Connect with us

રાષ્ટ્રીય

ભારતમાં આતંકવાદ ફેલાવવા ISનો ઘાતક પ્લાન

Published

on

ભારતના જ યુવાનોને તાલીમ આપી દેશભરમાં આતંકી હુમલા કરાવાશે, યુએનનો ચેતવણીરૂપ રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સમુહ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધી લેવંટ-ખોટાસાને (આઇએસઆઇએલ-કે) ભારતમાં વ્યાપક હુમલાઓ કરવામાં નિષ્ફળ જતાં ભારતમાં જ રહેલા તેના આકાએ એવા જુવાનોને આતંકવાદની તાલિમ આપવાનો નિર્ણય કર્યો છે કે જેઓ એકલે હાથે પણ જુદાં જુદાં સ્થળોએ આતંકી હુમલા કરી શકે.

આઈએસઆઈએલ-કે, અલકાયદા અને તેની સાથે જોડાયેલી વ્યક્તિઓ કે સંસ્થાઓ અંગે સંયુક્ત રાષ્ટ્રોએ એક વિશ્ર્લેષણાત્મક રીપોર્ટ તૈયાર કર્યો છે. આ 34મો અહેવાલ તેમાં કહેવામાં આવ્યું છે કે યુએનના સભ્ય દેશોએ ચિંતા દર્શાવી છે કે મૂળભૂત રીતે અફઘાનિસ્તાનમાંથી પેદા થયેલો આ આતંકવાદ અસલામતિનું કારણ બની રહે તેમ છે.

આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં સામુહિક રીતે વિનાશ કરવામાં અને આતંક ફેલાવવામાં નિષ્ફળ જતાં હવે તે એવા જુવાનોની ભરતી કરવા માગે છે કે જેઓ એકલે હાથે આતંક ફેલાવી શકે. વિનાશ કરી શકે.

આ આતંકવાદી સંગઠને ઉર્દૂમાં એક પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે. જેમાં હિન્દુ મુસ્લીમ દ્વેષ વધે તેવી બાબતો છપાઈ છે તેમજ ભારત સંબંધી તેની રણનીતિ રેખાંકિત કરવામાં આવી છે.

આ અહેવાલ વધુમાં જણાવે છે કે પાકિસ્તાન સ્થિત આ આતંકવાદી સંગઠન તહેરિક એ તાલિબાન એ પાકિસ્તાન (ટીટીપી) અન્ય આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે.

તેમાં પણ ટીટીપી અને ઓક્યુઆઈએસનું સંભવિત જોડાણ પાકિસ્તાન ખુદને માટે પણ ખતરારૂૂપ બની શકે તેમ છે. મુખ્યત: તો ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર માટે ભારે મોટો ખતરો બની શકે તેમ છે. યુએનના સભ્ય દેશો પૈકી કેટલાકનું અનુમાન છે કે આઈએસઆઈએલ-(કે) આતંકીઓની સંખ્યા જે 4000 જેટલી હતી તે વધીને 6,000 જેટલી થઇ છે.

અફઘાનિસ્તાનમાં શિબિરો
આ અંગે યુએનનો રિપોર્ટ જણાવે છે કે આઈએસઆઈએલ(કે) આ ક્ષેત્રમાં ગંભીર ખતરો બની રહ્યું છે. જેનું મૂળ અફઘાનિસ્તાનમાં છે. તહેરિક એ તાલિબાન એ પાકિસ્તાન (ટીટીપી) અને અલકાયદા તથા એક્યુઆઈએસ વચ્ચે સમર્થન અને સહયોગ વધ્યાં છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓને તાલિમ આપવા માટેની શિબિરો ચાલે છે. તેઓ તહરિકે જિહાદ એ પાકિસ્તાનનાં નામે વધુ ઘાતક હુમલા કરી રહ્યા છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટેકનોલોજી

iPhone 16નું વેચાણ શરૂ થતાં જ અફરાતફરી, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જુઓ વિડીયો

Published

on

By

એપલે આજથી iPhone 16 સિરીઝનું વેચાણ ભારતમાં શરૂ કરી દીધું છે. કંપનીએ 9 સપ્ટેમ્બરે ‘ઇટ્સ ગ્લો ટાઇમ’માં AI ફીચર્સ સાથે iPhone 16 સીરિઝ લોન્ચ કરી હતી. પ્રથમ વેચાણ શરૂ થતાં જ મુંબઈના BKCમાં Apple Store પર iPhone પ્રેમીઓની લાંબી લાઇન જોવા મળી હતી. એમુંબઈના આ સ્ટોર બહાર કલાકોથી લોકો લાઈન લગાવીને ઉભા છે. તમને જણાવી દઈએ કે આઈફોનનું છેલ્લું મોડલ લોન્ચ થયા બાદ પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું.

કંપનીએ 9 સપ્ટેમ્બરે iPhone 16 સિરીઝના ચાર મોડલ રજૂ કર્યા હતા. આમાં iPhone 16, iPhone 16 plus, iPhone Pro અને iPhone 16 pro maxનો સમાવેશ થાય છે. આ પહેલીવાર છે જ્યારે iPhoneનું નવું મોડલ જૂના મોડલ કરતા ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોનમાં ઘણા નવા અને ઉત્તમ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.

જાણો iPhone 16 સિરીઝની કિંમત કેટલી છે

iPhone 16 ની પ્રારંભિક કિંમત ₹79,900 છે, જે 128GB સ્ટોરેજ સાથે આવે છે. આ 256GB અને 512GB વેરિયન્ટ્સ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે ₹89,900 અને ₹1,09,900 છે. iPhone 16 Plus ની કિંમત ₹89,900 થી શરૂ થાય છે, અને તેના 256GB અને 512GB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹99,900 અને ₹1,19,900 છે.

આ iPhone Pro મોડલની કિંમત છે

iPhone 16 Pro ની કિંમત ₹1,19,900 થી શરૂ થાય છે, અને તે 128GB, 256GB, 512GB અને 1TB વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે ₹1,29,900, ₹1,49,900 અને ₹1,69,900 છે. iPhone 16 Pro Max ની કિંમત ₹1,44,900 થી શરૂ થાય છે, અને તેના 512GB અને 1TB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹1,64,900 અને ₹1,84,900 છે.

Continue Reading

રાષ્ટ્રીય

કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

Published

on

By

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી થઈ રહી હતી ત્યારે હંગામો થયો હતો. ગર્ભગૃહની ટોચ પરથી અચાનક એક તણખો નીકળ્યો અને થોડી જ વારમાં ત્યાં આગ ફાટી નીકળી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગની જાણ થતાં જ મંદિર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ભક્તો અહીં-તહીં દોડવા લાગ્યા. પરંતુ સેવા કર્મચારીઓ અને પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આગ બુઝાવી દેવામાં આવી હતી.

આ પછી સમગ્ર મંદિર પરિસરની તપાસ કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ તેના કારણે આરતીમાં થોડો સમય વિક્ષેપ પડ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના ગઈ કાલે સવારે 4.55 કલાકે બની હતી. ગર્ભગૃહના દક્ષિણી પ્રવેશદ્વારથી મંદિરના સુવર્ણ શિખર તરફ જતા કેબલમાં શોર્ટ સર્કિટના કારણે તણખા નીકળવા લાગ્યા હતા. આ જોઈને સર્વિસમેન અને પોલીસકર્મીઓએ તરત જ મુલાકાતીઓને ત્યાંથી હટાવ્યા હતા.

થોડી જ વારમાં શિખર પાસેના વિશિષ્ટ સ્થાનમાં સ્પાર્ક આગના ગોળામાં ફેરવાઈ ગયો. આગ વધુ ન ફેલાય તે માટે તક ગુમાવ્યા વિના વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં મંદિરમાં હાજર ભક્તો ગભરાઈ ગયા હતા. તે દરવાજેથી પ્રવેશતા અચકાતા હતા. આ પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે શ્રદ્ધાળુઓને અન્ય ગેટ પરથી પણ હટાવ્યા હતા. ઇલેક્ટ્રિશિયન દ્વારા તપાસ દરમિયાન, ગર્ભગૃહના દક્ષિણી પ્રવેશદ્વારથી વીજ પુરવઠા માટે લગાવવામાં આવેલા કેબલમાં ખામી મળી આવી હતી.

મંદિરના એસડીએમ શંભુ કુમારે કહ્યું- ગર્ભગૃહમાં ખૂબ જૂના વાયરો દ્વારા વીજળી પહોંચાડવામાં આવી રહી છે. વરસાદના કારણે સ્પાર્કિંગ અને શોર્ટ સર્કિટ થઈ હતી. જેના કારણે થોડા સમય માટે દક્ષિણ દરવાજાથી દર્શન અને પૂજા ખોરવાઈ હતી. ક્યાંય નુકસાન થયું ન હતું. આખા ધામનું સેફ્ટી ઓડિટ ગર્ભગૃહની બહાર વહેલી સવારે બનેલી ઘટના બાદ મંદિર પ્રશાસને દિવસ દરમિયાન સમગ્ર ધામની વીજ પુરવઠા વ્યવસ્થાનું સેફ્ટી ઓડિટ કર્યું હતું. એસડીએમના નેતૃત્વ હેઠળ, ઇલેક્ટ્રિકલ મિકેનિક અને એન્જિનિયર્સની ટીમે એક પછી એક પાવર કેબલ અને સપ્લાય વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. આ સાથે જૂના વાયરો પર પણ નિશાન લગાવવામાં આવ્યા છે.

Continue Reading

રાષ્ટ્રીય

દેશની ઈકોનોમીમાં થવા જઈ રહ્યો છે મોટો બદલાવ, જાણો કેટલું થશે પરિવર્તન

Published

on

By

કોઈપણ દેશના જીડીપીના આંકડા દર્શાવે છે કે તે દેશની અર્થવ્યવસ્થા કેટલી ઝડપથી વધી રહી છે. જીડીપી એ દેશના આર્થિક વિકાસનું માપદંડ છે. હવે ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં ટેકઓફ થવા જઈ રહી છે, કારણ કે ભારતના જીડીપીમાં મોટો ફેરફાર થઈ શકે છે. આ ફેરફાર બાદ દેશની જીડીપી ખૂબ ઊંચા દરે જોવા મળી શકે છે. તે જ સમયે, તે ‘લલટેન’ સાથે પણ જોડાણ ધરાવે છે.

હકીકતમાં, ભારત સરકાર 2011-12 થી 2022-23 સુધી દેશમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ની ગણતરી માટે આધાર વર્ષ બદલવાનું વિચારી રહી છે. એજન્સીએ સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે.

લાંબા સમય પછી પરિવર્તન આવવાનું છે
જીડીપીની ગણતરી માટે બેઝ યરમાં આ ફેરફાર લગભગ એક દાયકામાં પ્રથમ વખત થવા જઈ રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનું સચોટ ચિત્ર રજૂ કરવા માટે સરકાર આધાર વર્ષ બદલીને 2022-23 કરવાનું વિચારી રહી છે.

આંકડા મંત્રાલય સૂચનો આપી શકે છે
જીડીપી ગણતરીના આધાર વર્ષ બદલવાનું સૂચન આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય તરફથી આવી શકે છે. આ અંગેની દરખાસ્ત નેશનલ એકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિક્સ એડવાઇઝરી કમિટી (ACNAS)ને મોકલી શકાય છે. વિશ્વનાથ ગોલ્ડરની અધ્યક્ષતામાં રચાયેલી 26 સભ્યોની સલાહકાર સમિતિ આ કામ 2026ની શરૂઆતમાં પૂર્ણ કરી શકે છે.

દેશની જીડીપી ‘ફાનસ’થી નક્કી નહીં થાય
સરકાર ફેબ્રુઆરી 2026માં જીડીપીની ગણતરી માટે નવા આધાર વર્ષની જાહેરાત કરી શકે છે. નવી ગણતરીમાં ફાનસ, વીસીઆર, રેકોર્ડર જેવી કેટલીક વસ્તુઓ દૂર કરવામાં આવશે અને તેમાં સ્માર્ટ ઘડિયાળો, ફોન અને પ્રોસેસ્ડ ફૂડ જેવા નવા વધારાનો સમાવેશ થશે. આ સિવાય જીએસટી ડેટાને નવા સ્ત્રોત તરીકે પણ રાખી શકાય છે.

અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્રોની સારી અને સચોટ તસવીર બહાર લાવવા માટે સરકાર આંકડાકીય પ્રણાલીમાં સુધારો કરવા માટે અનેક પગલાં લઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026-27માં દેશમાં આદિવાસીઓની જીવન સ્થિતિ, અખિલ ભારતીય સ્તરે દેવાની સ્થિતિ અને રોકાણ સર્વેક્ષણ વગેરે પણ હાથ ધરવામાં આવશે.

Continue Reading
ટેકનોલોજી1 min ago

iPhone 16નું વેચાણ શરૂ થતાં જ અફરાતફરી, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જુઓ વિડીયો

રાષ્ટ્રીય16 mins ago

કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

રાષ્ટ્રીય28 mins ago

દેશની ઈકોનોમીમાં થવા જઈ રહ્યો છે મોટો બદલાવ, જાણો કેટલું થશે પરિવર્તન

રાષ્ટ્રીય31 mins ago

રોંગ સાઇડમાંથી આવતી SUV કારે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઈકર હવામાં ફગોળાયો, જુઓ ખતરનાક VIDEO

રાષ્ટ્રીય16 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય17 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય17 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય18 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય18 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય18 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

રાષ્ટ્રીય16 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત23 hours ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

ગુજરાત2 days ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય2 days ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત2 days ago

ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ ATMનો પ્રારંભ: લાભાર્થીઓને લાંબી લાઇનમાંથી મુક્તિ

Trending