ગુજરાત
માનવ તસ્કરી કૌભાંડ: અગાઉ પાંચ ફ્લાઇટ ભરીને 1200 ભારતીયોને ઘુસાડી દેવાયા
300 થી વધુ ભારતીય મુસાફરોને ગેરકાયદેસર અમેરિકામાં ઘુસાડવાના કૌભાંડમાં ચોંકાવનારા ખુલાશા થઇ રહ્યા છે. આ જ પધ્ધતીથી આ પહેલા પાંચ ટ્રીપ દ્વારા 1200 ભારતીયોની નિકારાગુઆના માર્ગે થઇ અમેરિકામાં ઘુસણખોરી કરાવી દેવાયાનો ઘટસ્ફોટ થયો છે. અને આ છઠ્ઠી ટ્રિપ હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હૈદરાબાદનો શશી કિરણ રેડ્ડી હોવાનું અને મહેસાણાનો કિરણ પટેલ નામનો શખ્સ પણ તેમાં સામેલ હોવાની ચર્ચા થઇ રહી છે. 300થી વધુ ભારતીય મુસાફરોને લઇને જઇ રહેલા એક વિમાનને ફ્રાંસના અધિકારીઓએ માનવ તસ્કરીના આરોપમાં પૂછપરછ માટે રોક્યા હતા. હવે કબૂતરબાજીના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. 96 ગુજરાતીઓ સહિત 260 ભારતીયોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. ફ્રાંસ એરપોર્ટ પર અટકાવાયેલા ગુજરાતીઓમાંથી મોટા ભાગના યુવકો ઉત્તર ગુજરાતના હોવાનું જાણવા મળે છે. આ કૌભાંડમાં મહેસાણા જીલ્લાના કિરણ પટેલ અને તેના સાથીદાર શશીનું નામ હાલ ચર્ચાઇ રહ્યું છે. ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં ઉત્તર ગુજરાતના પાટીદાર, ચૌધરી અને રાજપૂત સમાજના હોવાનું જાણવા મળ્યું છે. દૂબઇથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા નિકારાગુઆ લેન્ડિંગ બાદ મેક્સિકોની સરહદેથી ઘૂસણખોરીનો પ્લાન હતો. દિલ્હીના શશી રેડ્ડી નામનો મુખ્યસુત્રધાર કબૂતરબાજીનું રાષ્ટ્રવ્યાપી રેકેટ ચલાવતો હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં 10થી વધુ સબ એજન્ટો રોકીને શશી રેડ્ડી કબૂતરબાજીનું રેકેટ ચલાવતો હતો. અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર જેવા શહેરોમાં શશી રેડ્ડીનું માનવ તસ્કરીનું નેટવર્ક ચાલે છે. વ્યક્તિદીઠ 80 લાખ ઉઘરાવી અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવાનું કૌભાંડ ચાલતું હતું. એક મહિનાથી દૂબઇથી ચાર્ટર્ડ પ્લેનથી નિકારાગુઆ થઇ અમેરિકામાં ઘૂસાડવાનું રેકેટ ચાલતું હતું. અત્યાર સુધીમાં 1200 જેટલા ભારતીયોની વાયા નિકારાગુઆ થઇ અમેરિકામાં ઘૂસણખોરી કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફ્રાંસમાં અટવાયેલા 96 ગુજરાતીઓમાંથી મોટા ભાગના ઉત્તર ગુજરાતના છે.
આ ઘુસણખોરીમાં વ્યક્તિદીઠ ભાવ નક્કી કરેલા હતા. જેમાં એક વ્યક્તિ માટે 80 લાખ જયારે કપલ એન્ટ્રીના 1 કરોડ 25 લાખ જેટલા રૂૂપિયા લેવામાં આવતા હતા. જો 3 લોકોનું ગ્રુપ હોય તો 1 કરોડ 45 લાખમાં વહીવટ થતો હતો. આખા ફેમિલીને આ રીતે જવું હોય તો 2 કરોડથી વધુની રકમ લેવામાં આવતો હતી. ઘુસણખોરીમાં મોટા ભાગના લોકો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર જિલ્લાના હોવાનું મનાય છે. જેમાં મહેસાણા, વિજાપુર, માણસા, કલોલના વતનીઓ વધુ પ્રમાણમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ અગાઉ પણ ચાર્ટર્ડ પ્લેન દુબઈથી નીકારાગુઆ 5 વખત ટ્રીપ મારી ચૂક્યું છે. અને આ છઠી ટ્રીપ હોવાનું જણાઈ રહ્યું છે.
માનવ તસ્કરીના તાર ડીંગુચા કેસના માસ્ટર માઇન્ડ તરફ
હૈદરાબાદના શશિ કિરણ રેડ્ડી, 2022ના ડીંગુચા કેસના કથિત કિંગપિન, ગુજરાત પોલીસ દ્વારા પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યો હતો, તે માનવ તસ્કરીની શંકા વચ્ચે હાલમાં ફ્રાન્સમાં ગ્રાઉન્ડેડ 303 ભારતીયો સાથે દુબઈ-નિકારાગુઆ ફ્લાઇટનો સંભવિત માસ્ટરમાઇન્ડ હોઈ શકે છે, ડીંગુચા કેસમાં ગુજરાતના એક દંપતી અને તેમના બે બાળકો યુએસ બોર્ડર નજીક મૃત્યુ પામ્યા હતા જ્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રેડ્ડી 15 વર્ષથી માનવ દાણચોરીનું નેટવર્ક ચલાવી રહ્યો છે, જ્યાંથી લોકોને રોડ અને દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે યુએસ લઈ જવામાં આવે છે, અમેરિકામાં 800 ભારતીયોના ગેરકાયદે પ્રવેશને સરળ બનાવવા માટે છેલ્લાં બે મહિનામાં 8 થી 10 નિકારાગુઆ-બાઉન્ડ સોર્ટીઝ કરવામાં આવી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય8 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત