર્વ PM શેખ હસીના પર લટકી ધરપકડની તલવાર!! બાંગ્લાદેશની કોર્ટે 18 નવેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ

Published

on

By

બાંગ્લાદેશની અદાલતે આજે (17 ઓક્ટોબર) નિર્વાસિત પૂર્વ નેતા શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો છે. ઓગસ્ટમાં સત્તા પરથી હટાવ્યા બાદ શેખ હસીના ભારત ભાગી ગયા હતા. બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલના મુખ્ય વકીલ મોહમ્મદ તાજુલ ઇસ્લામે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, “કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની ધરપકડ અને 18 નવેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.”

ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મજુમદારે સવારે 11.30 વાગ્યા પછી ટ્રિબ્યુનલની કાર્યવાહી શરૂ કરી હતી. પહેલા દિવસે ફરિયાદી ટીમે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય 50 લોકો સામે ધરપકડ વોરંટની માંગણી કરી હતી. અવામી લીગ પાર્ટીના નેતા શેખ હસીના, 14-પક્ષ ગઠબંધનના અન્ય નેતાઓ, દેશના પૂર્વ કાયદા અમલીકરણ અધિકારીઓ અને પત્રકારો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક ટ્રિબ્યુનલમાં બળજબરીથી ગુમ થવા અને હત્યા સંબંધિત 60 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.

13 ઓક્ટોબરે મુખ્ય ફરિયાદી એડવોકેટ તાજુલ ઇસ્લામે કહ્યું હતું કે આ અઠવાડિયાની અંદર, જુલાઈમાં દેશમાં રમખાણો અને અશાંતિમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ અને મુસાફરી પ્રતિબંધ જારી કરવામાં આવશે. આ માટે દેશ છોડીને ભાગી ગયેલા તમામ લોકો સામે ઈન્ટરપોલની મદદ લેવામાં આવશે.

મોહમ્મદ તાજુલ ઈસ્લામે મીડિયાને જણાવ્યું કે હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. તેમણે રાજકીય વિરોધીઓને જેલમાં મોકલી દીધા. જુલાઈથી ઓગસ્ટ દરમિયાન દેશમાં થયેલા નરસંહાર અને હત્યા જેવા અપરાધો પાછળ શેખ હસીનાનો હાથ હતો. 77 વર્ષીય હસીના બાંગ્લાદેશ ભાગી ગયા બાદથી જાહેરમાં જોવા મળી નથી. બાંગ્લાદેશ ભારતમાં તેમની હાજરીથી નારાજ છે. આ કારણોસર તેઓએ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દીધો છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટને મળી બોમ્બની ધમકી, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Published

on

By

છેલ્લા 4 દિવસથી ભારતીય વિમાનોને બોમ્બની ધમકીઓ મળી રહી છે. આજે વિસ્તારા અને ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. ધમકી મળ્યા બાદ વિસ્તારાની ફ્રેન્કફર્ટ-મુંબઈ ફ્લાઈટ UK 028નું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી.લેન્ડિંગ પછી તરત જ ફ્લાઈટને અલગ-અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું.

અધિકારીઓએ ક્રૂને બોમ્બની ધમકી વિશે જાણ કરી ત્યારે વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઉડી રહ્યું હતું. ફ્લાઈટમાં 147 મુસાફરો સવાર હતા. લેન્ડિંગ પછી, એરક્રાફ્ટને આઇસોલેશનમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી તુર્કીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ પર ધમકી આપવામાં આવી હતી. આ ધમકી સોશિયલ મીડિયા પર પણ આપવામાં આવી હતી.

આ અંગે વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું કે ફ્રેન્કફર્ટથી મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઈટ UK 028ને સોશિયલ મીડિયા પર ધમકી મળી હતી. પ્રોટોકોલ મુજબ, તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જે બાદ પ્લેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું અને તેને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું. જ્યાં તમામ ગ્રાહકોને ઉતારી દેવામાં આવ્યા હતા.

વિસ્તારાએ કહ્યું કે અમે ફરજિયાત સુરક્ષા તપાસ પૂર્ણ કરવા માટે સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. વિસ્તારામાં, અમારા ગ્રાહકો, ક્રૂ અને એરક્રાફ્ટની સલામતી અમારા માટે અત્યંત મહત્વની છે.બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા અટકી રહી નથી. ગુરુવારે જર્મનીના ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ (બોઈંગ 787 એરક્રાફ્ટ)ને બોમ્બની ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ ફ્લાઈટનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ પછી તરત જ ફ્લાઈટને અલગ-અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ફૂટબોલ ચાહકોના દિલ તૂટશે, મેસીએ આપ્યો નિવૃત્તિનો સંકેત

Published

on

By

ફૂટબોલની રમત પર છેલ્લા બે દાયકાથી રાજ કરી રહેલા આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો જાદુ હજુ પણ બરકરાર છે. તેની હેટ્રિકના આધારે આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચમાં બોલિવિયાને 6-0થી હરાવ્યું હતું. બોલિવિયા સામેની મેચ દરમિયાન સાથી ખેલાડીઓ લૌટારો માર્ટિનેઝ અને જુલિયન આલ્વારેઝને ગોલ કરવામાં મદદ કરવામાં પણ મેસ્સીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 37 વર્ષીય મેસીએ મેચની 19મી, 84મી અને 86મી મિનિટમાં ગોલ કર્યા હતા.


આ સમયગાળા દરમિયાન, તેણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હેટ્રિક લેવાના મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રેકોર્ડની પણ બરાબરી કરી. બંને ખેલાડીઓના નામે હવે 10 હેટ્રિક છે. મેચ બાદ તેણે નિવૃત્તિને લઈને મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે તે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. જો કે, તેણે એમ પણ કહ્યું છે કે તેણે આ અંગે કોઈ સમય મર્યાદા નક્કી કરી નથી.


તેણે કહ્યું, મેં મારા ભવિષ્યને લઈને કોઈ તારીખ કે સમય મર્યાદા નક્કી કરી નથી. હું ફક્ત તેનો આનંદ માણી રહ્યો છું. હું પહેલા કરતાં વધુ લાગણીશીલ છું અને મને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે, કારણ કે હું જાણું છું કે આ વર્ષની શરૂૂઆતમાં કોપા અમેરિકાની ફાઈનલ દરમિયાન થયેલી ઈજામાંથી સાજો થયા બાદ મેસ્સી આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચ હોઈ શકે છે બીજી મેચ. મેસ્સીએ કબૂલ્યું કે આખી મેચ દરમિયાન ઘરઆંગણાના દર્શકોને તેના નામનો જયઘોષ કરતા જોવો તે તેના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.

Continue Reading
રાષ્ટ્રીય51 seconds ago

ફરી રેલ દુર્ઘના..આસામમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર

રાષ્ટ્રીય19 mins ago

ડેન્ગ્યુના દર્દીએ ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા

રાષ્ટ્રીય48 mins ago

‘UPમાં એન્કાઉન્ટર નહીં પરંતુ હત્યા થઇ રહી છે…’ બહરાઇચ હિંસા મામલે અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા આકરા પ્રહારો

Sports49 mins ago

શિખર ધવનનું સુખ અને સફળતાનું સમીકરણ,જાણો કઈ રીતે મેળવી સફળતા

ગુજરાત1 hour ago

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

ગુજરાત1 hour ago

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

ગુજરાત1 hour ago

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

રાષ્ટ્રીય1 hour ago

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

રાષ્ટ્રીય1 hour ago

મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા

રાષ્ટ્રીય1 hour ago

બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ

ક્રાઇમ6 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય1 day ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય3 hours ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

ગુજરાત1 day ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

ગુજરાત1 day ago

શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ

ગુજરાત1 day ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

ગુજરાત1 day ago

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

ગુજરાત1 day ago

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

ગુજરાત1 day ago

ફાયર વિભાગ માટે 3.54 કરોડના 4 વાહનોનું લોકાર્પણ

Trending